આ વર્ષે અધિક માસ હોવાને કારણે કુલ 26 અગિયારસ રહેશે. અધિક માસમાં શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે.
વર્ષમાં કુલ 24 અગિયારસ હોય છે, પરંતુ અધિક માસમાં અગિયારસની સંખ્યા વધી જાય છે. આ વર્ષે અધિક માસ હોવાને કારણે કુલ 26 અગિયારસ રહેશે. અધિક માસમાં શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે. જેનું પાલન કરવાથી યજ્ઞ, વ્રત અને તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. જીવનના તમામ સંકટ દૂર થાય છે. આ વર્ષે 29 જુલાઈના રોજ પદ્મિની અગિયારસ છે.
- Advertisement -
પદ્મિની અગિયારસ
હિંદુ પંચાંગ અનુસાર 28 જુલાઈના રોજ બપોરે 02:51 વાગ્યે પદ્મિની અગિયારસ શરૂ થશે અને 29 જુલાઈના રોજ બપોરે 01:05 વાગ્યે પૂર્ણ થશે. સૂર્યોદયના આધારે આ વ્રત 29 જુલાઈના રોજ રાખવામાં આવશે.
પદ્મિની અગિયારસ શુભ યોગ
આ વર્ષે પદ્મિની અગિયારસના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે બ્રહ્મ અને ઈંદ્ર યોગ રહેશે. 28 જુલાઈના રોજ સવારે 11:56 વાગ્યાથી 29 જુલાઈના રોજ સવારે 09:34 વાગ્યા સુધી બ્રહ્મ યોગ રહેશે. 29 જુલાઈના રોજ સવારે 09:34 વાગ્યાથી 30 જુલાઈના રોજ સવારે 06:33 વાગ્યા સુધી ઈન્દ્ર યોગ રહેશે.
પદ્મિની અગિયારસ પૂજા વિધિ
પદ્મિની અગિયારસના રોજ સવારે સ્નાન કરીને પૂજાનો સંકલ્પ લો. ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરો. રાત્રે ચાર પહરની પૂજા કરો. પહેલા પહોરમાં નારિયેળથી ભગવાનની પૂજા કરો. બીજા પહોરમાં બિલીપત્રથી ભગવાનની પૂજા કરો. ત્રીજા પહોરમાં સીતાફળથી ભગવાનની પૂજા કરો. ચોથા પહોરમાં નારંગી અને સોપારીથી ભગવાનની પૂજા કરો. બીજા દિવસે સવારે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી ગરીબોને અન્ન અને કપડાંનું દાન કરો.
- Advertisement -
પદ્મિની અગિયારસ સંતાન પ્રાપ્તિ ઉપાય
સંતાન પ્રાપ્તિ માટે પદ્મિની અગિયારસના દિવસે પતિ અને પત્નીએ એકસાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ભગવાનને પીળા ફળ-ફૂલ અર્પણ કરો. ત્યાર પછી “ॐ क्लीं कृष्णाय नमः” મંત્રનો જાપ કરો. હવે સંતાન પ્રાપ્તિ માટે ભગવાનને પ્રાર્થના કરો. જે પણ ફળ અર્પણ કર્યું હોય તે પતિ અને પત્નીએ પ્રસાદ તરીકે ગ્રહણ કરવું.
પાપ નાશ માટે ઉપાય
પદ્મિની અગિયારસે રાત્રે પૂજાની વ્યવસ્થા કરો. ભગવાનને ઘીનો દીવો કરો. ત્યાર પછી ભગવતગીતાના પાઠ કરો અથવા ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ કરો. હવે પાપના પ્રાયશ્ચિત માટે પ્રાર્થના કરો.