ખાસ-ખબર સંવાદદાતા
જીરૂ, સીંગતેલ, કઠોળ અને ઘઉં સહિતની ખાદ્યચીજોના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. ત્યારે હવે સટ્ટોડીયાઓ અને સંગ્રહાખોરોની નજર હળદર પડી હોય તેમ ચાર દિવસમાં કિલોએ 30 થી 40 રૂપિયાનો ભાવવધારો થયો છે.
ભાવવધારાની શરૂઆત થઈ છે ત્યારે આ ભાવ કયાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે તેમ વેપારી વર્ગ જણાવી રહેલ છે.
- Advertisement -
ગુંદાવાડી માકીટના અનાજ કરિયાણાના હોલસેલ વેપારી મૂકેશભાઈ તન્નાના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોઈ દિવસ હળદરના ભાવમાં વધારો કયારેય જોવા મળ્યો નથી.આ ભાવવધારો સૌપ્રથમ જોવા મળ્યો છે. માત્ર ચાર દિવસ પહેલા એક કિલો હળદર 150 રૂપિયાની મળતી હતી. તે આજે 180થી 190 રૂપિયાના ભાવે બજારમાં મળી રહી છે. સંગ્રહાખોરો, સટ્ટોડીયા અને વિદેશમાં એકાએક માંગ નીકળતા હળદરના સ્થાનિક બજારના ભાવને અસર કરી કરી છે.
જો સટ્ટોડીયાઓ હળદરના ભાવના ખેલમાં સક્રિય થયા હશે. તો આગામી દિવસોમાં હળદરના ભાવો વધી શકવાની શકયતા છે.
હળદરના ભાવમાં વધારો જોવા મળતા કેટલાક સંગ્રહાખોરો દ્વારા સ્ટોક પણ કરવામા આવી રહ્યાનું જાણવા મળેલ છે.
- Advertisement -
આથી હળદરના ભાવો બેકાબુ બને તે પહેલાં સરકાર દ્વારા અત્યારથી જ ભાવ કાબુમાં લેવા આકરા પગલા લેવામાં આવે તે જરૂરી થઈ પડયું છે.