સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે. લગ્નથી બે પરિવારો એક થતા હોય છે. 21મી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચો કરીને પોતાનો રૂઆબ દેખાડાવાના પ્રયાસમાં લાખો-કરોડો રૂપિયાના આંધણ કરતા હોય છે. તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે અને સમગ્ર સમાજ એકત્ર થઇ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે. આવા જ એક સમૂહ લગ્ન સુત્રાપાડાના હરણાસા ગામે આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં ગામની 11 દીકરીઓના લગ્ન એક જ માંડવા નીચે કરવામાં આવ્યા હતા. હરણાસા આહીર સમાજ દ્વારા કરવામાં આવેલી આ પહેલને અન્ય સમાજના લોકો દ્વારા વધાવી લેવામાં આવી છે. સમૂહ લગ્નના આયોજનમાં સમગ્ર ગામના લોકોએ ઉત્સાહપૂર્વક યથાશક્તિ ભાગીદારી નોંધાવી આ પ્રસંગને દિપાવ્યો હતો. આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે, કોઇ પણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજવામાં આવ્યો. કોઇપણ ભેદભાવ વિના સમગ્ર ગામે એક પરિવારની જેમ પોતાના આંગણે આવેલા આ પ્રસંગને ઉજવ્યો હતો.આહીર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ સહિત આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાદગી પૂર્ણ સમૂહ લગ્ન આયોજન સૌ માટે આયોજન પ્રેરણાદાયી બન્યું.
હરણાસા ગામ સમૂહ લગ્નમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
Follow US
Find US on Social Medias