મોરબી બ્રિજ દુર્ઘટના બાદ તમામ બ્રિજની ચકાસણી
145 કરોડનાં ખર્ચે તમામ બ્રિજ નવા બનાવાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજ રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આજ રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં ખાસ કરીને જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાન સાધના યોજનાની અંદર મોટો બદલાવ લાવવાનો નિર્ણય આરોગ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. સરકારે આખી યોજનામાં બદલાવ લાવી અને નવો ઠરાવ કર્યો છે તો બીજી તરફ 1250 જેટલા ગુજરાત કેડરના અધિકારીઓની 5 વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડીંગ રહેલી ફરિયાદોને એક મહિનાની અંદર નિકાલ કરવા માટે પણ સુચનાઓ આપવામાં આવી છે. જેને સજા કરવાની હોય તેને સજા આપે ને જે નિર્દોષ હોય તેને નિર્દોષ છોડે. પ્રવક્તા મંત્રી ઋષિકેષ પટેલે આ અંગે પત્રકાર પરિષદ કરી અને કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી.
સિગ્નેચર બ્રિજની કામગીરી અંગે ચકાસણી કરાઈ
સીંગ્લા કંપની ઘણી જગ્યાએ બ્રિજનું કામ કરે છે. સિગ્નેચર જ્યા બ્રિજ બનાવે છે ત્યાં પણ પૂરતી અને પુન: ચકાસણી કરી છે અને કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. મોરબી બનાવ પછી 35,700 પુલની ચકાસણી કરી છે, જેમાં 12 પુલ ભયજનક જણાયા, 12 પુલ રીટ્રો ફીટીંગ કર્યા છે. આ તમામ 24 પુલ 145 કરોડના ખર્ચે નવા બનાવવા માટે ટેન્ડર પણ કરી દેવાયા છે.
- Advertisement -
ખાતાકીય તપાસ ઝડપથી પૂરી કરવા આદેશ
1,250 પ્રાથમિક તપાસ કે જે છેલ્લા 5 વર્ષ કરતાં વધારે સમય કરતાં પહેલાના કેસ છે, આ કેસનો નિકાલ કરી ઝડપી કાર્યવાહી કરવાની સૂચના મુખ્ય સચિવ દ્વારા દરેક વિભાગને આપવામાં આવી છે. કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય તેને નિવૃત્તિના આગળના વર્ષે જ તેની ચાર્જશીટ આપવામાં આવે તેવી સુચના અપાઈ છે. સીએમ ડેશબોર્ડમાં સમગ્ર રાજ્યના હેલ્થ વિભાગના ડેટા જોવા મળે તેવા પ્રયાસો શરૂ થયા છે. શાળા પ્રવેશોત્સવની અંદર પણ રાજ્યકક્ષાએ ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર, મુન્દ્રા, કચ્છ અને ભુજમાં હાજર રહેશે. અન્ય જગ્યાએ મુખ્ય અધિકારીઓ મુલાકાત લેશે અને બાળકોને પ્રવેશ અપાવશે. તે સ્કૂલનું સ્તર કેટલું છે? તેની પણ તપાસ કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.