ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના ઔદ્યોગિક એકમો દ્વારા સરકારી નેટવર્કથી ઉપયોગમાં લેવાતા પાણીના વપરાશ દરમાં ચાલુ નાણાકીય વર્ષથી સરેરાશ 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો છે. આ અંગે વિધિવત રીતે ટૂંક સમયમાં સરકારી પરિપત્ર જાહેર કરાશે.
લાંબા સમયથી ઉદ્યોગોએ દર વર્ષે 10 ટકા લેખે થતાં પાણીના દરના વધારા સામે રજૂઆતો કરી હતી. કોરોનાકાળ વખતે પાણીના દરમાં વધારાને રોકવાનો અગાઉની સરકારે નિર્ણય કર્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે, વર્ષ 2023- 24થી હવે પાણીના દર પ્રતિ વર્ષ 3 ટકા લેખે ઉદ્યોગો માટે વધારાશે એવા મતલબનો નિર્ણય સ2કા2 કક્ષાએ લેવાયો છે.
- Advertisement -
હાલ પ્રતિ 1000 લિટરે રૂમ.31.38ના દરે ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે. 2009થી શરૂ થયેલી પાણી નીતિમાં છેલ્લે 2018માં ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરો પુન: વિચાર કરીને નિયત કરાયા હતા. એ વખતે 2018-19માં સરદાર સરોવર નર્મદા નિગમ તથા જળસંપત્તિ વિભાગ દ્વારા આકારાતા રોવોટર રેટ વત્તા રૂમ.10 પ્રતિ હજાર, 2019- 20માં રોવોટર વત્તા રૂમ.14 પ્રતિ હજાર તેમજ 2020- 21માં રોવોટર વત્તા રૂમ.15.40 લેખે વસૂલવાની નીતિ લાગુ કરવામાં આવી હતી.
એ વખતે ઠરાવાયું હતું કે, દર વર્ષે 10 ટકા લેખેનો વધારો જ્યાં સુધી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કે ગુજરાત પાણી પુરવઠા બોર્ડનો વિતરણ ખર્ચ પૂરેપૂરો વસૂલ થઇ જાય ત્યાં સુધી કરવાનો રહેશે. પછી દર ત્રણ વર્ષે સરકાર દ્વારા સમીક્ષા કરાશે.
1 જુલાઇ, 2018થી સુધારેલા દર લાગુ થયા હતા. તાજેતરમાં સરદાર સરોવર નિગમ અને જળસંપત્તિ વિભાગે સંયુક્ત રીતે ઔદ્યોગિક વપરાશના પાણીના દરમાં ફેરફાર કરવાની દરખાસ્ત સરકાર સમક્ષ રજૂ કરી હતી.