By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હુથી વિદ્રોહીઓના હુમલા બાદ યમનના સનામાં ઇઝરાયલી બોમ્બમારાથી છ લોકોના મોત
    1 day ago
    ભારત દ્વારા પાણી છોડવામાં આવતાં પંજાબની નદીઓમાં પાણી ભરાયા
    2 days ago
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    4 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    5 days ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડોડામાં વાદળ ફાટવાથી જમ્મુ-કાશ્મીરના ગાંધોર અને થાથરીમાં અચાનક પૂર આવતા ચાર લોકોના મોત; અનેક ઘરોને નુકસાન
    10 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું
    11 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું
    11 hours ago
    Fake Medicine Racket: આવકવેરાની તપાસ શરૂ, નકલી દવા સિન્ડિકેટ ચેન્નાઈથી નેપાળ સુધી ફેલાયું; 450 કરોડનું ટર્નઓવર
    12 hours ago
    સમય રૈનાએ દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી 
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    1 day ago
    ડ્રીમ11 એ BCCI ને કહ્યું કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં; બોર્ડે સત્તાવાર રીતે કરાર સમાપ્ત કર્યો
    1 day ago
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    4 days ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    1 week ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની ઘરે બંધાશે પારણું
    1 day ago
    સાઉથ ઈન્ડિયાની એ ફિલ્મ જેમાં બોબી દેઓલ થલાપતિ વિજયની સામે એક વિલનનો રોલ પ્લે કરશે
    1 day ago
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    4 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    6 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    13 hours ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    1 day ago
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    3 days ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    4 days ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી
    1 day ago
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    5 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    6 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    7 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક લખનારે જ 134થી વધુ બાળકો/મહિલાઓનો ભોગ કેમ લીધો?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક લખનારે જ 134થી વધુ બાળકો/મહિલાઓનો ભોગ કેમ લીધો?
ગુજરાતરાજકોટ

‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક લખનારે જ 134થી વધુ બાળકો/મહિલાઓનો ભોગ કેમ લીધો?

Khaskhabar Editor
Last updated: 2022/11/03 at 5:45 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

મોરબી ઝૂલતો પુલ 30 ઓક્ટોબર 2022ના રોજ તૂટી પડ્યો, તેમાં 134થી વધુ બાળકો/મહિલાઓ/પુરુષોનો ભોગ લેવાયો. આ પુલનું રીનોવેશન કરી તેને ફરી ખૂલ્લો મૂકનાર ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હતા. રીનોવેશનના પાંચમાં દિવસે જ પુલ તૂટી ગયો, તેથી જયસુખ પટેલ ભૂગર્ભમાં જતા રહ્યા છે. પોલીસે મેં-માથા વગરની ઋઈંછ દાખલ કરી છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે જયસુખ પટેલ ઉપર સત્તાના ચાર હાથ છે ! આમ તો જયસુખ પટેલે લખેલ પુસ્તક ‘સમસ્યા અને સમાધાન’ વાંચીએ તો ખ્યાલ આવે કે ગાંધીજી અને સરદાર પટેલ કરતા પણ બે મજબૂત વ્યક્તિના શક્તિશાળી ચાર હાથની કૃપા તેમની ઉપર છે !

‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક 18 મે 2019ના રોજ પ્રસિદ્ધ કર્યું હતું. પ્રસ્તાવનામાં જયસુખ પટેલ લખે છે : માણસની કહેણી અને કરણીમાં બહુ મોટું અંતર હોય છે, તો માણસોથી બનતાં દેશ/રાષ્ટ્રમાં પણ આ વાત લાગુ પડતી હોય છે. મેં મારા છેલ્લા 30 વરસના અનુભવ અને સેંકડો વિદેશ પ્રવાસ દરમિયાન જોયું, અનુભવ્યું છે. સામાન્ય લોકો હોય કે શાસકો, જરુરી બાબતો, મુદ્દાઓ, પરિસ્થિતિઓ અને નિર્ણયો કરતાં બીજી જ નિરર્થક પ્રવૃત્તિઓમાં અકારણ-સકારણ ગૂંચવાયેલાં રહેતાં હોય છે. આ બધું જોઈને પીડા એ થતી હતી કે-તેનો ભોગ રાષ્ટ્ર બનતું રહે છે. (પેજ-3) આ પુસ્તકમાં 21 જુદી જુદી સમસ્યાઓ અને તેના સમાધાનની ચર્ચા કરવામાં આવી છે. ‘ભ્રષ્ટાચારના ભોરિંગ ભરડામાંથી ભારત ક્યારે મુક્ત થશે?’ નામના પ્રકરણમાં જયસુખ પટેલને ભ્રષ્ટાચારનો ઉકેલ સરમુખત્યારશાહીમાં દેખાય છે ! તેઓ લખે છે : આજે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. દેશને કેન્સરની જેમ કોરી રહ્યો છે. એ માટે આપણી સિસ્ટમ જવાબદાર છે. આજે સરકારી અધિકારીઓ/કર્મચારીઓ પર અંકુશ કે લગામ નથી, કોઈ જ પ્રકારની એકાઉન્ટીબિલિટી નથી. તેઓ કામ ન કરે તો કોઈ સજા/પનિશમેન્ટ/સસ્પેન્શન જેવી કાર્યવાહી થતી નથી. તેમને લોકોને હેરાન કરવાનો બિન્દાસ હક મળી ગયો છે. બે વર્ષ પહેલાં વડાપ્રધાને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નોટબંધી કરી હતી, પરંતુ આજે વધારે ભ્રષ્ટાચાર થાય છે. ભ્રષ્ટાચાર કરતી કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક જેલમાં નાખવી જોઈએ. દેશને ભ્રષ્ટાચારના ભોરિંગમાંથી સરમુખત્યાર જ મુક્ત કરી શકે, આપણા દેશમાં આવી ખાસ જરુર છે. (પેજ-47/ 48) ‘વિકાસ એટલે શું? સાચો વિકાસ ક્યારે દેખાશે?’ નામના પ્રકરણમાં લખે છે : આપણે બધા એટલી બધી નીચી કક્ષાએ જતાં રહ્યાં છીએ કે દેશનું/સમાજનું/ પરિવારનું/ગામનું કંઈપણ થાય આપણને વ્યક્તિગત કશું થવું ન જોઈએ. આપણા 1 રુપિયા માટે દેશને 100 રૂપિયાનું નુકશાન થવા દઈએ છીએ. કોઈપણ રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બને જ્યારે તેની પ્રજા પોતાના દેશને ખરેખરો પ્રેમ કરતી હોય. મને લાગે છે કે આપણો દેશ એવી વ્યક્તિ પાસે હોવો જોઈએ કે જે દંડાના જોરે રાજ કરે અને દંડાના ડરથી આપણને ઈમાનદાર દેશપ્રેમી બનાવે તેમજ નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ બજાવવાની ફરજ પાડીને કાન આમળે ! (પેજ-73) કાશ્મીર સમસ્યાનો ઉકેલ તેમની પાસ છે : આતંકવાદીઓને પકડીને જેલ કે પોલીસ સ્ટેશને મોકલવાને બદલે એન્કાઉન્ટર કરી સીધા જ યમરાજના દરબારમાં મોકલી દેવા જોઈએ. (પેજ-133)

- Advertisement -

‘આપણે ભારતીયો ગુલામી માનસ અને સ્વાર્થી માનસિકતા ક્યારે ત્યજીશું?’ નામના પ્રકરણમાં તેઓ લખે છે : આપણે ભારતીયો ફક્ત અને ફક્ત સ્વાર્થવૃતિ/ ગુલામીમાનસ/ બીજાએ જ બધું કરવાનું/ વગર મહેનતે મફતમાં મેળવવું/વધારે લાભ લેવો/ અનૈતિકતા/હલકાહીન વિચારો/ જરપોકપણું/ મોટી મોટી વાતો કરીએ છીએ. આપણામાં રાષ્ટ્ર પ્રત્યેની લાગણી ફક્ત બોલવા માટે છે, આચરણ માટે નથી. જેના કારણે આપણો દેશ ક્યારેય પણ દુનિયામાં આગવું સ્થાન ધરાવી શકશે નહીં. (પેજ- 158) ‘દેશને બરબાદ કરતું અનામતનું દૂષણ ક્યારે ખતમ થશે?’ નામના પ્રકરણના મથાળે પાટીદાર અનામત આંદોલનની અમદાવાદ ૠખઉઈ ગ્રાઉન્ડની લાખોની મેદનીવાળી સભાનો ફોટો મૂક્યો છે. ‘સામાજિક ન્યાય’ની નીતિનો કચ્ચરઘાણ કરતા તેઓ લખે છે : અનામત પ્રથાએ દલિતો અને સવર્ણલોકો વચ્ચે વૈમનસ્ય/વેરભાવ વધાર્યું છે. અનામત દેશના વિકાસમાં ઘણી જ રુકાવટ કરે છે. અનામતના કારણે બિનઆવડતવાળા આગળ આવે છે. તેથી દેશમાં લો-ઓર્ડર/ વિકાસના કામો/ સાચા નિર્ણયો/ બરાબર અમલીકરણ કરવામાં પાછળ રહી જઈએ છીએ. કેમકે બિનઆવડત/નોલેજ/એજ્યુકેશન વગરના લોકો હોદ્દા પર આવે છે. તેમની પાસે લાયકાત/ હેસિયત /જ્ઞાન/ આવડત હોતી નથી. જેથી વિકાસમાં બાધા આવે છે. અનામતના કારણે લાયકાત ન હોવા છતાં પ્રમોશન મળી જાય છે. અનામત પ્રથા બંધ કરવાનો હાર્ડ ડિસિઝન લેવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી હાર્ડ/બોલ્ડ નિર્ણયો લેવા માટે સક્ષમ છે. 70 વરસ પછી દેશને એવા નેતા મળ્યા છે જે દેશ માટે કંઈક કરવાની ઈચ્છાથી આગળ આવેલ છે, અને દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચી ગયા છે. અનામત પ્રથાનો સંપૂર્ણપણે નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય લે તો આવનારી પેઢીનું કલ્યાણ થાય. આ બન્ને નેતાઓને ગાંધીજી, સરદાર પટેલની જેમ લોકો યાદ કરશે. (પેજ-156 /157)

‘સમસ્યા અને સમાધાન’માં લેખકે; સમસ્યાઓ/સમાધાન સમજવાને બદલે વડાપ્રધાન/ગૃહમંત્રીને; ગાંધીજી/સરદાર પટેલની ભૂમિકાએ મૂકવાની ભક્તિ વધુ દેખાડી છે ! જયસુખ પટેલ અતિ રાષ્ટ્રવાદી બનીને ઉપદેશ આપે છે, તેનું પાલન પોતે કર્યું હોત તો 134થી વધુ લોકો આજે જીવતા હોત !તિ

You Might Also Like

રાજુલા પોલીસે પોકસો કેસના ફરાર આરોપીની ધરપકડ કરી

રાજકોટ ભાજપ દ્વારા રેસકોર્સમાં ગણપતિ મહોત્સવનું આયોજન

રવિવારે શ્રી પંચમુખી હનુમાનજીના મંદિર પાસે, ગરેડીયા કુવા રોડ, રાજકોટ ખાતે વિતરણ કરાશે

ખંડણી અને લૂંટના ચકચારી કિસ્સામાં ક્રાઈમ બ્રાન્ચની કાબિલેદાદ કામગીરી

રાજકોટમાં સિઝનનો સરેરાશ 27.11 ઈંચ વરસાદ: આજી-ન્યારી છલોછલ

TAGGED: book, BRIDGE, JAYSUKIHPATEL, machhuriver, morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જયસુખ પટેલને મોરબી હોનારતના 135 પરિવારો વતી જાહેર પત્ર
Next Article ફરાર જયસુખ પટેલ હરિદ્વારમાં જલ્સા કરે છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલા પોલીસે પોકસો કેસના ફરાર આરોપીની ધરપકડ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ ભાજપ દ્વારા રેસકોર્સમાં ગણપતિ મહોત્સવનું આયોજન
રવિવારે શ્રી પંચમુખી હનુમાનજીના મંદિર પાસે, ગરેડીયા કુવા રોડ, રાજકોટ ખાતે વિતરણ કરાશે
ખંડણી અને લૂંટના ચકચારી કિસ્સામાં ક્રાઈમ બ્રાન્ચની કાબિલેદાદ કામગીરી
રાજકોટમાં સિઝનનો સરેરાશ 27.11 ઈંચ વરસાદ: આજી-ન્યારી છલોછલ
કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકા દ્વારા લાસવેગાસમાં ત્રિદિવસીય ગ્લોબલ ક્ધવેન્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

રાજુલા પોલીસે પોકસો કેસના ફરાર આરોપીની ધરપકડ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રાજકોટ ભાજપ દ્વારા રેસકોર્સમાં ગણપતિ મહોત્સવનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રવિવારે શ્રી પંચમુખી હનુમાનજીના મંદિર પાસે, ગરેડીયા કુવા રોડ, રાજકોટ ખાતે વિતરણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?