ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.30
ઇન્વેસ્ટીગેશન ઓફિસરે રજૂ કરેલા સાક્ષીઓના નિવેદનના આધારે કોર્ટનો નિણર્ય અથોડા દિવસો પૂર્વે ઓડદર રોડ પર આવેલી દાદીમાનું દેશીભાણું નામની રેસ્ટોરન્ટમાં 6 જેટલા ઇસમો રાત્રીના સમયે આવી ‘અમે આવ્યે એટલે તારે જમવાનું બનાવવું પડે’ કહી રેસ્ટોરન્ટના ચોકીદાર અને વેઇટર સાથે મારામારી કરી હતી અને તોડફોડ કરી બે હજાર રૂૂપિયા જેટલા સામાનની નુકશાની કરી હતી.
આ બાબતે પોરબંદરના જાણીતા એડવોકેટ જગદીશમાધવ મોતીવરસ દ્વારા હાર્બર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ દાખલ કરાવાય હતી. આ ફરિયાદમાં ઇન્વેસ્ટીગેશન ઓફિસર હાર્બર મરીન પો.સ્ટે.ના પીઆઇ સાળુકેએ કરેલી તપાસમાં લીધેલા સાક્ષીઓના નિવેદનો કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટ દ્વારા આ ફરિયાદમાં એટ્રોસીટી એક્ટ ઉમેરવાનો હૂકમ કર્યો હતો. બનાવની વિગત એવી છે કે આજથી થોડા દિવસ પહેલા આ ફરિયાદ અંતગર્ત ઓડદર રોડ ઉપર આવેલ દાદીમાનું દેશીભાણુ નામની રેસ્ટોરન્ટમાં 6 જેટલા ઈસમો દ્વારા રાત્રીના સમયમાં રેસ્ટોરન્ટના ચોકીદાર રાજાભાઈ કોડિયાતર તથા વિશાલભાઈ રાઠોડને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરવામાં આવેલ હતી.
- Advertisement -
જેથી વકીલ જગદીશમાધવ મોતીવરસ દ્વારા હાર્બર પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપવામાં આવેલ હતી આ ફરિયાદ અંતર્ગત ઈં/ઘ દ્વારા કોર્ટે સમક્ષ એસ્ટ્રોસીટી એક્ટની અલગ અલગ કલમના ઉમેરાનો રિપોર્ટ કરતા તે રિપોર્ટ કોર્ટે દ્વારા માન્ય રાખેલ અને આમ આ બાબતે ફરિયાદી વકીલ જગદીશમાધવ મોતીવરસઓને ફોન ઉપર પૂછતા કે અમો ખારવા સમાજના હોય તો આ એસ્ટ્રોસીટીનો ઉમેરો કંઈ રીતે થઈ શકે? શું તમે વકીલ છો તેના કારણે કે કોઈ વગના આધારે આ એસ્ટ્રોસીટીકલમ લગાડવામાં આવેલ તેના જવાબમાં વકીલએ જણાવેલ કે આ બાબતે કોઈ ફોન ઉપર વાતચીત થઈ શકે તેમ ન હોય અને તપાસ કરનાર અધિકારી દ્વારા તપાસ કરી અને કોર્ટમાં રિપોર્ટ કરેલ અને એસ્ટ્રોસીટી એક્ટનો ઉમેરો કરવો એ કાયદાનો પ્રશ્ર્ન છે અને કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ હાલના કામે આરોપીઓ વિરૂદ્ધ કેસમાં એસ્ટ્રોસીટી એક્ટનો ઉમેરો કરવામાં આવેલ.