ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.02
સિંગાપોરમાં યોજાયેલી વિશ્વભરના સંરક્ષણ નેતાઓની મીટિંગ ‘શાંગરી-લા ડાયલોગ’માં ભારતના ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ (ઈઉજ) જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન લગભગ 15 ‘ફેક ન્યૂઝ’નો જવાબ આપવામાં બગડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતને ‘માહિતી યુદ્ધ’ એટલે કે ઈન્ફોર્મેશન વોરફેર માટે એક અલગ અને ખાસ પ્રકારની શાખાની જરૂર છે.જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની વ્યૂહરચના તથ્ય-આધારિત સંદેશાવ્યવહાર પર આધારિત રહી હતી, જેના કારણે જવાબ આપવામાં થોડો વિલંબ થયો. વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ ઓપરેશનમાં વ્યસ્ત હોવાથી શરૂઆતમાં બે મહિલા અધિકારીએ મીડિયા સાથે વાત કરી હતી.
- Advertisement -
જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે, એવું માનવામાં આવે છે કે પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન ચીનની કોમર્શિયલ સેટેલાઈટ છબીનો ઉપયોગ કર્યો હશે, પરંતુ અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી કે તેને રિયલ-ટાઈમ લક્ષ્ય (ટાર્ગેટિંગ)ની મદદ મળી હોય.
ટેક્નોલોજીની વાત કરતા તેમણે કહ્યું કે, ભારતે આ ઓપરેશનમાં ’આકાશ મિસાઈલ સિસ્ટમ’ જેવી સ્વદેશી સિસ્ટમનો ઉપયોગ કરીને મોટી સફળતા મેળવી હતી. ભારતે સ્વદેશી અને વિદેશી રડાર સિસ્ટમોને જોડીને એક મજબૂત અને સંકલિત સંરક્ષણ માળખું બનાવ્યું હતું, જેથી યુદ્ધ દરમિયાન યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈ શકાયા હતા. આ યુદ્ધ એક ‘નોન-કોન્ટેક્ટ, મલ્ટી-ડોમેન’ સંઘર્ષ જેવું હતું, જેમાં જમીન, હવા, સાયબર અને અન્ય ક્ષેત્રોનો ઉપયોગ કરાયો હતો. આમ, તેમાં ગતિશીલ અને બિન-ગતિશીલ શસ્ત્રોનો ઉપયોગ પણ થયો, જે ભવિષ્યમાં થનારા યુદ્ધોનું ઉદાહરણ છે. જનરલ ચૌહાણે કહ્યું હતું કે, આર્થિક દૃષ્ટિકોણથી વિચારીએ તો લડ્યા વિના લાંબા સમય સુધી સૈન્ય દળોને યુદ્ધ માટે તૈનાત રાખવા એ ખૂબ ખર્ચાળ સાબિત થાય છે. તેથી ભારત ઓપરેશન સિંદૂર ઝડપથી આટોપી લીધું હતું. લાંબો સમય ચાલતું યુદ્ધ કોઈપણ દેશના વિકાસમાં અવરોધ સર્જે છે. દુશ્મન પણ આ વાત સમજે છે.