શ્રીમંત (બેબી શાવર)માં હાજરી આપીને પરત ફરતા લોકોને નડ્યો ગમખ્વાર અકસ્માત, પીકઅપ વાહન પલટી મારી જતાં 14 લોકોના દર્દનાક મોત
મધ્યપ્રદેશના ડિંડોરીથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ડિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. આ સાથે આ દુર્ઘટનામાં 21 લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ શાહપુરા પોલીસ સ્ટેશન અને બિછિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના બડઝરના ઘાટમાં એક પીકઅપ વાહન નિયંત્રણ બહાર જતાં પલટી મારી જતાં એક સાથે 14 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ અકસ્માતનો ભોગ બનેલા લોકો બેબી શાવરમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.
- Advertisement -
Madhya Pradesh CMO tweets, "Dr. Mohan Yadav has expressed deep condolence over the loss of many precious lives in a vehicle accident in the Dindori district…Rs 4 lakh ex-gratia to be given to the kin of the dead. Instructions have been given to the district administration for… https://t.co/ZBcXxcGl77 pic.twitter.com/Jyo3QD0dLA
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 29, 2024
- Advertisement -
મધ્યપ્રદેશના ડિંડોરીના શાહપુરા પોલીસ સ્ટેશન અને બિછિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના બડઝરના ઘાટમાં દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. એક પીકઅપ વાહન નિયંત્રણ બહાર જતાં પલટી મારી ગયું હતું. જેમાં 14 લોકોના મોત થયા તો અન્ય 21 જેટલા ઘાયલોને શાહપુરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. આ તરફ આ ઇજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જોકે અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.