ગિર સોમનાથ જિલ્લાની તમામ અદાલતોમાં કેસના સમાધાનથી નિકાલ આવે તે માટે રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા.11 ફેબ્રુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કર્યું છે. આ લોક અદાલતમાં અરજદારો જુદા-જુદા પ્રકારના કેસો રજુ કરી શકશે. જેના માટે તેઓએ જિલ્લા તથા કાનુની સેવા સમિતીનો સંપર્ક કરવા જણાવાયું છે.ગીર સોમનાથ જિલ્લાની તમામ તાલુકાની અદાલતોમાં તા.11 ફેબ્રુઆરીના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં અરજદારો નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138ના કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની દાવાઓ, બેંક લેણાના કેસ, વાહન અકસ્માત કલેઈમના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્નસંબંધી તકરારોના કેસ, જમીન સંપાદનને લગતા જેવા કેસો મુકી શકાશે.જે માટે અરજદારોએ કેસ મુકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, વેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટોમાં આવેલા તાલુકાના કાનુની સેવા સમિતીનો સંપર્ક કરવા એમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર સોમનાથના અધ્યક્ષ પી.જી. ગોકાણી તથા સેક્રેટરી કે.જી. પટેલ એ એક યાદીમાં જણાવવામાં આવેલું છે.
ગિર સોમનાથની અદાલતોમાં 11 ફેબ્રુઆરીએ નેશનલ લોક અદાલત યોજાશે
Follow US
Find US on Social Medias