રાજકોટની વી.પી. આંગડિયાના દલવાડી સર્કલ પાસે કારમાં ચાર બૂકાનીધારી શખ્સો ત્રાટકયા
કારચાલકને માર મારી સેકન્ડોમાં અંદર રહેલી માલમત્તાની લૂંટ ચલાવી લૂંટારૂઓ નાસી છૂટયા: એલસીબી સહિત પોલીસ દોડી ગઈ
મોરબીમાં આજે સવારના સમયે મોરબી જિલ્લા પોલીસને દોડતી કરી દે તેવી આંગડિયા લૂંટની ઘટના ઘટી હતી. દલવાડી સર્કલ પાસે ઉભેલી રાજકોટના આંગડિયા પેઢીની કારને ચાર બૂકાનીધારી શખસોએ આંતરી અંદરથી 1.20 કરોડની માલમત્તાની લૂંટ ચલાવ્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.
- Advertisement -
બનાવ સ્થળે દોડી ગયેલી પોલીસે કારચાલકની લૂંટની ઘટના કઈ રીતે બની તે જાણ મેળવવા પૂછતાછ આરંભી છે.બનાવની પોલીસના વર્તુળોમાંથી પ્રા થયેલી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે રાજકોટ પાસિગની સ્વિફટ ડીઝાયર કાર પડી હતી ત્યાં એક લકઝરીયસ કારમાં અચાનક ચાર બૂકાનીધારી શખસો આવી ચડયા હતા અને કારમાં બેઠેલા ચાલકને તથા અન્ય એક કર્મચારીને માર મારી રોકડ ભરેલો થેલો માલમત્તા લૂંટીને ફરાર થઈ ચૂકયા હતા. બનાવ અંગે આંગડિયા પેઢીના કારચાલકે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.
પ્રાથમિક તબકકે પોલીસને એવી માહિતી મળી હતી કે, રાજકોટની વી.પી. આંગડિયા પેઢી નામની કાર મોરબી આવી હતી. ખાનગી બસમાં મોટી રોકડ રકમ આવવાની હતી તે રકમ કલેકટ કરવા માટે આ કાર આવી હતી. એ સમય દરમિયાન જ પલવારમાં 1.20 કરોડની માલમત્તાની લૂંટ થઈ હતી. કારધારકના અજાણતા લૂંટ બની કે લૂંટની ઘટના બની કેકોઈ ભેદી સંડોવણી ? તે વિશે પણ પોલીસને શંકાઓ ઉપજી છે જેને લઈને કારચાલકની ઘટના સંદર્ભે પૂછપરછ હાથ ધરાઈ છે.બીજી તરફ આંગડિયા લૂંટ થયાનું માનીને પોલીસે નાકાબંધી કરાવી તેમજ માર્ગ પરના સીસીટીવી ફટેજ ચેક કરવાની કાર્યવાહી પણ આરંભી છે. હાલના તબકકે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. રાજકોટના આંગડિયા પેઢીના સંચાલકોને જાણ થતા તેઓ પણ મોરબી દોડી ગયાનું જાણવા મળે છે. કઈ પાર્ટીનો કેટલો માલ હતો ? શું મત્તા હતી ? તે વિશે પોલીસ અંકોડા મેળવી રહી છે. પોલીસ દ્રારા આ લૂંટનો ભેદ ઉકેલાય જવાનો પણ આશાવાદ સેવાયો છે.
આ પણ વાંચો:
- Advertisement -
https://khaskhabarrajkot.com/2022/03/31/modi-is-the-most-powerful-person-in-the-country/