By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    6 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    7 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    7 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    7 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    7 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    7 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    7 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    1 week ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    7 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 week ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    1 week ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    1 week ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    7 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    1 week ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    1 week ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 week ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 week ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 week ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘પ્રજાશક્તિ’ના વિજયની ભૂમિ જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બનશે યાદગાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ‘પ્રજાશક્તિ’ના વિજયની ભૂમિ જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બનશે યાદગાર
જુનાગઢ

‘પ્રજાશક્તિ’ના વિજયની ભૂમિ જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બનશે યાદગાર

Khaskhabar Editor
Last updated: 2024/01/23 at 4:54 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાના નવાબના ઇરાદા આરઝી હકૂમતરૂપી જનશક્તિ સામે પરાસ્ત થયા હતા

શૌર્ય ભૂમિ પર રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વ માટે અનેરો ઉત્સાહ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિદ્ધ સંતો-મહંતો, સારસ્વતોથી લઈને શૌર્યવાન પ્રજાની ભૂમિ. આ નગરી ઐતિહાસિક છે. સાહિત્યથી લઈને ઇતિહાસ, પ્રાચીન પરંપરાથી લઈને અધ્યાત્મ, પ્રવાસન, ભૌગોલિક વિશેષતા, કૃષિ વગેરે અનેકવિધ બાબતોમાં આ નગરી પોતાનું આગવું મહત્વ અને સ્થાન ધરાવે છે. આગામી 26મી જાન્યુઆરીએ જુનાગઢમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે, સરકારી તંત્રની સાથે સાથે નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે. જુનાગઢ એ ’પ્રજાશક્તિ’ના વિજયનું પ્રતીક છે. હાલ દેશ માટે આઝાદીનો અમૃતકાળ શરૂ થયો છે, દરમિયાન અહીં ’પ્રજાસત્તાક’ પર્વની ઉજવણીનો સુભગ સમન્વય રચાયો છે.’પ્રજાસત્તા’નો અર્થ એવો થાય છે કે, જ્યાં પ્રજાની સત્તા હોય. જુનાગઢની પ્રજાએ તો સન 1947માં દેશની આઝાદીના સમયે જ આ વાતને ચરિતાર્થ કરી હતી. એ સમયે જુનાગઢના નવાબ મહાબતખાન-ત્રીજાએ 15મી ઓગસ્ટ, 1947ના રોજ એક ગેઝેટ બહાર પાડીને જુનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી હતી. દીવાન શાહનવાઝ ભુટ્ટોની કાન ભંભેરણીથી નવાબે પ્રજામતને ધ્યાનમાં લીધા વિના અને પ્રજાની લાગણીને અવરોધીને આ નિર્ણય કર્યો હતો.જેના પગલે જુનાગઢ સહિત સમગ્ર કાઠિયાવાડમાં ખળભળાટ મચી ગયો હતો અને લોકો લાલઘૂમ થઈ ગયા હતા. ભૌગોલિક પરિસ્થિતિ તથા વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ પણ આ નિર્ણય તદ્દન અવ્યવહારુ હતો. ભારત દેશ સાથે જોડવાની પ્રજાની લાગણી અને પ્રજામતને નવાબ માને તેમ નહોતા. આથી જુનાગઢની પ્રજાએ નવાબના નિર્ણયના વિરોધમાં જઈને, જુનાગઢને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવા, સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન પ્રમાણે લડત લડવાનો નિર્ધાર કર્યો હતો.શરૂઆતમાં મુંબઈમાં રહેતા જુનાગઢ- કાઠીયાવાડ વાસીઓ દ્વારા 19મી ઓગસ્ટ, 1947ના રોજ મુંબઈના વંદે માતરમ કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી. જેમાં ઢેબરભાઈ, શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠ જેવા નામી આગેવાનો હાજર રહ્યા હતા. આ સભામાં નવાબ મહાબતખાન ત્રીજાને સમજાવવા એક પ્રતિનિધિ મંડળ મોકલવાનું નક્કી થયું હતું. આ સાથે મુંબઈમાં 25 સપ્ટેમ્બર, 1947ના રોજ જુનાગઢની ‘આરઝી હકૂમત’ નામની સમાંતર સરકાર સ્થાપી, તેને જુનાગઢની સાચી સરકાર જાહેર કરવામાં આવી હતી. આ સરકારનો અને જુનાગઢની પ્રજાની આઝાદીના જાહેરનામાનો મુસદ્દો કનૈયાલાલ મુનશીએ ઘડ્યો હતો. આરઝી હકૂમતને સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના હેતુથી તેમાં માત્ર જુનાગઢ રાજ્યના લોકોને જ લેવાના હતા. આ સરકારના વડા તરીકે મહાત્મા ગાંધીજીના ભત્રીજા અને ‘વંદે માતરમ’ દૈનિકના તંત્રી શામળદાસ ગાંધીને નીમવામાં આવ્યા હતા. તેના પ્રધાનમંડળના અન્ય સભ્યો હતા ભવાનીશંકર ઓઝા, દુર્લભજી ખેતાણી, રતુભાઈ અદાણી, મણિલાલ દોશી, નરેન્દ્ર નથવાણી અને સુરગભાઈ વરુ. પછીથી શ્રીમતી પુષ્પાબહેન મહેતાને પણ પ્રધાનમંડળમાં લેવાયાં હતા. આરઝી હકૂમતની સ્થાપનાના એક દિવસ અગાઉ ગાંધીજીએ પણ પ્રાર્થનાસભામાં કહ્યું હતું કે, ‘જૂનાગઢ પાકિસ્તાનસે જાના ચાહિયે.’આરઝી હકૂમતનું પ્રધાનમંડળ તેની સ્થાપના પછીના ત્રીજા દિવસે મુંબઈથી રાજકોટ આવ્યું અને તુરંત બે દિવસ બાદ (30 સપ્ટેમ્બરે) રાજકોટમાંનું ‘જુનાગઢ હાઉસ’ (હાલનું સરદારબાગ અતિથિગૃહ કબજે કરી રાજકોટમાં પોતાનું સચિવાલય પણ સ્થાપ્યું.ત્યાર બાદ આરઝી હકૂમતે જૂનાગઢના આર્થિક બહિષ્કારના કાર્યક્રમને અસરકારક બનાવવા ખૂબ જહેમત લીધી હતી. સૌરાષ્ટ્ર તેમજ ભારતનાં અનેક મોટાં શહેરોમાં જુનાગઢ બહિષ્કાર સમિતિઓ રચાઈ હતી. વિજયા દશમીના દિવસે આરઝી હકુમતે સૌપ્રથમ અમરાપુર ગામ પર કબજો મેળવ્યો હતો. પ્રજાશક્તિનો પરચો થઈ જતાં જુનાગઢના નવાબ ઓક્ટોબર 1947ના અંતમાં કેશોદથી વિમાનમાં પાકિસ્તાન ભાગી ગયા હતા. આમ નવાબે જુનાગઢ રાજ્ય છોડી દેતા, 9મી નવેમ્બરે બપોર પછી સોરઠ પ્રદેશના પ્રાદેશિક કમિશનર નિલમભાઈ બુચે જુનાગઢ આવી વિધિવત રીતે કબજો સંભાળ્યો અને ઉપરકોટ પર સૌપ્રથમ હિન્દુસ્તાનનો રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 13 નવેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જુનાગઢની મુલાકાત દરમિયાન બહાઉદ્દીન કોલેજના મેદાનમાં લોકમત લેવામાં આવ્યો હતો. જેમાં લોકોએ ભારતમાં જોડાવાનો મત આપ્યો હતો.આમ પ્રજાશક્તિએ મળીને જુનાગઢમાં પ્રજાસત્તા સ્થાપી હતી અને જુનાગઢ નગર પ્રજાસત્તાક દેશ ભારતનો અભિન્ન હિસ્સો બન્યું.આઝાદીના અમૃતકાળમાં પ્રજાશક્તિના સાક્ષી એવા જુનાગઢ મહાનગરમાં આ વખતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે આ પર્વ યાદગાર બની રહેશે.

You Might Also Like

ગિરનારની લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખતાં આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ

મૃત્યુ પછી 19 વર્ષના યુવકે 7 વ્યક્તિઓના જીવનમાં દિવાળીના પાવન પર્વમાં પ્રકાશ પાથર્યો

ગિર સોમનાથના ભીડિયા પ્લોટમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ‘નવોત્સાહ પથ સંચલન’નું આયોજન

વેરાવળમાં 16માં વર્ષે ફોટોગ્રાફર એસો. દ્વારા ધનતેરસના દિવસે કેમેરાનું પૂજન કરવામાં આવ્યું

સોમનાથ મંદિરમાં 3D લાઈટ એન્ડ સાઉન્ડ શૉ આજથી યાત્રિકો માટે શરૂ કરાશે

TAGGED: CELEBRATION, junagadh, Prajashakti, RepublicDay
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કણ કણ મેં રામ: દિવ્યતા સાથે ભવ્ય ઉજવણી: શહેરમાં દીપાવલી જેવો માહોલ સર્જાયો
Next Article વેરાવળ બન્યું રામમય: શોભાયાત્રામાં જય શ્રીરામના ગગનભેદી નારા લાગ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગિરનારની લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખતાં આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
જુનાગઢ

મૃત્યુ પછી 19 વર્ષના યુવકે 7 વ્યક્તિઓના જીવનમાં દિવાળીના પાવન પર્વમાં પ્રકાશ પાથર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
જુનાગઢ

ગિર સોમનાથના ભીડિયા પ્લોટમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ‘નવોત્સાહ પથ સંચલન’નું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?