ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત મહાજન દ્વારા સંચાલિત કે.કે.વી. હોલ, રાજકોટ ખાતે ઉનાળાના બડબડતા તાપમાનને ધ્યાને રાખી અને નાગરિકોને તાજગી અને આરામ આપવાના હેતુથી પાણીનું પરબ શરૂ કરવામાં આવ્યું છે. આ પરબ દ્વારા ઉનાળાના ગરમ દિવસોમાં પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને નિ:શુલ્ક સ્વચ્છ પીવાનું પાણી પ્રદાન કરવામાં આવે છે. પાણીનો પરબ એ માત્ર એક સેવા નથી, પરંતુ સમાજને સુખ અને શાંતિ પ્રદાન કરવાનો પ્રયાસ છે. આ ઉપરાંત, આ લોકેશન પર બપોરના સમયે બે થી ત્રણ છાશ કેન્દ્ર પણ ચાલુ રાખવામાં આવેલ છે, જેનો જાહેર જનતા લાભ લઈ શકે છે. છાશ કેન્દ્રના માધ્યમથી નાગરિકોને ઉનાળાની ગરમીમાં ઠંડક અને પૌષ્ટિક તાજગી ઉપલબ્ધ થાય છે.