ઠંડી ‘કાતિલ’ બની : ધુમ્મસ ‘જીવલેણ બન્યુ’
10 વિમાનોની ઉડાનો રદ કરવી પડી
- Advertisement -
ઠંડીની ઋતુએ 15 લોકોના જીવ લીધા છે.જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વરસાદ અને બરફ વર્ષાથી માર્ગથી લપસી જતા એક વાહન શનિવારે રાત્રે નાલામાં ખાબકી ગયુ હતું.
તેમાં 6 લોકો સવાલ હતા તેઓ આખી રાત ત્યાં પડયા રહ્યા. જયારે સવારે ખબર પડી ત્યાં સુધીમાં ચાર લોકોના મોત થઈ ચુકયા હતા. જયારે ચાલક સહીત બે લોકો લાપતા થયા છે. બીજી બાજુ યુપીમાં ઠંડી લાગવાથી 7 લોકોના મોત થયા હતા. જયારે પંજાબના ફિરોઝપુરમાં ઘુમ્મસના કારણે માર્ગ અકસ્માતથી બે લોકોના મોત નીપજયા હતા.
ટ્રેનો મોડી પડી વિમાનોની ઉડાન રદ કરાઈ: ઘુમ્મસના કારણે 51 ટ્રેનો મોડી ચાલી હતી તેમજ 10 વિમાનોની ઉડાનો રદ કરાઈ હતી.