કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી હસ્તે લોકાર્પણ: ગિરનાર રોપ-વે બાદ બીજો મહત્વનો પ્રોજેકટ કાર્યરત થશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢમાં ગિનાર રોપ-વે મહત્વનો પ્રોજેકટ હતો. સવા વર્ષ પહેલા ગિરનાર રોપ-વે શરૂ થયો છે. બાદ હવે કેશોદ એરપોર્ટ પણ શરૂ જવા રહ્યું છે. કેશોદ એરપોર્ટ પર કોમર્શીયલ ઉડાન શરૂ કરવાની માંગનો 12 માર્ચે 2022નાં અંત આવશે. કેન્દ્રીય ઉડયનમંત્રી હસ્તે વિમાન સેવાનું લોકાર્પણ થશે. કેશોદ – મુંબઈ – કેશોદ એલાયન્સ કંપનીનું ATR-72 સીટ વાળું વિમાન ઉડાન ભરશે, સમય અને ભાડું નક્કી થશે.
કેન્દ્રીય ઉડુયનમંત્રી જ્યોતિરાદિત્ય સીધિંયા દ્વારા 12 માર્ચ 2022 ના રોજ કોમર્શીયલ રૂટ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે. નવાબીકાળ સમયથી ભારતભરના ગણ્યાં ગાંઠ્યાં એરપોર્ટમાં કેશોદ એરપોર્ટની અલગ ઓળખ છે. આ એરપોર્ટ પર 2000ની સાલથી કોમર્શીયલ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ 17 સીટનું વેઈટિંગ રહેતું હતું. આ માટે સ્થાનીક રાજકારણની ઢીલી પક્કડ અને જે તે સમયે દીવમાં એરપોર્ટ ચાલું થતાં ટ્રાફિક ઓછો થયો હોય તેવું અનુમાન લગાવવામાં આવતું હતું પરંતુ કેશોદ વાણિજ્ય વિમાની સેવા બંધ થતાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દેશ વિદેશમાં રહેતાં અને સતત વિમાની મુસાફરી કરતાં પર્યટકોને મુસાફરી કરવામાં મુશ્કેલીઓ ઉભી થતાં કેશોદ એરપોર્ટ પર કોમર્શીયલ રૂટ શરૂ કરવા જોરદાર માંગ ઉઠવા પામી હતી. જેતે સમયે કેન્દ્ર સરકારે કેશોદ એરપોર્ટનો ઉડાન યોજના હેઠળ સમાવેશ કર્યો હતો.
ત્યારથી આ એરપોર્ટ પર જનરલ એવિએશન ઓથોરીટીના નવા નિયમ પ્રમાણે જરૂરી સુરક્ષા અને સુવિધાઓ ન હોય હાઇરાઇઝડ બિલ્ડીંગ અને મોબાઈલ ટાવરની ઊંચાઈના સર્વે હાથ ધર્યા હતાં ત્યારબાદ રનવે, સુરક્ષા દિવાલ નજીક સર્વિસ રોડ, હાઈજેક કંટ્રોલ રૂમ, આગમન અને પ્રયાણ બંન્ને વિભાગોને ફુલી એરક્ધડીશન કરવામાં આવ્યાં આધુનિક ફાયરસેફ્ટી મેડિકલ જેવી 25 કરોડ કરતાં વધુ ના ખર્ચે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. કેશોદ એરપોર્ટ ઓથોરીટી ડાયરેક્ટર પ્રસન્નાએ જણાવ્યું કે તા. 12 માર્ચ 2022 ના ઉડુયનમંત્રી લોકાર્પણ કરશે જ્યારે તા. 13 માર્ચથી દરરોજ એલાયન્સ કંપનીનું ATR – 72 બેઠકવાળું વિમાન મુંબઈ થી કેશોદ અને કેશોદ થી મુંબઈ ઊડાન ભરશે. જ્યારે ભાડું કંપની નક્કી કરતી હોય અને હજુ સમયની વિગતો મળી નથી.
- Advertisement -
જૂનાગઢનાં નવાબે 460 એકર જગ્યામાં પોતાના માટે બનાવ્યું હતું એરપોર્ટ
જૂનાગઢના નવાબે કેશોદમાં 460 એકર જગ્યામાં પોતાના પ્લેન માટે એરપોર્ટ બનાવ્યું હતું. બાદમાં 1980માં સરકાર દ્વારા તેનું રિનોવેશન કરાયું હતું અને 2000ના વર્ષ સુધી વિમાન સેવા ચાલુ રહી હતી. ત્યારથી વિમાનસેવા બંધ હતી જે 23 માર્ચ, 2020ના રોજ કેશોદ-અમદાવાદ સેવા દ્વારા ફરી શરૂ થઈ હતી.


