By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    1 day ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    2 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    2 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    2 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    2 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    2 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    3 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    2 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    4 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    4 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    4 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    2 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    4 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    5 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    3 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    3 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આંતરિક અસંતોષ, વિરોધ આંદોલન વચ્ચે પણ ભાજપનો રથ આગળ ધપી રહ્યો છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > આંતરિક અસંતોષ, વિરોધ આંદોલન વચ્ચે પણ ભાજપનો રથ આગળ ધપી રહ્યો છે
Hemadri Acharya Dave

આંતરિક અસંતોષ, વિરોધ આંદોલન વચ્ચે પણ ભાજપનો રથ આગળ ધપી રહ્યો છે

Khaskhabar Editor
Last updated: 2024/04/13 at 4:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

આગામી લોકસભા ચૂંટણી, શું કહે છે ગુજરાત?

મતદારોની સંખ્યામાં અગ્રેસર રહેલા સમાજમાં ઉભી થયેલી નારાજગી અને ગરમાગરમી વચ્ચે તમામ રાજકીય પક્ષો જ્ઞાતિને સાધવાના સમીકરણો રચે તો નવાઈ નહીં!

- Advertisement -

 

દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ મોટા નેતાઓ ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (bjp)ના નેતાઓ તેમના સહયોગી ગઉઅ માટે 400 પાર કરવાના નારા લગાવી રહ્યા છે, જ્યારે વિપક્ષી ગઠબંધન ‘india’ પણ મજબૂત પુનરાગમનની તૈયારી કરી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો આ રાજ્ય ભાજપ માટે મજબૂત કિલ્લો છે અને સ્વાભાવિક પણે ભાજપ 2024ની ચૂંટણીમાં પણ અહીં સંપૂર્ણ સરસાઈ મેળવવા માંગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંનેનું રાજ્ય હોવાથી અને આમ પણ વિવિધ કારણોસર ગુજરાત ભાજપ માટે ખૂબ જ ખાસ રાજ્ય રહ્યું છે. ગત ચૂંટણીની વાત કરીએ તો, 2019ની સંસદીય ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં ફરી એકવાર કોરેકોરી સરસાઈ મેળવી હતી. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, જેમાંથી ભાજપે તમામ બેઠકો કબજે કરી હતી. સાથે જ કોંગ્રેસનું ખાતું પણ ખોલી શકાયું નહોતું. આ ચૂંટણીમાં ભાજપને 62 ટકાથી વધુ વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 32.11 ટકા વોટ મળ્યા. જો કે 32 ટકા વોટ મળ્યા બાદ પણ કોંગ્રેસ અહીં ખાતું ખોલાવી શકી ન્હોતી. જ્યારે, દેશમાં પહેલીવાર નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડવામાં આવી એ 2014માં પણ આવું જ ચૂંટણી પરિણામ આવ્યું હતું. મોદીની હોમપીચ પર ભાજપની તરફેણમાં મજબૂત વાતાવરણ હતું અને ભાજપે તમામેતમામ 26 બેઠકો જીતી લીધી હતી.ગત લોકસભાની ચૂંટણીના કેટલાક પરિણામો ગુજરાતમાં ભાજપ માટે ખૂબ સારા રહ્યા હતા. 2019ની સંસદીય ચૂંટણીમાં દેશની સૌથી મોટી જીત નવસારી સંસદીય બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ઉમેદવાર સીઆર પાટીલે રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી હતી.પાટીલ આ હરીફાઈમાં 689,668 મતોની સરસાઈથી જીત્યા હતા. આ સરસાઈ 2019ની ચૂંટણીમાં મતોના માર્જિનથી સૌથી મોટી જીત સાબિત થઈ હતી.આ ઉપરાંત બીજી ચાર સીટ પર ભાજપ 5 લાખ મતોથી જીતી હતી. ગુજરાતમાં આ સંસદીય ચૂંટણીમાં 4 જગ્યાએ જીત અને હાર વચ્ચેનો તફાવત 5 લાખથી વધુ મતનો હતો.

- Advertisement -

અત્રે એ નોંધવું પડે કે વીસેક વર્ષના શાસન બાદ પણ ભાજપને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો ન્હોતો. જો કે એ વખતે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી ચૂંટણી લડી ન હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લોકસભાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું અને ગાંધીનગરની જે સીટ લાલકૃષ્ણ આડવાનીની હતી તેના પરથી લડી, બહુ મોટા અંતરથી, 5 લાખથી વધુ મતોથી જીત્યા હતા. અટલ બિહારી વાજપેયી પણ ગાંધીનગર સંસદીય બેઠક (1996) પરથી ચૂંટણી જીત્યા છે. વાજપેયી 2 બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો (ગાંધીનગર અને લખનૌ) પરથી જીત્યા હતા.
ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર તેની જીતનું ખાતું ખોલવાનો છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનની જેમ અહીં પણ કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નહોતી. કોંગ્રેસ રાજ્યમાં 10 વર્ષથી સત્તાથી દૂર છે. જ્યારથી મોદી દેશના પીએમ બન્યા છે ત્યારથી આ રાજ્ય ભાજપ માટે અભેદ્ય ગઢ બની ગયું છે. ભાજપ પોતાના આ સૌથી મજબૂત કિલ્લામાં કોંગ્રેસ માટે કોઈ રસ્તો છોડવા માંગતી નથી. જ્યારે કોંગ્રેસ તેનું ખાતું ખોલવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે ખૂબ જ પડકારરૂપ થવાનું છે કારણ કે ભાજપે તેના ઘણા મોટા નેતાઓને યેનકેન પ્રકારે પોતાના પક્ષમાં સામેલ કર્યા છે. જો કે આ વખતે કોંગ્રેસને અહીંથી આમ આદમી પાર્ટીનું સમર્થન છે(અલબત્ત આમ આદમી પાર્ટી અત્યારે ખુદ બહુ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે.) અહીં બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી બંને પક્ષો માટે ખાસ રહેવાની છે.

ગુજરાતમાં ભાજપ કેટલીક બેઠકો ઉપર ઉમેદવારની પસંદગીમાં થાપ ખાઈ ગયો છે જેના મૂળમાં સ્થાનિક નેતાગીરીએ પ્રદેશ નેતૃત્વને અંધારામાં રાખ્યાનું પણ સ્પષ્ટ દેખાય છે , પ્રદેશ નેતૃત્વ આપસી લડાઈમાં પોતાના વફાદાર નેતાઓને આગળ કરવામાં રહ્યું

*ગુજરાત લોકસભા 2024ની વાત કરીએ તો,*
ગુજરાતમાં ભાજપ કેટલીક બેઠકો ઉપર ઉમેદવારની પસંદગીમાં થાપ ખાઈ ગયો છે જેના મૂળમાં સ્થાનિક નેતાગીરીએ પ્રદેશ નેતૃત્વને અંધારામાં રાખ્યાનું પણ સ્પષ્ટ દેખાય છે , પ્રદેશ નેતૃત્વ આપસી લડાઈમાં પોતાના વફાદાર નેતાઓને આગળ કરવામાં રહ્યું. સર્વસ્વીકૃત ઉમેદવારની જગ્યાએ કેટલાક ઉમેદવારને ઠોકી બેસાડ્યા. સિનિયર નેતાઓ અવહેલનાના અસંતોષમાં અને 156 બેઠકોના અહંકારમાં નિષ્ક્રિય રહ્યા. સુરેન્દ્રનગરમાં લોકસભા સાંસદની જગ્યાએ ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપતાં સ્થાનિક તળપદા કોળી સમાજે ભાજપ સામે બળવો પોકાર્યો. વડોદરાના રંજનબેન ભટ્ટ તેમજ સાબરકાંઠાના ભીખાજી ઠાકોર મામલે પાર્ટીમાં અંદરોઅંદર અસંતોષની ચર્ચાનું બજાર ગરમાયુ હતું. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની જગ્યાએ શોભનાબહેન બારૈયાને ટિકિટ અપાઈ તો એનો પણ વિરોધ થયો. આ બધા મામલે, બીજેપીમાં અંદરોઅંદરના ડખા અને અસંતોષ ઉડીને આંખે વળગે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મોઢે ફીણ આવી ગયાં હોવા છતાં મિથ્યાભિમાનમાં રાચતા નેતાઓનો ઓવરકોન્ફિડન્સ ભાજપને બે પાંચ સીટોનું નુકશાન કરાવે તો નવાઈ નહીં. ભાજપના જુના વિશ્વાસુ નેતાની જગ્યાએ કોંગ્રેસમાંથી આવેલ સક્ષમ નેતાઓને સ્થાન આપી ભાજપે આંતરિક જુવાળ વહોરી લીધો છે. ઉમેદવારોની પસંદગીમાં જાણે ભાજપને ’હાર’ નામના ફેક્ટરનો ડર જ ન હોય એમ પરિપક્વતા દાખવ્યા વગરની છે. આ બાબતે એમ કહી શકાય કે કદાચ દેશના વિભિન્ન રાજ્યોમાં એક બાદ એક મળેલી જીત, ભાજપના સર પર ચડી બોલી રહી છે.

બીજું, ગુજરાતમાં ગત બે ચુંટણીમાં વધુ મતદારો ધરાવતા સમાજના જ્ઞાતિગત સમીકરણ નિર્ણાયક સાબિત થયા છે. દરેક પક્ષ જ્ઞાતિવાદ પર લડ્યો છે. અને હવે ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે જ મતદારોની સંખ્યામાં અગ્રેસર રહેલા સમાજમાં ઉભી થયેલી નારાજગી અને ગરમાગરમી વચ્ચે તમામ રાજકીય પક્ષો જ્ઞાતિને સાધવાના સમીકરણો રચે તો નવાઈ નહીં!

અરવિંદ સ્વામી કહે છે કે, રાજકારણમાં ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ થઈ ગઈ છે. એક સમાજની મોટી જ્ઞાતિ તરીકે ઓળખાણ હોય, ત્યાં જુદા જુદા જૂથ પડી ગયા છે. રાજકારણીઓએ જ એનું વિભાજન જ કરી નાખ્યું છે. એ સમાજની બહુમતી તૂટી ગઈ અને નબળી થઈ છે. એટલે એક જ સમાજના ત્રણ-ચાર જૂથ કરી નાખ્યા છે. ધીમે ધીમે અંદરો અંદર તેમના ઇગો અથવા રાજકારણના લીધે જે તે સમાજની સંખ્યા હોવા છતાં એકતા અને સંગઠનના અભાવે તેમની તાકાતમાં ઘટાડો થયો છે.

સુરેન્દ્રનગર બેઠક પર કોળી સમાજનો હોલ્ડ, તળપદા કોળી અને ચુવાળીયા કોળી આમનેસામને છે. આવી પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં ઘણી સીટ પર છે. કડવા પાટીદાર ઉમેદવાર હોય અને સામે લેઉવા પાટીદાર ઉમેદવાર હોય છે, તો મતનું વિભાજન થાય છે. આ અંદરોઅંદરની લડાઈમાં ફાયદો કોઈને નથી. કારણ કે આ સમાજ સિવાય પણ બાકીનો એક બહુ મોટો વર્ગ છે, જેની કુલ સંખ્યા બહુ મોટી છે, જે નિર્ણાયક હોય છે. તે બધા સમાજ કઈ તરફી મતદાન કરે છે તેના પર પરિણામનો આધાર છે. બાકીના અન્ય સમાજની બહુમતી અને ટકાવારી પણ વધારે છે. જ્યારે એક સમાજ બે ભાગમાં વહેંચાઈ જાય ત્યારે મતોનું વિભાજન થાય છે. આ સમયે અન્ય જ્ઞાતિઓ નિર્ણાયક સાબિત થતી હોય છે. આ ચૂંટણીમાં પણ અન્ય જ્ઞાતિઓનું મતદાન જે પાર્ટી તરફ થશે એને વધારે ફાયદો થશે.

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને અઅઙને મોટો ફટકો મળ્યો છે. કામરેજ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ રમેશ ભાદાણી,તાલુકા કોંગ્રેસ મહિલા નેતા દિવ્યા નાવડિયા,  મગન ખોડીફાડ નેતાઓ ભાજપમાં જોડાયા છે. તેમજ 500 જેટલા કોંગ્રેસ અને અઅઙ ના સક્રિય કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. મંત્રી પ્રફુલ પાનસીરિયાએ તમામને ખેંસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપ્યો છે. તો આ બાજુ, સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ ઝડપથી નવીનવી ઉથલપાથલ થઈ રહી છે. હાલની સ્થિતિ જોઈએ તો અત્યાર સુધી 26 માંથી 26 બેઠક જીતનાર ભાજપને કદાચ બે-ચાર બેઠકનું નુકશાન ભોગવવું પડે તો નવાઈ નહીં.ક્ષત્રિય આંદોલનની પણ પરિણામ પર અસર પડી શકે છે. રાજ્યની 26 લોકસભા બેઠકમાંથી ક્ષત્રિય આંદોલન કેટલીક બેઠકોને સ્પર્શી શકે છે અથવા ક્ષત્રિયોના આંદોલનને તે કેટલા અંશે પચાવી શકે છે તેના પર પણ પરિણામનો મદાર રહેશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકોમાં રાજા રજવાડાઓનું વિશેષ મહત્વ રહેલું છે. રજવાડાનું આ અપમાન લોકો કેટલા અંશે સહન કરશે તેની પણ અસર મતદાનમાં દેખાય આવશે.

રાજ્યની 26 લોકસભા બેઠકમાંથી ક્ષત્રિય આંદોલન કેટલીક બેઠકોને સ્પર્શી શકે છે અથવા આંદોલનને તે કેટલા અંશે પચાવી શકે છે તેના પર પણ પરિણામનો મદાર

ભાવનગર લોકસભા, ભાવનગરના પીઢ પત્રકાર મહેન્દ્ર ઝવેરી કહે છે કે સામાજિક સમીકરણની વાત આવે તો જે મતદારોની સંખ્યા વધુ હોય, તેના પર આખું ગણિત મંડાતું હોય છે. ભાવનગર જિલ્લામાં કોળી સમાજના મતદારોનું વિશેષ મહત્વ છે.બીજા નંબરે પટેલ સમાજ, ત્રીજા નંબર પર ક્ષત્રિયો અને ચોથા નંબર પર અન્ય જ્ઞાતિ આવે છે. ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજના આંદોલનના પડઘા પડ્યા છે. હવે આ ચૂંટણી દરમિયાન ભાવનગરમાં ક્ષત્રિય સમાજનો રોષ કેટલાક અંશે મતદારોને ફેરવી શકે છે. બીજા નંબરે કોળી સમાજના મતદારમાં બે ભાગ પડશે. કારણ કે ભાવનગરમાં બંને પક્ષના સક્ષમ ઉમેદવાર કોળી સમાજના છે. ત્રીજી વાત કરીએ તો હાલની પરિસ્થિતિ જોતા સામાન્ય માણસ અસંખ્ય સરકારી પગલાથી ગળે આવી ગયો છે. જો તે લોકો મતદાન કરવા નીકળશે તો પરિણામ ભાજપની કલ્પના બહારનું પણ હોઈ શકે. અલબત્ત, એક બાજુ રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉત્તરાખંડના ગૌચરમાં રેલીમાં કહી રહ્યા છે કે કોંગ્રેસ આગામી કેટલાક વર્ષોમાં ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે. કોંગ્રેસનું નામ લેતા બાળકો પૂછશે કોંગ્રેસ કોણ છે! બીજી બાજુ રૂપાલા વિવાદ થંભવાનો નામ નથી લેતો. રાજકોટના ત્રંબા ગામે ગુજરાતના કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી ભાજપની સભામાં એકઠા થયેલા ક્ષત્રિય સમાજના લોકોએ પરશોત્તમ રુપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ખુરશીઓ ઉછાળી હતી. જો કે પોલીસે પરિસ્થિતિને કાબુમાં કરી લીધી હતી.

ઉપર જણાવ્યા એ બધા નકારાત્મક પરિબળ ઉપરાંત મીડિયા સર્જિત ઉહાપોહ પછી પણ પ્રજામત મોદીતરફી હોવાના કારણે અને કોંગ્રેસ મૃતપ્રાય હોવાથી ભાજપ હેટ્રિક કરશે જ એમ કહી શકાય. પરંતુ પ્રજાની નારાજગીનો અંદાજ મોદીને આવી ગયો હોવાથી ચૂંટણી બાદ સરકાર અને સંગઠનમાં ધરખમ ફેરફારો આવશે એ નિશ્ચિત છે

You Might Also Like

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

ઝેરી કફ સીરપ કાંડ: બાળકોના જીવ બાદ જાગી તંત્રની નિંદ્રા

રાવણ એક, પ્રતિભા અનેક

દેવીપૂજા: પ્રાચીન મૂળથી આધુનિક યુગ સુધીની વૈશ્ર્વિક યાત્રા

ભારતની લોકદેવીઓ અને ગ્રામ્ય દેવીઓ

TAGGED: Gujarat, lokasabhaelection2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આખું જીવન અને જગત મિથ્યા છે, માયા સ્વરૂપ છે
Next Article મુખ્ય 90 ઉત્પાદનોમાં ભારતની ચીનને નિકાસમાં વધારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Hemadri Acharya Dave

ઝેરી કફ સીરપ કાંડ: બાળકોના જીવ બાદ જાગી તંત્રની નિંદ્રા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Hemadri Acharya Dave

રાવણ એક, પ્રતિભા અનેક

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?