By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    18 hours ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    2 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    2 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    3 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    15 hours ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    15 hours ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    17 hours ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    2 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    17 hours ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    17 hours ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    2 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    4 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દક્ષિણમુખી મકાનને પણ પરફેક્ટ વાસ્તુ થકી દોષમુક્ત અને પોઝિટિવિટીથી છલોછલ બનાવી શકાય 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > દક્ષિણમુખી મકાનને પણ પરફેક્ટ વાસ્તુ થકી દોષમુક્ત અને પોઝિટિવિટીથી છલોછલ બનાવી શકાય 
AuthorRajesh Bhatt

દક્ષિણમુખી મકાનને પણ પરફેક્ટ વાસ્તુ થકી દોષમુક્ત અને પોઝિટિવિટીથી છલોછલ બનાવી શકાય 

Khaskhabar Editor
Last updated: 2022/04/23 at 4:43 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE
મોટાભાગનાં લોકો માટે વાસ્તુ એટલે જે પોતે જાણે છે એ જ બધું ! અધકચરું જ્ઞાન ફાયદાને બદલે નુક્સાન કરે  

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ 

થોડાં દિવસ પહેલાંની વાત છે. એક પ્રસંગમાં એક બહુ મોટા ઉદ્યોગપતિ સાથે મુલાકાત થઈ. વાતચીત કરતાં-કરતાં તેમને ખ્યાલ આવ્યો કે હું વાસ્તુ પ્રેક્ટિસ કરું છું એટલે તેઓએ મને એક સરસ મજાનો પ્રશ્ર્ન કર્યો કે પહેલાં હું એક દક્ષિણાભિમુખ ઘરમાં રહેતો હતો અને ત્યાં બધું સરસ ચાલતું હતું ત્યારબાદ અલગ-અલગ વેબસાઈટ અને ન્યુઝ પેપર વાંચતા ખ્યાલ આવ્યો કે વાસ્તુમાં પૂર્વ કે ઉત્તર દિશાનું ઘર વધારે સારું એટલે એક ઉત્તર દિશાના ઘરમાં રહેવા ગયો. ત્યાં રહેવા ગયા પછી તકલીફ તો કોઈ નથી પરંતુ મને એવું લાગે છે કે દક્ષિણ દિશાનું ઘર મારા માટે વધારે સારું હતું.

Contents
મોટાભાગનાં લોકો માટે વાસ્તુ એટલે જે પોતે જાણે છે એ જ બધું ! અધકચરું જ્ઞાન ફાયદાને બદલે નુક્સાન કરે  સ્પેસ, લેન્ડ । સેલ્ફ – રાજેશ ભટ્ટ આ પ્રશ્ર્નના અનુસંધાનમાં આપણે ત્રણ-ચાર બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. 

પ્રશ્ર્ન તેમનો યોગ્ય હતો, અને આવા પ્રશ્ર્નો અમો ઘણાં લોકો પાસેથી સાંભળતાં હોઈએ છીએ, વાસ્તુની અંદર આજે સૌથી મોટી સમસ્યા એ છે કે મોટાભાગના લોકો પોતે સમજી શકે તેટલું જ વાસ્તુ માને છે. જેમ કે ઈશાનમાં મંદિર કે અગ્નિમાં રસોડું બનાવવાથી કે પછી નૈઋત્ય ખૂણામાં માસ્ટર બેડરૂમ રાખવાથી અથવા તો નૈઋત્ય ખૂણામાં તિજોરી મૂકવાથી વાસ્તુ થઈ ગયું, તેવી તેઓની માન્યતા હોય છે. જ્યારે વાસ્તવિકતા ઘણી અલગ હોય છે. ઘણાં લોકો વળી એવી પણ માન્યતા ધરાવે છે કે દક્ષિણમુખી મકાન છોડી અને કોઈ પણ દિશાનું મકાન લઈ લો તેની અંદરની ગોઠવણી જોવાની જરૂર નથી અને આવા અડધા અધૂરા વાસ્તુના નિયમો અનુસરવાના કારણે પૂરા પરિણામો મળતાં નથી હોતા અને અંતે વિષયને ભાંડતા હોય તેવા ઘણાં લોકોને પણ મેં જોયા કે સાંભળ્યા છે.

- Advertisement -
આ પ્રશ્ર્નના અનુસંધાનમાં આપણે ત્રણ-ચાર બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. 
  • પૂર્વ કે ઉત્તર દિશાવાળા ઘરની દિશા સાચી છે એટલે વાસ્તુ બરાબર થઈ ગયું તે માનવું ભૂલભરેલું છે. (ઘરની અંદરની ગોઠવણી પણ વાસ્તુ મુજબ કરવી પડે.)
  • પશ્ર્ચિમ કે દક્ષિણ દિશાવાળા ઘરમાં પણ અંદરની ગોઠવણી જેવી કે એન્ટ્રી, કિચન, બેડરૂમ, ટોયલેટ, સીડી સાચી દિશામાં ગોઠવી પરિણામ મેળવી શકાય છે.
  • જમીન નીચેથી આવતી ઊર્જાને બિલકુલ અવગણી શકાય નહીં. ઘણી ભૂમિ દોષવાળી જગ્યાનો પ્રભાવ ખૂબ જ નકારાત્મક અસર આપતો હોય છે. ઘરના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ પરિણામ આપવામાં ખૂબ જ અસરકર્તા છે. તમારા નક્ષત્રને અનુરૂપ માપ સાઈઝને વાસ્તુના સારા પરિણામ મેળવવા માટે અનુસરવું જ પડે.

આજકાલ એક બીજી ફેશન ચાલી છે. લોકોને એવું કહેતાં સાંભળ્યા હોય છે કે મેં એ પ્લોટમાં પગ મૂક્યો અને મને સારું લાગ્યું એટલે મેં એ જગ્યા ખરીદી લીધી, (ત્યારે તો દરેક સામાન્ય વ્યક્તિ પણ જગ્યાની ઊર્જા સમજવાનો નિષ્ણાંત થઈ ગયો તેમ સમજવું રહ્યું) અરે ભાઈ, આપણે સામાન્ય તાવ-શરદીમાં પણ જો એમ.ડી. લેવલના ડોકટરની સલાહ માટે દોડતા હોઈએ છીએ જ્યારે ઘર તો માણસ જીવનમાં કદાચ બે કે ત્રણ વખત જ બદલે તો લેતાં પહેલાં નિષ્ણાંતની સલાહ લેવાને બદલે જાતે જ નિર્ણય કરવો કેટલો યોગ્ય છે?

પહેલાંના સમયમાં લોકો જગ્યાની ખરીદી પહેલાં સાધુ-સંતોના પગલાં જમીન પર કરાવતાં. કેમકે સાધુ-સંતો પોતાના તપ-બળને આધારે જમીનની ઊર્જા જોઈ શકતાં. આજે તો હવે વાસ્તુ નિષ્ણાત પાસે ઘણા ઉપકરણો, સાધનો, મશીન આવી ગયા છે જેના આધારે તે જગ્યાની પોઝિટિવિટી અને તે લેન્ડ સાથે માલિકની પણ લેણ-દેણ કેવી છે તેનો પૂરો રિપોર્ટ કાઢી શકશે.

જમીનના પ્રભાવ વિશે ઘણા ઉદાહરણો આપણે રામાયણ અને મહાભારત કાળમાં પણ જોવા મળે છે. અંધ માતા-પિતાને કાવડમાં લઈ જઈને સેવા કરવાવાળા શ્રવણની વાતો તો આપણે બધાએ સાંભળી જ હોય. ફરતાં-ફરતાં જ્યારે તે અસૂર ભૂમિમાં આવે છે ત્યારે તેના વિચાર બદલાઈ જાય છે અને માતા-પિતાને ન કહેવાના શબ્દો કહે છે. વૃદ્ધા માતા-પિતા સમજી જાય છે અને તેને પોતાની સાથે લાવેલી તીર્થભૂમિની માટી પર ઉભા રહેવાનું કહે છે. પવિત્ર માટી પર ઉભા રહેતાં જ શ્રવણને પોતાની ભૂલની ખબર પડે છે અને તેના સાત્ત્વિક વિચારો ફરી જાગૃત થાય છે અને માતા-પિતાને લઈને આગળ જાત્રા કરવા નીકળી જાય છે.

- Advertisement -

જરા વિચારો તીર્થભૂમિની ચાર મુઠી માટી જો માણસના વિચારો શુદ્ધ કરી શકતી હોય, તો આપણે જે જગ્યા પર રહેવાના છીએ તે હજાર કે બે હજાર ફૂટના પ્લોટની ઊર્જાનો પ્રભાવ આપણા પર કેટલો બધો થતો હશે? આવું જ એક બીજું ઉદાહરણ મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ પહેલાં યુદ્ધભૂમિ માટે તામસી ભૂમિની પસંદગી કરે છે, જેથી કરીને યોદ્ધાઓ પોતાનાં સગા-સ્નેહીઓ અને કુટુંબીજનોને જોઈ લાગણીશીલ થઈ શસ્ત્રો નીચે ન મૂકી દેતા તામસી ભૂમિના પ્રભાવને લઈને યુદ્ધ લડ્યા કરે. પ્રાચીનકાળના તો આવા અનેક ઉદાહરણો આપણે કથા અને પુરાણોમાં વાંચી શકીએ છીએ.

પરંતુ વાત આપણે પ્રવર્તમાન સમયની કરવાની છે. ઘણાં ઔદ્યોગિક વિસ્તારોમાં મેં અનુભવ્યું છે કે કોઈ ચોક્કસ સ્ટ્રીટમાં (શેરી) કોઈપણ પ્રકારના વ્યવસાય ઠીકથી ચાલતા હોતા નથી. કોઈને આર્થિક સમસ્યા, તો કોઈને કામદારોની સમસ્યા, તો કોઈને ઓર્ડર બુકના પ્રશ્ર્નો સતત આવ્યા કરતાં હોય છે અને આવા કિસ્સાઓમાં જમીનની નીચેનો પ્રભાવ એટલો બધો વધારે હોય છે કે જ્યાં સુધી તે નકારાત્મક ઊર્જાને ઠીક કરવામાં ન આવે ત્યાં સુધી વાસ્તુના સામાન્ય ફેરફાર કોઈ મોટો લાભ આપતાં હોતા નથી.

રહેણાંક વિસ્તારોમાં પણ ભૂમિ દોષનો પ્રભાવ ઘણો રહેતો હોય છે. ઘણાં શહેરોમાં મેં જોયું છે કે કોઈ ચોક્કસ રહેણાંક વિસ્તારની કોઈક સ્ટ્રીટમાં કે ગલીમાં કોઈ કોમન પ્રકારની શારીરિક કે સામાજિક પ્રકારની સમસ્યાઓ એકાદ-બે ઘર છોડીને લગભગ બધા જ ઘરોમાં જોવા મળતી હોય છે જેના મૂળમાં જમીનની ઊર્જા જ હોય છે. આવા સંજોગોમાં નિષ્ણાતોને જગ્યા ખરીદતા પહેલાં બતાવી યોગ્ય રહેશે કેમ કે સામાન્ય માણસ નિષ્ણાતોના દ્રષ્ટિકોણથી એ જગ્યાની ઊર્જા આપી શકશે નહીં.

You Might Also Like

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

એનિમલની મુલાકાત લેવી

એક જ પરિવારમાં ટકરાવ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં 233 ગ્રામ ડ્રગ્સ સપ્લાય કરનાર જોધપુરથી ઝડપાયો
Next Article જો ગામના યુવાનો ઈચ્છે તો ગામની શકલ બદલી શકે ! 

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
Author

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
Author

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?