ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં 150 વર્ષ જૂનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. મધરાતે કોઇ પણ પ્રકારની નોટિસ વગર માતા રાનીના મંદિર પર બુલડોઝર ફેરવીને ધ્વંસ કરાયું હતું. પાકિસ્તાનના સ્થાનિક પ્રશાસનના આશિર્વાદથી જ આ કામને અંજામ આપવામાં આવ્યો હતો. માતા રાની મંદિર કરાંચી આસપાસ રહેતા હિંદુઓ માટે શ્રધ્ધાના કેન્દ્ર સમાન હતું. 500 ચોરસ ફૂટમાં બનેલું મંદિર આઝાદીના ઇતિહાસનું પણ સાક્ષી રહયું છે.
આ મંદિરની નીચે વિશાળ જગ્યામાં પોલાણ જોવા મળે છે જેમાં ખજાનો છુપાયો હોવાની પણ માન્યતા રહી છે. સ્થાનિક પ્રશાસને મંદિરની જમીન મળતિયા બિલ્ડરને આપવા ઇચ્છતી હોવાનું બહાર આવ્યું છે. ભાગલા પડયા ત્યારે પાકિસ્તાનમાં 428 થી વધારે વિશાળ મંદિરો હતા. વર્તમાન સમયમાં મોટા ભાગના તોડવામાં આવ્યા છે અથવા તો જીર્ણોધ્ધાર વિના ખંડર હાલતમાં જોવા મળે છે.
- Advertisement -
જયારે પણ હિંદુઓની લાગણી દૂભાવવી હોય ત્યારે મંદિર પર કટ્ટરપંથીઓ હુમલો કરે છે.કયારેક હનુમાનજી તો કયારેક ભગવાન શ્રીકૃષ્ણના મંદિરોને કટ્ટરપંથીઓ નિશાન બનાવે છે.