ગાયને રાષ્ટ્રમાતાનો દરજજો આપો
પ્રયાગરાજમાં યોજાઇ રહેલા મહાકુંભમાં જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીની શિબિરમાં 1100 પુજારીઓ ગાયને રાષ્ટ્રમાતાનો દરજજો અપાવવા માટે મહાયજ્ઞ કરશે.
- Advertisement -
આ સૌથી મોટા યજ્ઞકુંડનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે જેમાં આ મંડપમાં 324 કુંડ અને 9 શિખર છે. એમાં યજ્ઞ એક મહિનો ચાલશે અને રોજ 9 કલાક યજ્ઞ કરવામાં આવશે. સ્વામી અવિમુકતેશ્વરાનંદે ગાયને રાષ્ટ્રમાતાનો દરજજો અપાવવા માટે પહેલા અનેક વાર અવાજ ઉઠાવ્યો છે. મહારાષ્ટ્રે ગાયને રાષ્ટ્રમાતાનો દરજજો આપ્યો ત્યારે તેમણે એ નિર્ણયની પ્રશંસા કરી હતી.
હવે તેઓ ગાયને રાષ્ટ્રીય સ્તરે આ દરજજો અપાવવાની માંગણી કરી રહ્યા છે. આ માંગણીના સમર્થનમાં આ મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે.
પ્રયાગરાજમાં મહાકુંભ માટે દેશના ખુણે ખુણેથી નાગા સાધુઓ પહોંચી રહ્યા છે અને તેઓ હઠ યોગની કઠોર તપસ્યાનું પ્રદર્શન કરતા જોવા મળે છે. એવામાં શંભુ પંચાયતી અટલ અખાડાના પ્રમોદગીરી મહારાજે સવારે 4 વાગ્યે ઉઠીને શિયાળાની કડકડતી ઠંડીમાં 61 ઘડા ભરેલા પાણીથી સ્નાન કર્યુ હતું.
- Advertisement -
આમ તો આ રસમ 41 દિવસ સુધી રોજ કરવાની હોય છે. પણ મહાકુંભમાં જગ્યા અને સમયના અભાવે આ રસમ માત્ર 21 દિવસ કરવામાં આવશે. આ અનોખા અનુષ્ઠાનના પહેલા દિવસે 51 ઘડા ભરેલા પાણીથી શરૂઆત કરવામાં આવી હતી. એ પછી દરરોજ તિથિ મુજબ બે કે ત્રણ ઘડા વધારીને લેવામાં આવે છે. ગઇકાલે પ્રમોદગીરી મહારાજે 61 ઘડા પાણીથી સ્નાન કર્યુ હતું.