કિશોરીઓના માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી માટે કીટ અને બુકલેટ વિતરણ કરાયું
ખાસ ખબરસંવાદદાતા
મેંદરડા તાલુકાના નાગલપુર ગામમાં માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી જાગૃતિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 107 જેટલી કિશોરીઓ સહભાગી થઇ હતી.
- Advertisement -
જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા ડીસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ તાલીમમાં કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન રાખવાની થતી સ્વચ્છતા-તકેદારી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે કિશોરાવસ્થામાં થતા શારીરિક-માનસિક ફેરફારથી પરિચિત થાય તે માટે દીકરીઓને માસિક ધર્મ સ્વાસ્થ્ય જાળવણી અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
મહત્વનું છે કે, સમાજમાં કોઈ પરિવાર કે, કુટુંબની દીકરીઓ કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેમનામાં શારીરિક માનસિક બદલાવ આવે છે. ત્યારે આ સંવેદનશીલ મુદ્દે મુક્તપણે ચર્ચા કરી શકતા નથી. જેથી આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.
આ ઉપરાંત માસિક ધર્મ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા અને ખોરાક અંગે પણ કિશોરીઓને સમજ આપવામાં આવી હતી. આ સાથે તાલીમમાં સહભાગી થયેલ કિશોરીઓને માસિક ધર્મ સ્વાસ્થ્ય જાળવણી કીટ અને બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.