મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
1955થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો આજથી જીલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.છેલ્લા બે વર્ષથી કોરોના કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ મેળામાં અંદાજે 150થી 200 ખાણી- પીણી સહિત મનોરંજનના સાધનો, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, તેમજ પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્તિકી પૂર્ણિમાના મેળાના પાંચ દિવસ દરમિયાન સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
- Advertisement -
પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. આ વર્ષે પૂનમની તિથિ તા.7 અને 8 નવેમ્બર બન્ને દિવસે હોય સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ એક જ હરોળમાં આવવાથી કાર્તિકી પૂર્ણિમાનો વિશેષ ધાર્મિક મહાત્મય છે. જેને કારણે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાનો મેળો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે. સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યોછે જેમાં સીસીટીવી કેમરા સહીત પોલીસ તંત્ર ના અધિકારી અને સ્ટાફ ખાડે પગે બંદોબસ્ત જાળવશે.