ઘટના નં 1..લૉનના હપ્તા ચડી જતાં ટિફિનના ધંધાર્થીએ સોપારીના સૂડાંથી
ગળું કાપી નાખ્યું
ઘટના નં 2..પરિવારે ઑનલાઈન વ્યવસાય કરવાની ના પાડતા યુવતીનો ફાંસો ખાઈ આપઘાત
- Advertisement -
ઘટના નં 3.. માનસિક અસ્થિર પુત્રની ચિંતામાં પિતાએ આપઘાત કર્યો
ઘટના નં 4.. વેપારમાં મંદી આવતા વેપારીએ જીવાદોરી કાપી
રાજકોટમાં એક જ દિવસમાં ચાર લોકોએ આપઘાત કરી લેતા પરિવારોમાં ઘેરા શોકનો માહોલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટની ભાગોળે કુવાડવા ગામે રહી ઓનલાઈન પ્રોડક્ટનો વેપાર કરતાં ધર્મિષ્ઠાબેન રમેશભાઈ ગોહેલ ઉ.25 નામની યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ધર્મિષ્ઠા મૂળ ભાવનગરની વતની અને કુવાડવા ગામે ભાડાની ઓરડીમાં રહી કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે તેના પિતાએ કામ મૂકી ભાવનગર પાછું આવી જવાનું કહેતાં હતાં લાગી આવતાં આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે રજપૂતપરામાં રહેતા રાજેશભાઈ બટુકભાઈ ચૌહાણ ઉ.58 નામનાં પ્રૌઢે મિત્રની દુકાને જઇ સોપારી કાપવાના સુડાથી ગળું કાપી આપઘાત કરી લેતા એ ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં રાજેશભાઈ અને તેના પરિવારજનો ટિફિન સર્વિસનું કામ કરી ગુજરાન ચલાવે છે. બેંકમાંથી લોન લીધી હોય અને વ્યાજ, ચડત હપ્તા સહિત અંદાજે 15 લાખનું દેણું થઇ જતાં ચિંતામાં રહેતા હતા ગઈ કાલ સાંજે પાડોશમાં જ સોપારી કટિંગનું કામ કરતાં તેમના મિત્ર સુરેશભાઈ કરશનભાઈ ચૌહાણની દુકાને બેસવા ગયા હતા સુરેશભાઇ ચા લેવા ગયા હતા ત્યારે રાજેશભાઇએ આ પગલું ભરી લીધું હતું
કોઈ કારણસર રાજેશભાઈએ બેંકમાંથી લોન લીધી હતી અને લોનના વ્યાજ સહિત અંદાજે રૂ.15 લાખનું દેણું થઇ ગયું હતું.લાખોના દેણાને કારણે ત્રણેક દિવસથી રાજેશભાઇ ચિંતામાં રહેતા હતા.ગઈ કાલ સાંજે રાજેશભાઇ નિત્યક્રમ મુજબ પાડોશમાં જ સોપારી કટિંગનું કામ કરતાં તેમના મિત્ર સુરેશભાઈ કરશનભાઈ ચૌહાણની દુકાને બેસવા ગયા હતા. થોડીવાર બેઠા બાદ સુરેશભાઇ ચા લેવા ગયા હતા અને સુરેશભાઈ ચા લઇને પરત ફર્યા ત્યારે રાજેશભાઇ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. અને તેમના ગળા પર સોપારી કાપવાનો સૂડો પડયો હતો.
લાખોના દેણાથી કંટાળી પ્રૌઢે આપઘાત કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. ઘટનાથી ચૌહાણ પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બારોટ સહિતની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આણંદપર બાઘી ગામે રહેતા અને ખેતીકામ કરતાં મહેશભાઈ આંબાભાઈ વાઢેર ઉ.50એ પોતાના ઘરે છતના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા પ્રૌઢને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા આજી ડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્ર માનસિક અસ્વસ્થ હોય તેની ચિંતામાં ડિપ્રેશનમાં રહેતા હોય ગઈ કાલે પરિવારજનો બહારગામ ગયા હોય પાછળથી આ પગલું ભરી લીધું હતું તેમજ ગોંડલ રોડ ઉપર શિવનગરમાં રહેતા નિમેષભાઈ રવજીભાઈ સખીયા ઉ.45એ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા માલવિયાનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં નિમેષભાઈને પટેલનગરમાં હાર્ડવેરનું કારખાનું છે વ્યવસાય બરોબર ચાલતો ન હતો જેથી ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો કારખાનેદારના મોતથી એક પુત્ર અને એક પૂત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.