લોકોમાં ભયનો માહોલ
સવારે લગભગ 7:41 કલાકે પ્રથમ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના કારણે વરુણાવત પર્વતનાં લેન્ડસ્લાઈડ ઝોનમાંથી કાટમાળ અને પથ્થરો પડ્યાં હતાં. આ પછી 8:20 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.
- Advertisement -
ઉત્તરકાશી અને આસપાસનાં ઘણાં વિસ્તારોમાં ભૂકંપના આંચકા ત્રણવાર અનુભવાયા હતાં. ગભરાટના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયાં હતાં. લોકોમાં ભયનો માહોલ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાંથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. માહિતી મુજબ ઉત્તરકાશીમાં 40 મિનિટમાં 2.7 અને 3.5 ની તીવ્રતાના ત્રણ ભૂકંપ અનુભવાયા હતાં. ભૂકંપનું કેન્દ્ર ભટવાડી બ્લોકમાં હતું. હાલ કોઈ નુકસાન થયું નથી.
ભૂકંપનું કેન્દ્ર ઉત્તરકાશીના ભટવાડી બ્લોકમાં હોવાનું કહેવાય છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 5 કિલોમીટર ભૂગર્ભમાં હતું, જેનાં કારણે જિલ્લામાં જોરદાર આંચકા અનુભવાયા હતાં. હાલ કોઈ નુકસાનની માહિતી નથી. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સંપૂર્ણ એલર્ટ પર છે. માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
ભૂકંપના સંદર્ભમાં ઉત્તરકાશી જિલ્લાને સંવેદનશીલ ઝોન 4 અને 5 માં રાખવામાં આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓએ લોકોને અફવાઓથી દુર રહેવા અને સતર્ક રહેવા કહ્યું છે. આ ભુકંપે લોકોને 1991 ના ભુકંપની યાદ આપાવી હતી જયારે 6.6 ની તીવ્રતાનો જોરદાર ભુકંપ આવ્યો હતો અને જેનાથી ભારે નુકશાન થયું હતું