સરકારી સ્ત્રોતો દાવાઓને નકારે છે; સંસદીય સમિતિ આગામી સપ્તાહે તાજેતરના વિકાસની ચર્ચા કરશે
ભારત અને પાકિસ્તાન સહિત અનેક દેશો વચ્ચે થઈ રહેલો સંઘર્ષ અટકાવ્યો હોવાનો દાવો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા રહે છે. તેમણે છેલ્લી કલાકોમાં બે-ત્રણ વખત ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યાનો દાવો કર્યો હતો. એમાંય એક દાવો તો તેમણે ઈઝરાયલની સંસદમાં ભાષણ આપતી વખતે કર્યો હતો. અમેરિકાના પ્રમુખે કહ્યું કે તેમણે આ યુદ્ધો નોબેલ પુરસ્કાર મેળવવા નથી અટકાવ્યા, પરંતુ વિશ્વમાં શાંતિ સ્થાપવા અટકાવ્યા છે.
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વની મુલાકાતે નીકળતા પહેલાં દાવો કર્યો કે ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ થયો. એ સાથે તેમણે આઠમું યુદ્ધ અટકાવી દીધું છે. અત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે, એને હું મિડલ ઈસ્ટમાંથી પાછો આવીશ પછી અટકાવીશ. હું યુદ્ધ અટકાવવામાં માહેર છું. ટ્રમ્પે એ વખતે બે પરમાણુ હથિયારોથી સજ્જ દેશો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હોવાનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતે ઓપરેશન સિંદૂર અટક્યું એ પાછળ ટ્રમ્પની કોઈ ભૂમિકા નથી એવી સ્પષ્ટતા કરી હતી, છતાં ટ્રમ્પ વારંવાર ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ક્રેડિટ મેળવે છે અને વારંવાર ભારત-પાકિસ્તાનનું યુદ્ધ રોક્યું હોવાનો દાવો કરે છે.