આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી છવાઇ ગમગીની
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટમાં વધતાં જતાં હાર્ટએટેકના બનાવો વચ્ચે ગઈકાલે ત્રણ લોકોના મોત નિપજ્યાં બાદ આજે પોલીસ ભરતીની તૈયારી કરતાં વધુ એક યુવકનું મોત થયું છે મવડી મેઈન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતો વિશાલ અશોકભાઈ કોળિયા ઉ.26 ગઈકાલે પોતાના ઘરે અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ મોત નીપજ્યું હતું.
- Advertisement -
બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસનો કાફલો દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. તે પોલીસ ભરતીની તૈયારી કરતો હતો. થોડાં સમય પહેલાં જ પોલીસમાં જોડાવા માટે એપ્લાય થયાં બાદ નિયમિત રનિંગ કરતો હતો કાલે પણ સાંજના સમયે ઘરેથી રનિંગ કરવાં નીકળ્યાં બાદ રાતે ઘરે બેભાન થઈ ગયો હતો. બનાવથી પરિવારે આશાસ્પદ યુવાન ગુમાવતાં ગમગીની છવાઈ હતી.