ખેડૂતોનાં પ્રશ્ર્નો ઉકેલવા નેશનલ હાઇવેનાં અધિકારીઓને સૂચના આપી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં પ્રાંત અધિકારીએ જૂનાગઢ તાલુકાનાં સરગવાડા અને વધાવી ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂતોનાં પ્રશ્ર્નો ઉકેલવા નેશનલ હાઇવેનાં અધિકારીઓને સૂચના આપી હતી.
- Advertisement -
જૂનાગઢમાં નવા બાયપાસનું કામ ચાલી રહ્યું છે.મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે. નવો બાયપાસ બનતા ખેડૂતોનાં રસ્તા સહિતનાં મુદા ઉઠ્યાં હતાં અને આ અંગે રજુઆતો પણ કરવામાં આવી હતી. ત્યારે જૂનાગઢનાં પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાએ જૂનાગઢ તાલુકાનાં સરગવાડા અને વધાવી ગામની મુલાકાત લીધી હતી. સાથે જ નેશનલ હાઇવે દ્વારા કરવામાં આવતા રસ્તાનાં કામનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ખેડૂતોની સમસ્યાને લઇ નેશનલ હાઇવનાં અધિકારીઓને સૂચના આપી હતી. ખેડૂતોની સમસ્યા હલ કરવા તાકીદ કરી હતી.