ચૂંટણી સમયે ભ્રસ્ટાચારનું ભૂત ધુણતા ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદર નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર યોજના તથા નલ સેજલ યોજના હેઠળ નવી પાણીની લાઈનો નાખવાના કામમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોય અને તેમાં જિલ્લાના એક ચોક્કસ પક્ષના આગેવાનો દ્વારા એજન્સીમાં સામેલ થઈ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ હોય તે બાબતે એક આગેવાન દ્વારા આ બાબતેની સમગ્ર માહિતી એકઠી કરવામાં આવેલ છે અને ગમે તે ઘડીએ પોલીસ ફરિયાદ અથવા તો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવનાર છે.
- Advertisement -
નવી ચૂંટાયેલી બોડીમાં ભાજપના 21 જેટલા સભ્યો ચૂંટાયેલા છે સામે વિરોધ પક્ષમાં પણ કોઈ વાંધો વિરોધ કરે તેમ નથી ત્યારે નગરપાલિકાના હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પાણી પુરવઠાની લાઈનમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તે ભ્રષ્ટાચાર સામે કોઈ ઠરાવ કરી કે સરકારમાં રજૂઆત કરી તપાસની માગણી કરશે કે કેમ તે જોવાનું રહ્યું પરંતુ વિસાવદરના જાગૃત નાગરિક દ્વારા આ બાબતે જુદી જુદી જગ્યાએ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે મંજૂરી માગતી અરજીઓ કરી મંજૂરી માગેલ છે પરંતુ સરકાર તરફથી આ સંબંધે કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી અને કોઈ પગલાં ભરવામાં આવેલ નથી ત્યારે મંજૂરી ન આપનાર અને ગુનેગારોને છાવરનાર તમામ લોકો સામે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમથ રીટપીટીશન કરવાની પણ તજવીજ વિસાવદરના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં વિસાવદર શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે કંઈકના તપેલા ચડી જશે અને આ બાબતે કોઈ કાર્યવાહી નહિ કરાતા વિરોધપક્ષના લોકો આ બાબતે વિધાનસભાની ચૂંટણીમાં મુદ્દો ઉઠાવશે તો સતાધારી પક્ષને વિસાવદરની પ્રજાના મતોમાં કેટલો ફાયદો થશે તે જોવાનું રહ્યું.