23 નિરાધાર દીકરીઓ પ્રભુતામાં પગલાં ભરશે : 6:00 ના ટકોરે રાષ્ટ્રવંદના-દેશભક્તિનો માહોલ સર્જાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ ઢોલરા તેમજ સંજયભાઈ ધમસાણીયા પરિવાર દ્વારા સતત સાતમા વર્ષે માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ 23 દીકરીઓનો ઐતિહાસિક- જાજરમાન- શાહી લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આગામી તારીખ 29 ડીસેમ્બરના રોજ રાજકોટના આંગણે યોજાનાર છે. આ અંગેની માહિતી આપતાં સંસ્થાના મુકેશ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્યું છે કે ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમની છેલ્લી 26 વર્ષની સેવાયાત્રા છે. ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમનો વિશાળ પરિવાર છે. દીકરાનું ઘર તેની સેવા પ્રવૃત્તિથી દેશ વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત બન્યું છે. દીકરાનું ઘરના 200થી વધુ સમર્પિત કાર્યકર્તાઓ નિરાધાર માવતરોની સેવા કરી તેના દીકરા બનવાની સાથોસાથ સમાજની માતા-પિતાની અથવા પિતા વિહોણી દીકરીઓના પિતા બનવાનું ભાગ્ય છેલ્લા છ વર્ષથી મેળવી રહ્યું છે. આજે એક દીકરીનો પ્રસંગ કરવો એ માતા-પિતા માટે ચિંતાનો વિષય બની જતો હોય છે ત્યારે 23-23 દીકરીઓને સમૃદ્ધ આણુ આપી આંખમાં હર્ષના આંસુ સાથે દીકરીઓને વિદાય આપી તેના સંસારમાં સુખી થાય તેવો અદ્ભુત પ્રસંગ વહાલુડીના વિવાહ યોજવા જઈ રહ્યું છે.
- Advertisement -
વહાલુડીના વિવાહના લગ્નોત્સવ પહેલા દીકરીઓના પિયર પક્ષના લોકો જોઈ શકે તે માટે ગત તા. 15ના રોજ આણુદર્શન અને ડાંડીયારાસનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ ઉપરાંત દરેક દીકરીઓ પોતાના સંસારમાં સુખી થાય તેવા શુભાશયથી ગત તા. 22ના રોજ ‘સંબંધોની સાચવણી’ સેમિનાર રાખવામાં આવ્યો હતો. આગામી તા. 29 ડીસેમ્બર ને રવિવારના રોજ ગીતસંગીત, વૈદીક મંત્રોચ્ચાર વચ્ચે ભવ્ય લગ્નોત્સવ યોજાશે. આ શાહી લગ્નોત્સવ 80 હજાર ફૂટમાં પથરાયેલ નવા રીંગ રોડ પર આવેલા વિશ્ર્વા પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ વખતનું યજમાનપદ શહેરના જાણીતા ઉદ્યોગપતિ સંજયભાઈ ધમસાણીયા પરિવાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. લગ્ન સ્થળે સેલ્ફી પોઈન્ટ, એલ.ઈ.ડી., દરેક દીકરીઓના અલગ અલગ મંડપ, સંગીતની સૂરાવલી, શાસ્ત્રોક્ત અને વૈદીક મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ, ભવ્ય અને આકર્ષક સ્ટેજ, કરિયાવર ડિસ્પ્લે તેમજ ઠાકોરજીના ચરણોમાં ધરવામાં આવેલ 56 ભોગ લગ્નોત્સવનું આકર્ષણનું કેન્દ્ર રહેશે. વહાલુડીના વિવાહની વિશેષતા જોઈએ તો પ્રત્યેક લગ્નોત્સવમાં સૌરાષ્ટ્ર- ગુજરાતના જાણીતા કલાકાર રમેશભાઈ હીરપરા અને સરસ્વતીબેન હીરપરા લગ્નગીતોની રમઝટ બોલાવશે. લગ્નના એક દિવસ અગાઉ દીકરીઓ માટે હોટલની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
તા. 28 ડીસેમ્બરના રોજ દીકરીઓનું ફૂલેકું રહેશે જેના યજમાન સંજયભાઈ ધમસાણીયા પરિવાર રહેશે. વહાલુડીના વિવાહમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરિયાવર ઉપરાંત રૂા. 51,000ની ફીક્સ ડીપોઝીટની રસીદ પણ અપાશે. સંસ્થા દ્વારા સમગ્ર આયોજનમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે ઈમરજન્સી મેડિકલ સુવિધા, બે એમ્બ્યુલન્સ, ફાયર સહિત સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર વહાલુડીના વિવાહ પ્રસંગને એક કરોડના વીમાથી સુરક્ષિત કરવામાં આવેલો છે. આ વહાલુડીના વિવાહનું 5000થી વધુ લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાજના તમામ શ્રેણીના લોકો દીકરીઓને આશીર્વાદ પાઠવશે. અતિભવ્ય, દિવ્ય અને જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આજે સૌરાષ્ટ્રભરમાં પ્રચલિત થયા છે.
સમગ્ર આયોજનમાં 200થી વધુ કાર્યકર્તાઓ રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. તેની સાથોસાથ શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સમગ્ર આયોજનમાં સતત માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે. જેમાં દીકરાનું ઘરના ટ્રસ્ટી મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ધીરુભાઈ રોકડ, નંદલાલભાઈ માંડવીયા, વલ્લભભાઈ સતાણી, પ્રતાપભાઈ પટેલ, ડો. નિદતભાઈ બારોટ, વસંતભાઈ ગાદેશા, અનુપમભાઈ દોશી, હસુભાઈ રાચ્છ, વિમલભાઈ ખુંટ, વિરાભાઈ હુંબલ ઉપરાંત ડો. ગૌરાંગભાઈ ઠક્કર, રાકેશભાઈ ભાલાળા, પ્રવિણભાઈ હાપલીયા, અશ્ર્વિનભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ આદ્રોજા, જયેશભાઈ સોરઠીયા, કિરીટભાઈ પટેલ, સુનિલ મહેતા, દીપકભાઈ જલુ, પ્રજ્ઞેશભાઈ પટેલ, ઉપેનભાઈ મોદી, હરેશભાઈ પરસાણા, ધર્મેશભાઈ જીવાણી, હરદેવસિંહ જાડેજા, હરેનભાઈ મહેતા, ઘનશ્યામભાઈ રાચ્છ, શૈલેષભાઈ જાની, ડો. મયંક ઠક્કર સહતિનાઓનો સમાવેશ થાય છે.
સમગ્ર વહાલુડીના વિવાહના આયોજનમાં યશવંતભાઈ જોષી, ડો. ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન વોરા, દોલતભાઈ ગાદેશા, હરીશભાઈ હરીયાણી, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, જીતુભાઈ ગાંધી, મહેશભાઈ જીવરાજાની, જીજ્ઞેશભાઈ પુરોહીત, પંકજભાઈ રૂપારેલીયા, વિમલ પાણખાણીયા, રાજુભાઈ વસંત, ધીરજભાઈ ટીલાળા, રૂપાબેન વોરા, મૌસમીબેન કલ્યાણી, દીનાબેન મોદી, આશાબેન હરીયાણી, ગીતાબેન એ. પટેલ, હસુભાઈ શાહ, જીજ્ઞેશભાઈ આદ્રોજા, પ્રનંદભાઈ કલ્યાણી, પ્રશાંતભાઈ ગાંગડીયા, રાજદીપભાઈ શાહ, અતુલભાઈ વોરા, વિપુલભાઈ ભટ્ટ, રમેશભાઈ શીશાંગીયા, મિહીર ગોંડલીયા, ઉપીનભાઈ ભીમાણી, શૈલેષભાઈ દવે, કોમુ માજી સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.