ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઐતિહાસીક ઉપરકોટ કિલ્લો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયા બાદ આજથી તા.2 ઓકટોબર સુધી પ્રવાસીઓ માટે નિ:શુલ્ક ખુલ્લો મુકવામાં આવશે ત્યાર બાદ જે ટીકીટ ના દર નક્કી થયા છે તે મુજબ ચાર્જ વસૂલવામાં આવશે જેમાં 12 વર્ષથી ઉપરના વ્યક્તિ માટે રૂ.100 તથા 12 વર્ષથી નીચેના માટે રૂ.50 અને વિદેશી પર્યટક માટે રૂ.500 નકકી કરવામાં આવ્યાં છે તેમજ કિલ્લાની અંદર બનાવેલ લાઈટ એન્ડ સાઉન્ડ શો જોવા માટે 12 વર્ષથી ઉપરના વ્યક્તિ માટે રૂ.150 તથા 12 વર્ષથી નીચેના માટે રૂ.75 તેમજ વીદેશી પર્યટક માટે રૂ.500 દર નકકી કરવામાં આવ્યો છે
ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો 2જી ઓકટોબર સુધી પ્રવાસીઓ માટે નિ:શુલ્ક ખુલ્લો
