24મી જુલાઈએ વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુદ્દત પૂર્ણ
રાષ્ટ્રપતિની ચૂંટણીનું 18 જુલાઈએ મતદાન, 21મીએ મત ગણતરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચૂંટણી પંચે આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને રાષ્ટ્રપતિની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થાય છે. 15મી જૂને નોટિફિકેશન જાહેર થશે. 29મી જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 30 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી થશે. તેમજ 3 જુલાઇ સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. જ્યારે 18મી જુલાઇએ મતદાન થશે. 21મી જુલાઇએ મતગણતરી થશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પુરો થવાનો છે. ગઈ વખતે 17 જુલાઈ 2017માં નવા રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થઈ હતી.
બંધારણના અનુચ્છેદ 62 નો ઉલ્લેખ કરીને, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થાય છે અને તે પહેલાં આગામી રાષ્ટ્રપતિની પસંદગી માટેની ચૂંટણીઓ પૂર્ણ થવી જોઈએ. સંસદના બંને ગૃહોના સભ્યો ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. રાજ્યસભા, લોકસભા અથવા વિધાનસભાના નામાંકિત સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. તેવી જ રીતે, રાજ્યોની વિધાન પરિષદના સભ્યોને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર નથી. ઉલ્લેખનીય છે કે 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 17મી જુલાઈએ મતદાન થયું હતું અને 20મી જુલાઈએ મતગણતરી થઈ હતી.
સભ્યોના મતનું મૂલ્ય કેવી રીતે થાય છે નક્કી?
ધારાસભ્યોના મતોનું મૂલ્ય: રાજ્યના ધારાસભ્ય પાસે કેટલા મત છે તે જાણવા માટે, તે રાજ્યની વસ્તીને રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે છે. ત્યારબાદ જે નંબર આવે છે તેને 1000 વડે ભાગવામાં આવે છે. પછી રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય ખબર પડે છે.
- Advertisement -
સાંસદના મતનું મૂલ્ય:
સાંસદોના મતનું મૂલ્ય જાણવું થોડું સરળ છે. દેશના તમામ ધારાસભ્યોના મતના મૂલ્યને લોકસભા અને રાજ્યસભાના સાંસદોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. પછી જે અંક આવે છે તે સાંસદના મતનું મૂલ્ય છે. જો આ રીતે ભાગ્યા પછી શેષ 0.5 થી વધુ હોય, તો વેટેજમાં એકનો વધારો થાય છે. એટલે કે સાંસદના વોટની કિંમત 708 છે. એટલે કે 776 સાંસદો (543 લોકસભા અને 233 રાજ્યસભા)ના કુલ મતોની સંખ્યા 5,49,408 છે.
UPA ગઠબંધન પાસે 23% જ્યારે ગઉઅ ગઠબંધન પાસે 49% વોટબેંક
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરવા લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને રાજ્યો અને સંઘ શાસિત રાજ્યોના ધારાસભ્યોની સંખ્યાના આધારે એનડીએ ગઠબંધન યુપીએ ગઠબંધનની સરખામણીએ ખૂબ આગળ છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરનાર રાજકિય ગઠબંધનોની વાત કરીએ તો કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધન પાસે હાલ 23 ટકા વોટબેન્ક છે. જ્યારે એનડીએ ગઠબંધન પાસે યુપીએ કરતા બમણી એટલે કે અંદાજે 49 ટકા વોટબેંક છે.