30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ: અત્યાર સુધીમાં 9 લાખ રજિસ્ટ્રેશન
રીલ મેકર્સની સાથે યુટ્યૂબર્સને પણ મંદિરમાં પ્રવેશ નહીં મળે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રામાં આ વખતે વીડિયો રીલ મેકર્સ અને યુટ્યૂબર્સની એન્ટ્રી રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેદારનાથ-બદ્રીનાથ પાંડા સમુદાયે નિર્ણય લીધો છે કે આ વખતે તેઓ તેમને મંદિર પરિસરમાં પ્રવેશવા દેશે નહીં. જો કોઈ આવું કરતું જોવા મળશે, તો તેને દર્શન કર્યા વિના પરત મોકલી દેવામાં આવશે. આ અંગે વહીવટીતંત્રને પણ જાણ કરવામાં આવી છે.
કેદારનાથ સભાના પ્રમુખ રાજકુમાર તિવારીએ મીડિયાને જણાવ્યું હતું કે ગયા વર્ષે રીલ બનાવનારાઓને કારણે ઘણી અરાજકતા હતી. સમુદ્ર સપાટીથી 12 હજાર ફૂટ ઉપર આવેલા કેદારનાથ ધામમાં ઢોલ-નગારાનો અવાજ ફક્ત રીલ બનાવવા માટે જ કરવામાં આવ્યો હતો. યાત્રા શરૂ થયા પછી, શિવાલિક પર્વતમાળામાં 10 થી 12 દિવસ સુધી આ શોર ગુંજતો રહ્યો. અહીંની પ્રકૃતિ માટે આ શોર સારો નથી. એટલા માટે આ વખતે તેઓ તમને કેમેરા ચાલુ પણ કરવા દેશે નહીં.
તેવી જ રીતે, મંદિરોમાં પૈસા ચૂકવીને ટઈંઙ દર્શન કરવાની વ્યવસ્થા પણ બંધ રહેશે. બદ્રીનાથ ધામના પાંડા પંચાયતના ખજાનચી અશોક ટોડારિયાએ કહ્યું છે કે પૈસા લઈને દર્શન આપવા એ ભગવાનની ગરિમાની વિરુદ્ધ છે.
- Advertisement -
આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલ (અક્ષય તૃતીયા)થી શરૂ થશે. આ દિવસે, મા ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા પહેલા ખોલવામાં આવશે. આ પછી, 2 મેના રોજ કેદારનાથ ધામના દરવાજા ખૂલશે.
આખરે, 4 મેના રોજ, ભગવાન બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે યોગ્ય વિધિઓ સાથે ખોલવામાં આવશે. આ સાથે ચારધામ યાત્રા પૂરજોશમાં શરૂ થશે.
આ વખતે, છેલ્લા 6 દિવસમાં 9 લાખ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેદારનાથ ધામ માટે મહત્તમ 2.75 લાખ ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારબાદ 2.24 લાખ ભક્તો બદ્રીનાથ, 1.34 લાખ યમુનોત્રી, 1.38 લાખ ગંગોત્રી અને 8 હજાર ભક્તો હેમકુંડ સાહિબ દર્શન માટે આવશે.
આ વખતે 10 હોલ્ડિંગ પોઈન્ટ હશે, જેમાં હોટલ જેવી સુવિધાઓ હશે
ખરાબ હવામાન અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ચારધામ યાત્રા દરમિયાન યાત્રાળુઓને રોકવા માટે 10 સ્થળોએ હોલ્ડિંગ પોઈન્ટ બનાવવામાં આવી રહ્યા છે. આ સ્થળો હરિદ્વાર, ઋષિકેશ, બ્યાસી, શ્રીનગર, રુદ્રપ્રયાગ, સોનપ્રયાગ, હરબતપુર, વિકાસનગર, બારકોટ અને ભટવાડીમાં હશે. પાણી, શૌચાલય, રાત્રિ માટે પથારી, દવાઓ અને ખોરાક માટે ઈમર્જન્સીની વ્યવસ્થા હશે. સમગ્ર મુસાફરી રૂટને 10-10 કિલોમીટરના સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે. દરેક સેક્ટરમાં 6 પોલીસકર્મીઓ રહેશે. તેમને બાઇક પર તહેનાત કરવામાં આવશે, જેથી મુસાફરોને મુશ્ર્કેલીના સમયે તાત્કાલિક મદદ મળી શકે.