રાજ્યભરમાંથી 500 સહકારી પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે
સહકાર ભારતીના અખિલ ભારતીય રાષ્ટ્રીય અધ્યક્ષ દીનાનાથજી ઠાકુર, રાષ્ટ્રીય મહામંત્રી ઉદયજી જોશી, સંગઠન પ્રમુખ સંજયજી પાંચપોર,પ્રાંત પ્રમુખ કાન્તિભાઈ પટેલ, સંગઠન મંત્રી જીવનભાઈ ગોલે, મંત્રી વિનોદભાઈની વિશેષ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ પાળિયાદ
અધિવેશનનો મુખ્ય થીમ સહકારથી કુપોષણ મુક્ત ગુજરાત છે, સહકાર ભારતી ના પ્રયત્નોથી દરેક મંડળી પાંચ કુપોષિત પરિવાર દત્તક લેશે.
ભારત નું સહકારી ક્ષેત્રનુ સૌથી મોટુ સંગઠન સહકાર ભારતી દર ત્રણ વર્ષે દરેક પ્રાંતનાઅધિવેશન અને એક રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરે છે. જેથી દેશના દરેક કાર્યકર્તાઓ મળી પોતાની વિશેષ ઉપલબ્ધિઓ અને અનુભવોનું વૃત આપે છે. ફળસ્વરૂપે સહકારી ક્ષેત્રનો સમાન અને શ્રેષ્ઠ બૌદ્ધિક વિકાસ થાય અને સહકાર થી સમૃદ્ધિ નું માનનીય નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર થાય.
સહકાર ભારતીનું ગુજરાતનુ પ્રદેશ કક્ષાનુ આ છઠુ અધિવેશન તારીખ 19-20-ઓકટોબર શનિવાર અને રવિવાર ના રોજ બોટાદ જિલ્લાના પાળીયાદ મુકામે સુપ્રસિઘ્ધ પરમ પૂજય વિસામણ બાપુની જગ્યામા યોજાનાર છે.
- Advertisement -
આ અધિવેશનમાં સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ મા.દિનાનાથજી ઠાકુર, રાષ્ટ્રીય મહામંત્રી મા.ઉદયજી જોષી, સંગઠન પ્રમુખ મા.સંજયજી પાંચપોર, ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ મા. કાંતીભાઈ પટેલ, મહામંત્રી વિનોદભાઈ બરોચીયા, સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે તથા પ્રાંત કાર્યાલય મંત્રી અને અધિવેશનના સંયોજક હરેશભાઈ બોરીસાગર ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવાના છે., ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તથા ભાવનગર ડિસ્ટ્રીકટ કો-ઓપ બેન્કના ચેરમેન મા. રસીકભાઈ ભીંગરાડીયા તથા બેન્ક નુ સમગ્ર બોર્ડ ઉપસ્થીત રહેશે. પાળીયાદ જગ્યાના પરમ પૂજય 1008 મહામંડલેશ્વર નિર્મળાબા તથા મુખ્ય વ્યવસ્થાપક ભયલુબાપુ ના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી આશીર્વચન પાઠવશે. અધિવેશનના ઉદ્ઘાટન સમારંભમાં, રાજકોટ મહાનગરના સહકાર ભારતી ના અધ્યક્ષ ડો.એન.ડી.શીલુ સંપાદિત સહકારી સ્મરણિકા સહકાર જ્યોત નુ વિમોચન આદરણીય સહકાર મંત્રી હસ્તે થનાર છે.
તા.19/10 શનીવારે રાત્રે લોક સાહિત્યનો મનોરંજનનો કાર્યક્રમ (ડાયરો) યોજાનાર છે. આ અધિવેશનમાં રાજકોટ મહાનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક માન્ય મહેશભાઈ જીવાણી, સહકાર ભારતી પ્રદેશ ઉપાધ્યક્ષ નલિનભાઈ વસા,રાજકોટની ટીમને શુભેચ્છા પાઠવી હતી અધિવેશનમાં ભાગ લેવા રાજકોટની ટીમઅધ્યક્ષ ડો. એન.ડી.શીલુ, મહામંત્રી જયેશભાઈ સંઘાણી, કોસાધ્યક્ષ એડવોકેટ અનિરુદભાઈ નથવાણી, નિશાબેન પીલોજપરા, મહિલા સંયોજક, વિભાભાઈ મિયાત્રા પુરુષાર્થ ક્રેડિટિવ સોસાયટી, ગીરીરાજસિંહ જાડેજા પશ્ચિમ ઝોનપ્રમુખ ધનવર્ષા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, , લક્ષ્મી ધારાક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી,
રાજ ખોડલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, જોરુભા ખાચર પશ્ચિમ ઝોન કારોબારી સભ્ય સૂર્ય શક્તિ શરાફી મંડળી, પ્રદ્યુમનસિંહ જાડેજા ગ્રામ્ય ઝોન પ્રમુખ મવડી સહકારી મંડળી, જગદીશભાઈ ભંડેરી ગ્રામ્ય જૂન ઉપપ્રમુખ એચબીએસ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી જેનીશભાઈ સીનોજીયા, ગ્રામ્ય ઝોન મંત્રી અનક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, આશિષભાઈ પોપટાણી ગ્રામ્ય ઝોને ખજાનચી મોર લાઇક ક્રેડિટ સોસાયટી. મહેન્દ્રભાઈ ચોવટીયા શિવસાગર ક્રેડિટ સોસાયટી, રાહુલ ચોવટીયા શિવ જ્યોત ક્રેડિટસોસાયટી, કિર્તીભાઈ પટેલ હરિકૃષ્ણ ક્રેડિ.કો. સોસાયટી, જોડાણા હતા.