ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેરાવળ તાલુકાના ઉકડિયા ગામના કાઠિયા ધારના પા તરીકે ઓળખાતા વિસ્તારમાં ઉકડીયા ગામ થી લાછડી તરફ જતાં આશરે 1 કિમી લંબાઈના સીમતળના રસ્તા પર આશરે 22 જેટલા ખાતેદાર ખેડૂત દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરાવવા અંગેની કાર્યવાહી તા. 6 થી 9 સુધી 4 દિવસ મામલતદાર,વેરાવળ(ગ્રામ્ય)ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
કલેક્ટરના પ્રજાલક્ષી વહીવટી અભિગમથી ઉકડિયા – લાછડીને જોડતાં સીમતળના રસ્તા પરના દબાણ સત્વરે દૂર કરાતાં દબાણ આશરે 18 હજાર ચો.ફૂટ ક્ષેત્રફળની રૂ. 50 લાખની બજાર કિંમતની જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું.
ગિર સોમનાથમાં ઉકડિયા-લાછડીને જોડતાં સીમતળના રસ્તા પરના દબાણ દૂર કરાયાં
