By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈ એર શોમાં ભરતીય તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાઈલટનું મોત
    2 days ago
    બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા, 10ના મોત અને 100 જેટલા ઘાયલ
    2 days ago
    બ્રાઝિલમાં ઈઘઙ30 ક્લાઇમેટ સમિટમાં ભયંકર આગ: 13 ઘાયલ
    3 days ago
    મધ્ય વિયેતનામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 41 થયો, વધુ ભારે વરસાદની આગાહી
    3 days ago
    યુક્રેન શાંતિ યોજનામાં હસ્તાક્ષર કરો, અને કા તો સત્તા છોડો : ટ્રમ્પનું ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ
    3 hours ago
    ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી
    3 hours ago
    બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો
    3 hours ago
    ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીના મોતની આશંકા, 17થી વધુ ઘાયલ
    3 hours ago
    ભારતીય પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પરત લેવા ભુતાન માટે રવાના થયા
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    6 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 week ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 week ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    2 weeks ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હી-મેન થયા પંચતત્વમાં વિલીન, પ્રધાનમંત્રી મોદીએ એક યુગનો અંત ગણાવ્યો
    4 hours ago
    ધર્મેન્દ્રના નિધન પર ફિલ્મ જગતમાં શોક, તેમના જીવનની અમુક વાતો તાજી કરીયે
    4 hours ago
    એક યુગનો અંત: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન
    5 hours ago
    ટ્રમ્પના પુત્રએ અનંત-રાધિકા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી
    3 days ago
    સોશિયલ મીડિયામાંથી ભારતીય ક્રિએટર્સ વર્ષે 16 હજાર કરોડ કમાયા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દંડચક્ર, ક્રૌંચાસ્ત્ર, કાલપાશ અને જાૃંભકાસ્ત્ર કોના અસ્ત્ર હતાં?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > દંડચક્ર, ક્રૌંચાસ્ત્ર, કાલપાશ અને જાૃંભકાસ્ત્ર કોના અસ્ત્ર હતાં?
AuthorKinnar Acharyaખાસ-ખબરધર્મ

દંડચક્ર, ક્રૌંચાસ્ત્ર, કાલપાશ અને જાૃંભકાસ્ત્ર કોના અસ્ત્ર હતાં?

Khaskhabar Editor
Last updated: 2024/01/20 at 5:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

રાફડા માટેનો સંસ્કૃત શબ્દ છે, વાલ્મિક. તપશ્ર્ચર્યા સમયે ઉધઈનાં રાફડાથી ઢંકાઈ જવાના કારણે ઋષિનું નામ પડ્યું, વાલ્મિકી. બ્રહ્મ સરોવરમાંથી નીકળવાને કારણે નદીનું નામ પડ્યું, સરયુ. ઇરાવતિનાં પુત્ર હોવાનાં કારણે ઈન્દ્રનાં ગજરાજનું નામ પડ્યું, ઐરાવત. મહર્ષિ ભૃગુનાં પુત્ર હોવાના કારણે પરશુરામનું એક નામ ભાર્ગવ પણ છે. રાક્ષસો માટે એક બીજો શબ્દ પણ છે: યાતુધાન. યાતુ એટલે જાદુ અને ધાન અને એટલો જાણનાર. અર્થાત રાક્ષસો જાદુની વિદ્યા પણ જાણતા હતા, તેથી જ તેમને યાતુધાન કહેવાયા. કૃતવિર્યનાં પુત્ર હોવાનાં કારણે સહસ્ત્રાર્જુનનું એક નામ કાર્તિવીર્ય પણ છે. ગંગાનું નામ ત્રિપથગા શા માટે છે? કારણ કે, એવી માન્યતા છે કે એ ત્રણેય લોકમાં વહે છે.
આપણે રામાયણની રામાયણ માંડી છે. રામાયણના દરેક પાનાં પર કશીક એવી વાત આપણને વાંચવા મળે- જે ભાગ્યે જ આપણે જાણતા હોઈએ. અહીં આપણે એવી જ રોચક વાતો કરી રહ્યાં છીએ. રામાયણનાં દરેક પાત્રોનાં નામનો કશોક અર્થ છે, લગભગ પ્રત્યેક આંકડામાં કોઈ રહસ્ય છૂપાયેલું છે. મહર્ષિ અગસ્ત્યનું એક નામ કુંભજ એટલાં માટે પડ્યું હતું કે તેઓ કુંભમાંથી જન્મ્યા હતા. તેઓ એક વખત સિંધુ (સમુદ્ર) આખો પી ગયા હતા એટલે સિંધુપ તરીકે પણ ઓળખાયા. આપણે સૌ દરિયાને સાગર કહીએ છીએ. પણ ‘સાગર’ નામ પડયું કેવી રીતે? કહેવાય છે કે રાજા સગરએ તે ખોદાવેલો. વિનતાનાં પુત્ર હોવાને કારણે ગરૂડને વૈનતેય પણ કહેવાય છે. દૈત્યો એટલે દિતિનાં પુત્રો. દનુ દ્વારા ઉત્પન્ન થયા તે દાનવ તરીકે ઓળખાયા. અને અગ (પર્વત)ને સ્થંભિત કરી દેવાના કારણે અગસ્ત્યનું નામ અગસ્ત્ય રખાયું. અહલ્યાનો ઉદ્ધાર શ્રીરામે કર્યો હતો અને આપણને સૌને ખ્યાલ છે પણ તેનું નામ અહલ્યા પડ્યું શા માટે? હલ્ય (કુરૂપતા)નો એક અંશમાત્ર ન હોવાને કારણે. અને આ નામ તેને બ્રહ્માએ આપ્યું હતું. બાલી અને સુગ્રિવ ઋક્ષરાજનાં પુત્રો હતા એ આપણે જાણ્યું. પણ બેઉનાં નામ કેવી રીતે પડ્યા. ઋક્ષરાજે એક વખત સ્ત્રીનું રૂપ ધારણ કર્યું ત્યારે તેમનાં વાળ પર ઈન્દ્રનું વીર્ય પડયું, બાલ (વાળ) પર પડેલાં ટીપાંમાંથી જન્મ્યા એટલે બાલી. ઋક્ષરાજ સ્ત્રી બન્યા ત્યારે તેમની ગરદન (ગ્રિવા) પર સૂર્યદેવનું વીર્ય પડ્યું અને જે બાળકનો જન્મ થયો એ સુગ્રિવ.
હવે કેટલાંક રસપ્રદ આંકડાઓ: રામાયણ માહાત્મ્યનાં કુલ પાંચ અધ્યાય છે. રામાયણમાં કુલ 24 હજાર શ્ર્લોક છે. લક્ષ્મણે 12 વર્ષ સુધી નિંદ્રાનો ત્યાગ કર્યો હતો. લક્ષ્મણ એક જ સમયે 500 બાણ છોડી શકતા હતા. મંદોદરી ઉપરાંત રાવણની કુલ 1000 પત્નીઓ હતી. વિશ્ર્વામિત્રને કેટલાં પુત્રો હતાં? જવાબ છે, 100. તાડકા રાક્ષસીને 1000 હાથીઓનું બળ પ્રાપ્ત હતું. રાજા સગરનાં કુલ 60,001 પુત્ર હતા. ત્રેતાયુગને 12 લાખ 96 હજાર વર્ષનો માનવામાં આવે છે. કહેવાય છે કે, જાંબુવંતે સુગ્રિવને 10 કરોડ સૈનિકો આપ્યા હતા. સમુદ્ર મંથનમાંથી કુલ 14 રત્નો નીકળ્યા હતા.

નંદીશ્ર્વરે રાવણને શ્રાપ આપ્યો હતો કે તેઓ તથા તેના કુળનો સર્વનાશ વાનરોના હાથે થશે… બન્યું પણ એવું જ

- Advertisement -

વિશ્ર્વામિત્રએ મોદકી અને શિખરી નામની ગદા શ્રીરામને આપી હતી

માતા કૌશલ્યાએ 12 માસનાં ગર્ભ બાદ શ્રીરામને જન્મ આપ્યો હતો

આખી રામાયણ વરદાનો અને શ્રાપોથી છલોછલ છે, આ મહાન ગ્રંથમાં 82 વરદાન અને 61 શ્રાપ આવે છે

- Advertisement -

કહેવાય છે કે સમુદ્ર મંથનમાંથી કુલ છ કરોડ અપ્સરાઓ ઉત્પન્ન થઈ હતી. શિવની જટામાંથી ગંગાની સાત ધારાઓ વહી હતી. કુબેર સમકક્ષ બનવા રાવણે 10 હજાર વર્ષની તપસ્યા કરી હતી. રાજા સગરનાં કુલ 60,0001માંથી 60 હજાર પુત્રોને કપિલ મુનિએ ભસ્મ કરી દીધાં હતાં. માતા કૌશલ્યાએ 12 માસનાં ગર્ભ બાદ શ્રીરામને જન્મ આપ્યો હતો. અશ્ર્વમેધ યજ્ઞ સમાપ્ત થતા પૂરું એક વર્ષ થાય છે. મહર્ષિ વિશ્ર્વામિત્રએ પ્રજાપતિ કૃષાશ્ર્ચનાં પુત્રો એવાં 49 અશ્ર્વો શ્રીરામને આપ્યા હતાં. ઋષિ વસિષ્ઠનાં કુલ 100 પુત્રો હતા. શ્રીરામની સહાયતા માટે આવેલા લંગૂર જાતિનાં વાનરોની સંખ્યા 1 કરોડ હતી. ઈન્દ્રનું પદ પ્રાપ્ત કરવા માટે કુલ 100 યજ્ઞો અનિવાર્ય છે. રામનાં પુત્ર કુશને એક પત્ની હતી, લવને બે હતી. રાજા દશરથ પાસે આઠ મંત્રીઓ હતા. શ્રીરામે રાક્ષસ ખર સાથેનાં યુદ્ધમાં તેનાં 14 હજાર સૈનિકો હણ્યા હતા.
આખી રામાયણ વરદાનો અને શ્રાપોથી છલોછલ છે. પણ આ મહાન ગ્રંથમાં કુલ કેટલાં વરદાન અને કેટલાં શ્રાપ આવે છે, ખ્યાલ છે? 82 વરદાન અને 61 શ્રાપ. શ્રીરામની સેનાના નલ પાસે એવું વરદાન હતું કે તેના સ્પર્શ માત્રથી પત્થર પાણીમાં તરવા લાગશે. યમરાજે હનુમાનજીને વરદાન આપ્યું હતું કે, એ યુદ્ધમાં કદી પણ થાકશે નહીં. કોઈપણ શસ્ત્ર તેમને હણી શકશે નહીં, એવું વરદાન હનુમાનજીને બ્રહ્માએ આપ્યું હતું. રાવણને બ્રહ્માએ સિમિધમંત્ર આપ્યો હતો. વિભિષણને ચિરંજીવી હોવાનું વરદાન પણ બ્રહ્માએ જ આપ્યું હતું. ઈન્દ્રએ હનુમાનજીને ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું. સૂર્યદેવએ હનુમાનજીને પોતાના તેજનો એક્સોમો અંશ આપ્યો હતો. નંદીશ્ર્વરે રાવણને શ્રાપ આપ્યો હતો કે તેઓ તથા તેના કુળનો સર્વનાશ વાનરોના હાથે થશે. બન્યું પણ એવું જ. રાવણને બ્રહ્માએ શ્રાપ આપ્યો હતો કે એ પરસ્ત્રી સાથે જબરદસ્તી કરશે તો તેનાં માથાનાં સો ટુકડા થઈ જશે.
શ્રાપ-વરદાનથી વાત હવે આગળ ચાલે છે: અસ્ત્ર-શસ્ત્ર વિશે. મેઘનાદે હનુમાનજીને અશોકવાટિકામાં જે અસ્ત્રથી બાંધ્યા હતા, તેનું નામ બ્રહ્મપાશ. રાવણ શિવ પાસેથી એક મહાશક્તિશાળી તલવાર મેળવી હતી. નામ: ચંદ્રહાસ. મેઘનાદનો વધ ઈન્દ્રાસ્ત્ર દ્વારા થયો હતો. મહાશસ્ત્ર વજ્રનું નિર્માણ દધિચ ઋષિનાં હાડકાંમાંથી થયું હતું એ જાણીતી વાત છે. પણ, મોદકી અને શિખરી નામની ગદા શ્રીરામને કોણે આપી હતી, ખ્યાલ છે? જવાબ છે: વિશ્ર્વામિત્રએ. શ્રીરામને નારાયણાસ્ત્ર પણ વિશ્ર્વામિત્રએ જ આપ્યું હતું. વજ્રાસ્ત્ર, એપિકાસ્ત્ર અને વાયવ્યસ્ત્ર પણ તેમણે જ શ્રીરામને આપ્યા હતા. હજુ યાદી પૂરી નથી થઈ. દંડચક્ર, કાલચક્ર, વિષ્ણુચક્ર, ઇન્દ્રચક્ર, ધર્મપાશ, કાલપાશ, વરૂણપાશ, શિખરાસ્ત્ર, કૌંચાસ્ત્ર, સૌમ્યાસ્ત્ર પણ તેમણે જ શ્રીરામને આપ્યા હતા. અને આ બધા અસ્ત્રો તેમણે શિવનું તપ કરીને પ્રાપ્ત કર્યા હતા. ગંધર્વોના પ્રિય અસ્ત્રો સમ્મોહનાસ્ત્ર અને માનવાસ્ત્ર છે જ્યારે પિશાચોનું પ્રિય અસ્ત્ર એટલે મોહનાસ્ત્ર! એ ક્યું શસ્ત્ર છે, જેના પ્રયોગથી શત્રુસેના ઘેરી ઉંઘમાં સરી પડે છે? તેનામ નામ: જાૃંભકાસ્ત્ર. જે બાણનો આગળનો ભાગ અણીવાળો નહીં પણ ગોળ હોય- તેને શું કહેવાય? તેને કહેવાય: નારાચ. અને એ ભાગ તીક્ષ્ણ ફરસા જેવો હોય તો? તો કહેવાય: ભલ્લ. એ ભાગ હાથોની અંજલિ સમાન આકારનો હોય તો કહેવાય: અંજલિક. વાછરડાનાં દાંત જેવો હોય તો કહેવાય વત્સદંત અને સિંહની દાઢી જેવો હોય તો, સિંહદૈષ્ટ્ર. નાગપાશ વરૂણ દેવતાનું અસ્ત્ર છે અને મેઘનાદને એ ઇન્દ્રએ આપ્યું હતું. એ ક્યું અસ્ત્ર છે- જેનાં પ્રયોગથી પત્થરોની વર્ષા થાય છે? ઉત્તર છે, પર્વતાસ્ત્ર. તામસ નામનાં વિનાશક અસ્ત્રનાં સ્વામી કોણ છે? જવાબ: રાહુ.
કેટલાંક મહત્ત્વપૂર્ણ સ્થાન વિશે વાત. રામ વનવાસ ગયા ત્યારે પંચવટીમાં રહ્યા. પણ ભરત ક્યાં રહ્યાં? જવાબ: નંદીગ્રામ. વનવાસ દરમિયાન શ્રીરામ સૌથી વધુ સમય સુધી ચિત્રકૂટમાં રહ્યા હતા. શબરી જ્યાં રહેતી હતી એ વનનું નામ હતું, મતંગ વન. લંકા પહોંચીને શ્રીરામની વાનરસેનાએ જે પર્વત પાસે છાવણી નાંખી એ પર્વતનું નામ, સુવેલ. લંકા નગરી ત્રિકૂટ પર્વત પર સ્થિત હતી- ત્યાં પહોંચવા હનુમાનજીએ મહેન્દ્ર પર્વત પરથી છલાંગ લગાવી હતી. મહર્ષિ પરશુરામનો આશ્રમ પણ એ જ પર્વત પર હતો. વનવાસથી પરત આવ્યા બાદ શ્રીરામ પોતાની જટા ક્યાં કપાવી હતી? જવાબ : નંદીગ્રામ. રામ અને સીતા વનવાસ દરમિયાન પંચવટીમાં જ્યાં પર્ણકૂટિર બનાવીને રહેતા એ સ્થળ ગોદાવરી નદીને કાંઠે હતું. અચ્છા, એક અઘરો પ્રશ્ર્ન : કૈકેયી જ્યાંની રાજકુમારી હતી એ કૈક્ય દેશની રાજધાનીનું નામ શું હતું? જવાબ હું જ આપી દઉં છું : રાજગૃહ. ત્રીજો અને છેલ્લો લેખ સોમવાર, તા.22ના રોજ

You Might Also Like

દિલ્હીમાં વધતા હવા પ્રદૂષણને લઈને ઈન્ડિયા ગેટ પર વિરોધ

ભારતીય સંસ્કૃતિને અને યુવાઓને માનસિક સ્વાસ્થ્યને નષ્ટ કરતું હુક અપ કલ્ચર!

ફેમિલી પ્રેફરન્સ વિઝા પિટિશનમાં મહત્ત્વનો નિયમ

સ્પષ્ટ વક્તા: પ્રિય કે અપ્રિય

AI અને માનવીય ભાવનાઓ: હમે ઉનસે વફા કી હૈ ઉમ્મીદ, વો જાનતે નહિ વફા ક્યા હૈ!

TAGGED: Dandachakra, Jarmbhakastra, Kalpasha, Kraunchastra, weapons
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામમંદિર નિર્માણનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો તો રામમંદિર મુદ્દે યશ સંઘ-ભાજપને ફાળે કેમ?
Next Article શાસ્ત્ર જેની બુદ્ધિને આવકારે છે તથા જેની બુદ્ધિ શાસ્ત્રને અનુસરે છે અને પૂજ્ય પુરુષોએ બાંધેલી મર્યાદા ઓળંગતો નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ઉપલેટા નગરપાલિકાનું સિટી સિવિક સેન્ટર અચાનક બંધ થતાં અરજદારો હેરાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
પાળના નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તથા ભાગવત સપ્તાહનું આયોજન
રાજકોટ એસઓજીએ 179 ગ્રામ એમડી સાથે ગોધરાના પેડલર સહિત બેને ઝડપી લીધા
ઉદ્યોગનગરમાં બુટલેગરના આતંક સામે સ્થાનિકોનો ફાટી નીકળેલો રોષ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને 1500થી વધુ લોકોને યોગ ટ્રેનર બનવા આહવાન કર્યું
રાજુલાના પોલીસ કર્મચારી રવિરાજ વરૂ દ્વારા માનવતાનું જીવંત ઉદાહરણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાષ્ટ્રીય

દિલ્હીમાં વધતા હવા પ્રદૂષણને લઈને ઈન્ડિયા ગેટ પર વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

ભારતીય સંસ્કૃતિને અને યુવાઓને માનસિક સ્વાસ્થ્યને નષ્ટ કરતું હુક અપ કલ્ચર!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ફેમિલી પ્રેફરન્સ વિઝા પિટિશનમાં મહત્ત્વનો નિયમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?