વાંકાનેર: વાંકાનેર ખાતે તાજેતરમાં એસટી સ્ટેન્ડ નું ખાતમુહૂર્ત કરાયું હતું હાલમાં દેશ સહિત સમગ્ર ગુજરાત માં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી અંતર્ગત સરકારી-ખાનગી કાર્ય પર નબળી અસરો પડી રહી છે જ્યારે હાલ કોરોના હળવો પડતાની સાથે જ પ્રજાલક્ષી કાર્યો હાથ ધરવામાં આવતા હોય તેમ મોરબી વાંકાનેર પંથકમાં સરકારી કચેરીઓના ખાતમુરત કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર ખાતે તારીખ 4 6 2021 ના રોજ સવારે વાંકાનેરના એસટી સ્ટેન્ડ ખાતે 4.5 કરોડના ખર્ચે તૈયાર થનાર બસ સ્ટેન્ડ નું ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં મોહનભાઈ કુંડારીયા કુંવરજીભાઈ બાવળીયા સહિત ભાજપ ના હોદેદારો કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ સાથે હાજરી આપી હતી અને વિકાસ લક્ષી કાર્ય માં ઝડપી વેગ મળે તે માટે ધાર્મિક વિધિ કરી ખાતમુરત કરવામાં આવ્યું હતું જે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર એસટી ના કર્મચારીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા.
કોરોના હળવો પડતા પ્રજાલક્ષી કામોના ખાતમુહૂર્ત શરૂ: વાંકાનેરમાં એસટી સ્ટેન્ડ ખાતે ખાતમુહૂર્ત કરાયું
You Might Also Like
Follow US
Find US on Social Medias


