ખાસ-ખબર ન્યૂઝ મોરબી
છેલ્લા આઠ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્ર પર મોરબીમાં સૌથી વધુ બાળકોને ટીપા પીવડાવ્યા બાદ આ વખતે પણ શુક્રવારે પુષ્યનક્ષત્ર પર આયુ જીવન આયુર્વેદ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તા. 25 જુલાઈ શુક્રવારના રોજ 83 મો વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે. સમગ્ર ગુજરાતમાં એક જ સ્થળે સૌથી વધુ બાળકોને ફ્રીમાં ટીપા પીવડાવવાનો રેકોર્ડ આ કેમ્પના નામે છે. જેનું સ્થળ અને સમય આ પ્રમાણે રહેશે:- શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, તથા પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી તેમજ સમય : સવારે 10 થી 01 સાંજે 04 થી 06 રહેશે. આ કેમ્પમાં જન્મથી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા પ્રેગ્નન્ટ લેડીઝને આ ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે.
મોરબી ખાતે આવતીકાલે 83મો વિના મૂલ્યે સુવર્ણપ્રાસન ટીપાનો કેમ્પ યોજાશે
