ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો ગીર સોમનાથમા જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારની અને સાંસદ રાજેશભાઈ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતીમાં સોમનાથ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.
આ ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને સોમનાથ ખાતેના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પણ લોકોને રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ મેળો માણનાર ગીર સોમનાથવાસીઓને સહિતના મેળાને માણનારા હજારો લોકોએ રસપૂર્વક નિહાળી હતી.તેમજ ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાને ફાળવવામાં આવેલા ત્રણ અત્યાધુનિક ડિજિટલ રથ વેરાવળના 53, ઉનાના 77, સુત્રાપાડાના 47, કોડીનારના 52, તાલાળાના 45 તેમજ ગીરગઢડાના 56 ગામમાં અલગ અલગ સમયાનુસાર ભ્રમણ કરશે.
ગીર સોમનાથમાં વિકાસ સંકલ્પ યાત્રાના રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું
