આજે દત્ત ભગવાન, ગણેશજી અને ગાયત્રી માતાજીની પાલખી યાત્રા
ભવનાથ મહાદેવ મંદિરે મહાપૂજા, મહાઆરતી અને વિશેષ શૃંગાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
યુગો યુગોથી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીનો લઘુકુંભ મેળો યોજાય છે આજે મહાશિવરાત્રી પર્વેના અંતિમ દિવસે વેહલી સવારથી ભવનાથ મહાદેવ મંદિરે ભોળાનાથને વિશષે શૃંગાર સાથે મહાઆરતી અને મંત્રોચાર સાથે પૂજન અર્ચનથી મહાશિવરાત્રી પર્વના પાવન દિવસે લાખોની સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શન કરીને ધન્ય બન્યા હતા.અને સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.તેમજ આજે રાત્રે 9 કલાકે નાગા સન્યાસી સાધુઓની શાહી રવાડી નીકળશે અને ત્યાર બાદ ભવનાથ તળેટીના નિયત રૂટ પર ભવ્ય અને દિવ્ય વાતાવરણ વચ્ચે રવાડમાં નાગા સાધુ દ્વારા અલભ્ય અંગ કસરતના દાવ સાથે જોવા મળશે અને ત્યાર બાદ ભવનાથ મંદિરે આવેલ મૃગી કુંડમાં સાધુ – સંતો અને નાગા સન્યાસી સાધુના શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થશે ત્યારે આ સનાતન ધર્મની ધજા હેઠળ લાખો ભક્તો જોડાશે. ગિરનારની ગોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 22 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રિનો મેળોનો પ્રારંભ થયો છે. જેમાં મેળાના અંતિમ દિવસે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના પાવન દિવસ પર ભવનાથ મહાદેવ મંદિર અન્નકોટ, વિશિષ્ટ શૃંગાર સહિતના આયોજનો કરાયા છે.
શિવરાત્રિની સંધ્યાથી સાધુ- સંતોની રવેડી નિકળશે બાદમાં રવેડીના સર્વે સાધુ- સંતો મૃંગીકુડમાં સ્નાન કરશે. પરંતુ સાધુ- સંતો પહેલા દર વર્ષે તસવીરમાં આપેલ દત્તમહારાજ, ગણેશજી અને ગાયત્રીમાતાની પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવવામાં આવે છે પછી જ તમામ સાધુઓ શાહી સ્નાન કરે છે. શિવરાત્રિના મેળા દરમિયાન આખુ ભવનાથક્ષેત્ર રોશનીથી ઝગમગતુ હોય છે પરંતુ ભવનાથ મહાદેવ મંદિરનો ઝગમગાટ તો કાંઇક અલગ જ હોય છે. મહાશિવરાત્રિ રાત્રે દિગંમ્બર સાધુઓની રવેડી અને ભગવાન દત્તાત્રેય સહિતની પાલખીયાત્રા નીકળે છે. આ નિમિતે આ વખતે પણ ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમીની ટીમ મૃગીકુંડમાં રપ0 કિલો ગુલાબી પાંખડીનો છંટકાવ કરશે તેમજ તળેટી વિસ્તારમાં રવેડી દરમિયાન 2000 કિલો ફૂલો વડે રવેડી અને દિગંબર સાધુઓને આવકારશે. ભગવાન શંકર સહિતના દેવગણો ખુદ મહા શિવરાત્રિના મેળામાં હાજર હોય તેવુ લોકો માની રહ્યા છે. જેથી અલૌકિક સ્વરૂપે પધારેલ ભગવાનન ેઆવકારવા માટે મૃગીકુંડમાં દિગંભર સાધુઓ શાહી સ્નાન માટે આવે છે. ત્યારે કુંડમાં રપ0 કિલો ગુલાબની પાંખડીઓથી કુંડને શણગારવામાં આવશે. આ ઉપરાંત ભવનાથ મંદિર અને પરિસરમાં પણ ફૂલો પાથરવામાં આવશે. રવેડીના પ્રારંભથી લઇ અંત સુધીના રૂટો ફૂલો પાથરી દિગંબર સાધુઓ અને સંતો મહંતોને આવકારવામાં આવશે. ભવનાથ તળેટીમાં આવેલ તમામ ધુણાઓને દત્ત ભગવાનના પ્રિય સફેદ ફૂલના ગોટાળાઓથી શણગારશે. આ ઉપરાંત દિગંમ્બર સાધુઓને પણ ફૂલો વડે આવકારવમાં આવશે. સાક્ષાત મહોવ મેળામાં અલૌકિક રૂપિે પધારતા હોવાથી તેને આવકારવા રવેડી દરમિયાન ફુલ ર000 કિલો ફુલનો ઉપયોગ કરવામાં આવશે. ભવનાથ તળેટીમાં આવેલ અંદાજિત રપ0થી વધુ અલગારી સંતોના ધુણાને શણગારી રવેડીાના રૂટ પર પુષ્પ વર્ષા કરવામાં આવશે.
મૃગી કુંડને 250 કિલો ફૂલોથી શણગાર, રવાડી રૂટ પર ફૂલ પથરાશે
- Advertisement -
મહાશિવરાત્રી મેળામાં શાહી સ્નાનનું અનેરું ધાર્મિક મહત્ત્વ
સનાતન ધર્મની પરંપરામાં કુંભ અને મહાકુંભ મેળાને ધર્મની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે, કુંભ અને મહાકુંભમાં દિવસ દરમિયાન શાહી સ્નાન થતું હોય છે, પરંતુ ભવનાથમાં આવેલા મૃગીકુંડમાં મધ્યરાત્રીએ 12 વાગ્યે શાહી સ્નાન થાય છે, આ સ્નાન પૂર્વે તમામ અખાડાઓના ઇષ્ટદેવને પૂજન અર્ચન અને વૈદિક મંત્રોચાર સાથે પ્રથમ સ્નાન કરાવ્યા બાદ સંતો મહંતો અને નાગા સન્યાસીઓ દ્વારા મૃગીકુંડમાં શાહી સ્નાન માટે ડુબકી લગાવવામાં આવે છે, જેમાંથી કોઈ એક શિવ તત્ત્વરૂપી સાધુ મૃગીકુંડ માંથી પાતાળલોક પ્રવેશ કરે છે તેવી લોક વાયકા છે. આ શાહી સ્નાનના દર્શન કરવા લાખો શિવભક્તોની પડાપડી જોવા મળે છે.



