296 બેઠકો, 1995 ઉમેદવારો, PM મોદીએ પણ કરી મતદાનની અપીલ
હિમંતાએ કામાખ્યા મંદિરમાં પૂજા કર્યા બાદ મતદાન કર્યું: એન્ટનીએ કહ્યું-કેરળમાં કોઈને ભાજપ પસંદ નથી: પુડુચેરીમાં LDF-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
આજે ત્રણ રાજ્યો આસામ, કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. કુલ 296 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં, આસામમાં 59.63%, કેરળમાં 49.70% અને પુડુચેરીમાં 56.83% મતદાન થયું હતું.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુવાહાટીના મા કામાખ્યા મંદિરમાં પૂજા કરી હતી. ત્યારબાદ તેઓ બપોરે તેમની પત્ની સાથે જાલુકબારી ગયા અને મતદાન કર્યું. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ વહેલી સવારે મતદાન કર્યું હતું. પુડુચેરીના ઈખ રંગાસ્વામી મતદાન કરવા માટે મોટરસાઇકલ પર પહોંચ્યા હતા. પૂર્વ રક્ષા મંત્રી અને કોંગ્રેસના નેતા એ.કે. એન્ટનીએ તિરુવનંતપુરમમાં મતદાન કર્યું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, કેરળના લોકો ભાજપને પસંદ કરતા નથી. રાજ્યમાં 10 વર્ષથી કુશાસનની સરકાર રહી છે. તેથી, આ વખતે સરકાર બદલાશે.
ત્રણેય રાજ્યોમાં લગભગ 10 લાખથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. કેરળમાં 70 વર્ષમાં પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રી હેટ્રિક માટે ચૂંટણી લડી રહ્યા છે. આસામમાં ભાજપ હિમંતા બિસ્વા સરમાના સહારે સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવ રમી રહી છે. જ્યારે પુડુચેરીમાં કોંગ્રેસમાંથી નીકળેલા એન. રંગાસામી પાંચમી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આસામની 126, કેરળની 140 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આસામની 126 બેઠકો માટે 722 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને બહુમતીનો આંકડો 64છે. મતગણતરી 4 મેના રોજ થશે અને તે જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે. આસામમાં 126 બેઠકો પર 41 પક્ષોના 722 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કેરળમાં 2.71 કરોડ મતદારો 890 ઉમેદવારોમાંથી પોતાના નેતા પસંદ કરશે. પુડુચેરીમાં 20 પક્ષોના 294 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે.



