મંગળવારે દિલ્હી વિધાનસભામાં દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દિલ્હીની દારૂ નીતિમાં ફેરફારને કારણે બે હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
આજે દિલ્હી વિધાનસભા સત્રનો બીજો દિવસ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે ગૃહમાં 14 CAG રિપોર્ટમાંથી માત્ર એક જ રજૂ કર્યો, જે લિકર પોલિસી કૌભાંડ સંબંધિત હતો. તે પછી, શક્ય છે કે ડીટીસી બસો પર CAGનો બીજો રિપોર્ટ બીજા દિવસે રજૂ કરવામાં આવે. વિધાનસભામાં રજૂ કરાયેલા લિકર પોલિસી અંગેના અહેવાલમાં ખુલાસો થયો છે કે દિલ્હીની દારૂ નીતિમાં ફેરફારને કારણે 2,002 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
- Advertisement -
આ અહેવાલમાં લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં થતા ઉલ્લંઘનો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દારૂ નીતિના નિર્માણમાં ફેરફારો સૂચવવા માટે રચાયેલી નિષ્ણાત પેનલની ભલામણોને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અને આબકારી મંત્રી મનીષ સિસોદિયાએ અવગણી હતી.
લિકર પોલિસી કૌભાંડ અંગેના CAG રિપોર્ટમાં શું છે?
– આમ આદમી પાર્ટી સરકારની નવી દારૂ નીતિને કારણે લગભગ 2,002 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
– રિટેન્ડર પ્રક્રિયાને કારણે 890 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
– ઝોનલ લાઇસન્સ આપવામાં છૂટછાટને કારણે લગભગ 940 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
– કેટલાક દારૂના રિટેલરો પોલિસી સમાપ્ત થાય ત્યાં સુધી લાઇસન્સ રાખતા રહ્યા.
-કોવિડ-19 પ્રતિબંધોને કારણે, દારૂના વેપારીઓને 28 ડિસેમ્બર 2021 થી 27 જાન્યુઆરી 2022 સુધી લાઇસન્સ ફીમાં 144 કરોડ રૂપિયાની છૂટ આપવામાં આવી હતી.
શું કહ્યું વિધાનસભા અધ્યક્ષે
વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે એ જાણીને આશ્ચર્ય થાય છે કે 2017-18 પછી CAG રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો નથી. આ સંદર્ભમાં, તત્કાલીન વિપક્ષી નેતા, એટલે કે મેં અને અન્ય પાંચ વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિ, વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને અહેવાલ રજૂ કરવા વિનંતી કરી હતી. રાજ્યની નાણાકીય સ્થિતિ જાણવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. કમનસીબે CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ન હતો અને પાછલી સરકારે બંધારણનું ઉલ્લંઘન કર્યું. CAG રિપોર્ટ અંગે હાઈકોર્ટે ખૂબ જ ગંભીર ટિપ્પણીઓ કરી હતી. તેને રજૂ કરવામાં બેદરકારી દાખવવામાં આવી હતી. રિપોર્ટ સમયસર LGને મોકલવામાં આવ્યો ન હતો.
- Advertisement -
CAG રિપોર્ટના લીધે થયો હોબાળો
દિલ્હી વિધાનસભામાં આજે CAG રિપોર્ટ રજૂ થવાનો છે. આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટી પર મુખ્યમંત્રી આવાસ અને મોહલ્લા ક્લિનિક્સના રિનોવેશનમાં કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ છે. CAG રિપોર્ટના કારણે દિલ્હીની ભાજપ સરકાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરવા તૈયાર છે.
આ પાંચ મુદ્દા પર સરકાર કરશે કામ
લેફ્ટનન્ટ ગવર્નરે પોતાના અભિભાષણમાં કહ્યું હતું કે, સરકાર પાંચ ટોચના મુદ્દાઓ પર કામ કરશે. જેમાં યમુના સફાઈ, પ્રદુષણ, ભ્રષ્ટાચારમુક્ત શાસન, બિનસત્તાવાર કોલોનીનું નિયમિતકરણ સામેલ છે. ઉપરાજ્યપાલે અભિભાષણમાં ભાજપ ધારાસભ્ય મોદી-મોદીના સુત્રોચ્ચાર કરી રહ્યા હતાં. બીજી બાજુ સદનની બહાર કરવામાં આવેલા AAPના ધારાસભ્યોએ બાબા સાહેબ આંબેડકરની તસવીર સાથે દેખાવો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ માટે બાબા સાહેબ કરતાં પણ મોદી મોટા છે. આતિશીએ નિવેદન આપ્યું કે, ભાજપની સીએમ ઓફિસ, અને મંત્રીઓના કાર્યાલયોમાંથી બાબા સાહેબની તસવીર હટાવી મોદીની તસવીર લગાવવામાં આવી છે.