6500 નો સ્ટાફ, 70 વિમાનો એર ઈન્ડીયામાં થશે શિફટ
આજે રાત્રે 12 વાગ્યે વિસ્તારાના સફર ઈતિહાસ બની જશે. 12 નવેમ્બરે વિસ્તારા એર ઈન્ડીયામાં શિફટ થઈ જશે. આ સાથે જ 2013માં બનેલી ટાટા સન્સ અને સિંગાપોર એર લાઈન્સની આ જોઈન્ટ બેન્ચર વિસ્તારા એર લાઈન્સ વીતેલા જમાનાની વાત બની જશે.
- Advertisement -
વિસ્તારા એર લાઈન્સની પહેલી ડોમેસ્ટીક ફલાઈટ 5 જાન્યુઆરી 2015 ના દિલ્હીથી મુંબઈની હતી. એર લાઈન્સે 6 ઓગસ્ટ 2019 ના દિલ્હીથી સિંગાપોર માટે પહેલી આંતર રાષ્ટ્રીય ઉડાન ભરી હતી. આ ફેરફારથી વિસ્તારનો 6500 નો સ્ટાફ 70 હવાઈ જહાજ એર ઈન્ડીયામાં શિફટ થઈ જશે. વિસ્તારાની દરરોજ ટુર ડોમેસ્ટીક અને 18 ઈન્ટરનેશનલ ડેસ્ટીનેશન પર 350 ફલાઈટની સફર ઈતિહાસ બની જશે.
નવેમ્બર 2022માં થઈ હતી મર્જરની જાહેરાત
વિસ્તારા એર લાઈન્સની દરરોજ લગભગ 350 ફલાઈટસથી દરરોજ 45 હજારથી વધુ યાત્રીઓ ઉડાન ભરે છે. આ એરલાઈન્સ ઝડપથી એર પેસેન્જરોમાં પોતાની જગ્યા બનાવી રહી હતી. પરંતુ આ દરમ્યાન નવેમ્બર 2022 માં તેના મર્જર થવાની જાહેરાત થઈ હતી.
વિસ્તારા એરલાઈન્સ તરફથી જણાવાયું છે કે, જેમણે 12 નવેમ્બરથી કેટલાંક દિવસો સુધી જેમણે વિસ્તારાની ટીકીટ ખરીદી હતી તેમને એઆઈ-2 લખેલ બોર્ડીંગ પાસ ઈસ્યુ કરાશે પરંતુ 12 નવેમ્બરથી જાહેર ઉડાનો એર ઈન્ડીયા અંતર્ગત ટેક ઓફ થશે.