સુરત, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટથી ઉમેદવારો મેદાનમાં ઉતર્યા
ત્રણેય પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે મતદારોને રીઝવવા પ્રયાસ
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રણેય પક્ષે જંગ જામ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 31 ફોર્મ ભરાયા હતા, જેમાંથી ફોર્મ ચકાસણી દરમ્યાન એકથી વધુ ઉમેદવારીપત્રક ભર્યા હોવાનાં કારણે તથા ડમી ઉમેદવારોનાં મળી કુલ 12 ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને 19 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. વિસાવદરની પેટા ચૂંટણી માટે ચાર રાજકીય પક્ષો અને 15 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. જે ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે તેમાંથી મોટાભાગના ઉમેદવારો વિસાવદર મત ક્ષેત્રની બહારના છે. અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, ગાંધીનગરથી પણ ઉમેદવારો ઊતરી પડયા છે. વિસાવદરની પેટા ચૂંટણી હાઈ વોલ્ટેજ ડ્રામા બની ગઈ છે. વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપસહિત કુલ 31 ફોર્મ ભરાયા હતા. જેમાં હતા તથા તેઓએ ડર્મી મુખ્યપક્ષના ઉમેદવારોએ એકથી વધુ ઉમેદવારો રાખ્યા હતા. ડમી ઉમેદવારોએ એકથી વધુ ફોર્મ ભર્યા હતા. આજે ચકાસણી દરમ્યાન એકથી વધુ ફોર્મ ભર્યા હોય તેવા ફોર્મ તથા ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ટેકનિકલ ખામી તથા અન્ય કોઈ કારણથી કોઈપણ ઉમેદવારનુંફોર્મ રદ થયું નથી. ડમી અને એકથી વધુ 12 ફોર્મ રદ થતા હવે 19 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. બુધવાર અને ગુરૂવાર ફોર્મ પરત ખેંચવા માટેના બે દિવસ છે. હવે કેટલા ફોર્મ પરત ખેંચાય છે તે સ્પષ્ટ થયા બાદ ચૂંટણી તંત્ર દ્વારા હરીફ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે. આ દરમિયાન, એવી રસપ્રદ વિગત સામે આવી છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ઉમેદવારો મેદાનમાં છે. 19 ઉમેદવારોમાંથી 3 માન્ય રાજકીય પક્ષના ઉમેદવારો છે, જ્યારે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નોંધાયેલ રાજકીય પાર્ટી અને 15 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરી દીધા છે. જીત સહેલી બની જાય તે માટે મતનું વિભાજન થાય તેથી અલગ-અલગ ર લગ-અલગ રાજકીય પક્ષોએ આવી વ્યુહરચના બનાવી હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. 19 પૈકી મોટાભાગના ઉમેદવારો પોતાને જ મત આપી શકે તેમ નથી, કેમ કે, તેઓના વિસાવદર વિધાનસભા મતવિસ્તારની મતદાર પાદીમાં નામ નથી.
જંગલની ગામડાઓમાંથી કાઢી નાખવામાં આવી હોવાના મુદ્દે વિવાદ વધુ વકર્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે કિરીટ પટેલે મત લેવા માટે છેતરપિંડી કર્યાનું આળ મુકાયું છે. મુખ્યમંત્રીને જેની સત્તા જ નથી તેવું મુખ્યમંત્રીના નામે બોલી તેને અભિનંદન આપી પ્રાને મુરબ બનાવવાનું કામ કરવાના મુદ્દે હવે રાજકારણ શરૂ થયું છે. વિસાવદરના અમુક ગામડાઓને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા હોવાના વિવાદ વચ્ચે આપે દ્વારા ભાજપ તથા મુખ્યમંત્રીને પાકાર ઠેકાયો છે. તેની માંગણી છે. કે, ક્યારે વનતંત્ર અને રેવન્યુએ આ અંગેનો સર્વે કરાવ્યો? સર્વે માટેનું જાહેરનામું ક્યારે બહાર પડયું ? એ સર્વે કેન્દ્રીય વન વિભાગને ક્યારે મોકલવામાં આવ્યો ? કેન્દ્રીય વન વિભાગે તેને કક્યારે મંજુરી આપી? કેન્દ્રીય વન વિભાગે ક્યારે સુપ્રિમ કોર્ટમાં આ અંગેની અરજી કરી ? સુપ્રિમ કોર્ટે મંજુરી માટેનો ક્યારે હુકમ કર્યો ? તે તમામ મુદ્દાનો ખુદ મુખ્યમંત્રીએ જવાબ આપવી પડે. કેમ કે, મુખ્યમંત્રીની રૂબરૂમાં જ ભાજપના ઉમેદવારે મત લેવા માટે આવું જુઠાણું ચલાવ્યું છે. ઉમેદવાર ચૂંટણીમાં છેતરપિંડી કરે ત્યારે બંધારણીય થડા મુખ્યમંત્રી છેતરપિંડીમાં ભાગીદાર થાય. બંધારણીય હોદાનો ઉપયોગ ક્યારેય પેય ચૂંટણી જીતવા માટે થઈ શકે નહી તેવો આપના નેતા સાગર રબારી તથા પ્રવિણ રામે આક્ષેપ કર્યો હતો.