જર્જરિત મકાનથી રાહદારીઓને અકસ્માતનો ભય
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં વર્ષો જૂની ઇમારતો હજુ પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે. ત્યારે શહેરના લાતી બજારમાં આવેલ એક 100 વર્ષ જૂની ઇમારત જર્જરિત થઇ ગઇ છે. આથી પસાર થતા રાહદારીઓને અકસ્માત થવાનો ભય રહે છે. સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં વર્ષો જૂના મકાનો અને ઇમારતો સારસંભાળના અભાવે જર્જરિત હાલતમાં જોવા મળે છે. હાલ ચોમાસુ સિઝન શરૂ થઇ ગઇ હોવાથી ભારે પવનો અને વરસાદ થતો હોવાથી આવા જર્જરિત મકાન પડવાનો ભય રહેતો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારના લાતી બજારમાં 100 વર્ષ જૂનુું મકાન પડુ પડુ હાલતમાં છે. જે જર્જરિત થઇ ગયું હોવાથી આ વિસ્તારના લોકો અને પસાર થતા રાહદારીઓને અહીં અકસ્માત સર્જાવાનો સતત ભય રહે છે. આથી તંત્ર દ્વારા આવા મકાન સામે કાર્યવાહી હાથ ધરવા લોકમાંગ ઊઠી છે.