વંદે ભારત ટ્રેનની ઠોકરે ચડી જતા બે મિત્રોના મોત, એકની હાલત ગંભીર
110ની સ્પીડે આવતી વંદેભારત ટ્રેનના પાયલોટે ઇમરજન્સી બ્રેક મારી પણ….
- Advertisement -
ટ્રેન આવતી હોવાનો આભાસ થઇ જતા એક મિત્ર ટ્રેક પરથી ઉતરી ગયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની ગોંડલ ચોકડી પાસે આવેલી માલધારી ફાટક નજીક રેલવે ટ્રેક ઉપર ગઈકાલે સાંજે 3 યુવાનો સેલ્ફી લેતા હતા ત્યારે જ અચાનક આવેલી વંદે ભારત ટ્રેનની ઠોકરે ત્રણેય ચડી જતા અરેરાટી વ્યાપી ગઈ હતી ગંભીર ઇજા થતા બેના મોત નીપજ્યા હતા જ્યારે એક યુવાનને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં એક મિત્ર વતન જતો હોય જેથી ત્રણેય મિત્રો સેલ્ફી લેતા હતા ત્યારે જ અચાનક ટ્રેન આવી ગઈ હતી જેમાં બચી ગયેલા યુવકને ટ્રેનનો અંદાજ આવી જતા તે ખસી ગયો હતો જેથી તેનો ઇજા સાથે બચાવ થયો હતો જયારે બે મિત્રોના કરુણ મોત થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે માલધારી ફાટક પાસે ગોંડલ તરફથી આવતી વંદે ભારત ટ્રેનની ઠોકરે ચડી જતા સંદીપ વિદ્યારામ પટેલ ઉ.20), સંદીપ સુરેશભાઈ કોરી ઉ.23 અને કપિલ બુદ્ધસાગર વર્મા ઉ.23ને ઇજા થતા તાત્કાલિક ત્રણેયને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવના પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને આજીડેમ પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના તબીબ ઉર્વશી ખામ્ભલાએ હોઈ તપાસી સંદીપ કોરી અને સંદીપ પટેલને મૃત જાહેર કરાયા હતા જ્યારે કપિલને ગંભીર ઇજા પહોંચી હોય સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ચાર મિત્રો જેમાં સંદીપ કોરી, સંદીપ પટેલ, કપિલ વર્મા, અને કુલદીપ મહેશપ્રસાદ કોરી રેલવે ટ્રેક પર હતા આ ચારેય મૂળ ઉત્તરપ્રદેશના વતની છે. જેમાં કુલદીપ હાલમાં જ દિલ્હીથી રાજકોટ આવ્યો હતો. ચારેય મિત્રો કારખાનામાં કામ કરતા અને વિરાણી અઘાટ વિસ્તારમાં કારખાનાની રૂમમાં જ રહેતા હતા. આજે સંદીપ કોરી ઉત્તરપ્રદેશના વતન જવાનો હતો. ચારેય મિત્રો ઘરેથી નીકળ્યા હતા અને જતા પહેલા સંદીપે કહ્યું કે, આજ અપના ભાઈ ગાંવ જા રહા હૈં, એક સેલ્ફી લેતે હૈ ચારેય મિત્રોએ સેલ્ફી લીધી અને રિલ્સ બનાવી હતી ત્યારે જ ત્યાં ટ્રેન આવી ગઈ હતી દરમ્યાન સદનશીબે કુલદીપ ટ્રેક પરથી ઉતરી ગયો અને ત્રણેય મિત્રો ટ્રેન હડફેટે ચડી ગયા જેમાં બે મિત્રો મોતને ભેટયા હતા વંદે ભારત ટ્રેન રોકી દેવાઈ હતી. કાગળ કાર્યવાહી અને ફોર્માલિટી પુરી થયા બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી વંદે ભારત ટ્રેનના લોકો પાયલોટે યુવાનોને ટ્રેક પર જોઈ હોર્ન માર્યા હતા. ચેતવણી આપી હતી છતાં યુવાનો ટ્રેક પરથી ન હટતા ઇમરજન્સી બ્રેક પણ લગાવાઈ હતી. જોકે ટ્રેન 110ની સ્પીડે હતી. બ્રેક લાગે તે પહેલા યુવાનો ટ્રેન હડફેટે આવી ગયા હતા.
- Advertisement -
મોતને ભેટેલા બંને યુવાનો અપરણિત હતા
મૃત્યુ પામનાર સંદિપ પટેલ બે બહેન અને બે ભાઈમાં મોટો અને અપરીણીત હતો. તેમજ સંદિપ સુરેશ કોહરી બે બહેન ત્રણ ભાઈમા વચેટ અને અપરીણીત હતો બે વર્ષથી રાજકોટ રહી મજૂરી કરે છે. કુલદીપ મહેશ પ્રસાદ દિલ્હીથી રાજકોટ મજુરી કામ માટે રાજકોટ આવ્યો હતો જેથી તેને તેડવા બધા ગયા હતાં ત્યારે રસ્તામાં સેલ્ફી લેતી વખતે આ કરુણાંતિકા સર્જાઈ હતી.



