By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    8 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    8 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    9 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    9 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    9 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    5 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    7 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    8 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    8 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    8 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    1 day ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    7 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    7 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    1 day ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘પ્રજાશક્તિ’ના વિજયની ભૂમિ જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બનશે યાદગાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ‘પ્રજાશક્તિ’ના વિજયની ભૂમિ જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બનશે યાદગાર
જુનાગઢ

‘પ્રજાશક્તિ’ના વિજયની ભૂમિ જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બનશે યાદગાર

Khaskhabar Editor
Last updated: 2024/01/23 at 4:54 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાના નવાબના ઇરાદા આરઝી હકૂમતરૂપી જનશક્તિ સામે પરાસ્ત થયા હતા

શૌર્ય ભૂમિ પર રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વ માટે અનેરો ઉત્સાહ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિદ્ધ સંતો-મહંતો, સારસ્વતોથી લઈને શૌર્યવાન પ્રજાની ભૂમિ. આ નગરી ઐતિહાસિક છે. સાહિત્યથી લઈને ઇતિહાસ, પ્રાચીન પરંપરાથી લઈને અધ્યાત્મ, પ્રવાસન, ભૌગોલિક વિશેષતા, કૃષિ વગેરે અનેકવિધ બાબતોમાં આ નગરી પોતાનું આગવું મહત્વ અને સ્થાન ધરાવે છે. આગામી 26મી જાન્યુઆરીએ જુનાગઢમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે, સરકારી તંત્રની સાથે સાથે નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે. જુનાગઢ એ ’પ્રજાશક્તિ’ના વિજયનું પ્રતીક છે. હાલ દેશ માટે આઝાદીનો અમૃતકાળ શરૂ થયો છે, દરમિયાન અહીં ’પ્રજાસત્તાક’ પર્વની ઉજવણીનો સુભગ સમન્વય રચાયો છે.’પ્રજાસત્તા’નો અર્થ એવો થાય છે કે, જ્યાં પ્રજાની સત્તા હોય. જુનાગઢની પ્રજાએ તો સન 1947માં દેશની આઝાદીના સમયે જ આ વાતને ચરિતાર્થ કરી હતી. એ સમયે જુનાગઢના નવાબ મહાબતખાન-ત્રીજાએ 15મી ઓગસ્ટ, 1947ના રોજ એક ગેઝેટ બહાર પાડીને જુનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી હતી. દીવાન શાહનવાઝ ભુટ્ટોની કાન ભંભેરણીથી નવાબે પ્રજામતને ધ્યાનમાં લીધા વિના અને પ્રજાની લાગણીને અવરોધીને આ નિર્ણય કર્યો હતો.જેના પગલે જુનાગઢ સહિત સમગ્ર કાઠિયાવાડમાં ખળભળાટ મચી ગયો હતો અને લોકો લાલઘૂમ થઈ ગયા હતા. ભૌગોલિક પરિસ્થિતિ તથા વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ પણ આ નિર્ણય તદ્દન અવ્યવહારુ હતો. ભારત દેશ સાથે જોડવાની પ્રજાની લાગણી અને પ્રજામતને નવાબ માને તેમ નહોતા. આથી જુનાગઢની પ્રજાએ નવાબના નિર્ણયના વિરોધમાં જઈને, જુનાગઢને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવા, સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન પ્રમાણે લડત લડવાનો નિર્ધાર કર્યો હતો.શરૂઆતમાં મુંબઈમાં રહેતા જુનાગઢ- કાઠીયાવાડ વાસીઓ દ્વારા 19મી ઓગસ્ટ, 1947ના રોજ મુંબઈના વંદે માતરમ કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી. જેમાં ઢેબરભાઈ, શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠ જેવા નામી આગેવાનો હાજર રહ્યા હતા. આ સભામાં નવાબ મહાબતખાન ત્રીજાને સમજાવવા એક પ્રતિનિધિ મંડળ મોકલવાનું નક્કી થયું હતું. આ સાથે મુંબઈમાં 25 સપ્ટેમ્બર, 1947ના રોજ જુનાગઢની ‘આરઝી હકૂમત’ નામની સમાંતર સરકાર સ્થાપી, તેને જુનાગઢની સાચી સરકાર જાહેર કરવામાં આવી હતી. આ સરકારનો અને જુનાગઢની પ્રજાની આઝાદીના જાહેરનામાનો મુસદ્દો કનૈયાલાલ મુનશીએ ઘડ્યો હતો. આરઝી હકૂમતને સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના હેતુથી તેમાં માત્ર જુનાગઢ રાજ્યના લોકોને જ લેવાના હતા. આ સરકારના વડા તરીકે મહાત્મા ગાંધીજીના ભત્રીજા અને ‘વંદે માતરમ’ દૈનિકના તંત્રી શામળદાસ ગાંધીને નીમવામાં આવ્યા હતા. તેના પ્રધાનમંડળના અન્ય સભ્યો હતા ભવાનીશંકર ઓઝા, દુર્લભજી ખેતાણી, રતુભાઈ અદાણી, મણિલાલ દોશી, નરેન્દ્ર નથવાણી અને સુરગભાઈ વરુ. પછીથી શ્રીમતી પુષ્પાબહેન મહેતાને પણ પ્રધાનમંડળમાં લેવાયાં હતા. આરઝી હકૂમતની સ્થાપનાના એક દિવસ અગાઉ ગાંધીજીએ પણ પ્રાર્થનાસભામાં કહ્યું હતું કે, ‘જૂનાગઢ પાકિસ્તાનસે જાના ચાહિયે.’આરઝી હકૂમતનું પ્રધાનમંડળ તેની સ્થાપના પછીના ત્રીજા દિવસે મુંબઈથી રાજકોટ આવ્યું અને તુરંત બે દિવસ બાદ (30 સપ્ટેમ્બરે) રાજકોટમાંનું ‘જુનાગઢ હાઉસ’ (હાલનું સરદારબાગ અતિથિગૃહ કબજે કરી રાજકોટમાં પોતાનું સચિવાલય પણ સ્થાપ્યું.ત્યાર બાદ આરઝી હકૂમતે જૂનાગઢના આર્થિક બહિષ્કારના કાર્યક્રમને અસરકારક બનાવવા ખૂબ જહેમત લીધી હતી. સૌરાષ્ટ્ર તેમજ ભારતનાં અનેક મોટાં શહેરોમાં જુનાગઢ બહિષ્કાર સમિતિઓ રચાઈ હતી. વિજયા દશમીના દિવસે આરઝી હકુમતે સૌપ્રથમ અમરાપુર ગામ પર કબજો મેળવ્યો હતો. પ્રજાશક્તિનો પરચો થઈ જતાં જુનાગઢના નવાબ ઓક્ટોબર 1947ના અંતમાં કેશોદથી વિમાનમાં પાકિસ્તાન ભાગી ગયા હતા. આમ નવાબે જુનાગઢ રાજ્ય છોડી દેતા, 9મી નવેમ્બરે બપોર પછી સોરઠ પ્રદેશના પ્રાદેશિક કમિશનર નિલમભાઈ બુચે જુનાગઢ આવી વિધિવત રીતે કબજો સંભાળ્યો અને ઉપરકોટ પર સૌપ્રથમ હિન્દુસ્તાનનો રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 13 નવેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જુનાગઢની મુલાકાત દરમિયાન બહાઉદ્દીન કોલેજના મેદાનમાં લોકમત લેવામાં આવ્યો હતો. જેમાં લોકોએ ભારતમાં જોડાવાનો મત આપ્યો હતો.આમ પ્રજાશક્તિએ મળીને જુનાગઢમાં પ્રજાસત્તા સ્થાપી હતી અને જુનાગઢ નગર પ્રજાસત્તાક દેશ ભારતનો અભિન્ન હિસ્સો બન્યું.આઝાદીના અમૃતકાળમાં પ્રજાશક્તિના સાક્ષી એવા જુનાગઢ મહાનગરમાં આ વખતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે આ પર્વ યાદગાર બની રહેશે.

You Might Also Like

ધીરેન કારીયાના દારૂના ધંધાના રૂપિયા 50.20 લાખ આંગડિયા પેઢીમાંથી કબ્જે

માણાવદર મામલતદાર કચેરીમાં RAK વિભાગમાં જમીન એન્ટ્રીમાં સમયસર કામ થતું નથી

ભવનાથના ત્રિલોકનાથ આશ્રમે સનાતન ધર્મ સેવા સંસ્થાનમાં 570 બહેનોની નિમણૂક

વિસાવદર અને ભેસાણ પંથકમાં અડધાથી 2 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

હેરિટેજ સિટીના સપનાં વાસ્તવિકતા તંત્રને દેખાતી નથી

TAGGED: CELEBRATION, junagadh, Prajashakti, RepublicDay
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કણ કણ મેં રામ: દિવ્યતા સાથે ભવ્ય ઉજવણી: શહેરમાં દીપાવલી જેવો માહોલ સર્જાયો
Next Article વેરાવળ બન્યું રામમય: શોભાયાત્રામાં જય શ્રીરામના ગગનભેદી નારા લાગ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ધીરેન કારીયાના દારૂના ધંધાના રૂપિયા 50.20 લાખ આંગડિયા પેઢીમાંથી કબ્જે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
જુનાગઢ

માણાવદર મામલતદાર કચેરીમાં RAK વિભાગમાં જમીન એન્ટ્રીમાં સમયસર કામ થતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
જુનાગઢ

ભવનાથના ત્રિલોકનાથ આશ્રમે સનાતન ધર્મ સેવા સંસ્થાનમાં 570 બહેનોની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?