અગાઉ પણ 14 ઘેટાં – બકરાના શંકાસ્પદ મોતનો કિસ્સો સામે આવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ફરી એક વખત ઘેટાંના શંકાસ્પદ મોત થયાનું પ્રકાશમાં આવ્યું છે આ અગાઉ પણ એકાદ મહિના પૂર્વે આ પ્રકારે 14 ઘેટાં અને બકરાના શંકાસ્પદ મોત થયાનું સામે આવ્યું હતું તેવામાં ફરી એક વખત 60 જેટલા ઘેટાં રાત્રીના સમયે મોતને ભેટતાં હવે ગ્રામજનોમાં પણ અનેક શંકા કુશંકા જાગી છે. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નરાળી ગામે રહેતા અને પશુંપાલનના વ્યવસાય કરતા માલધારી દ્વારા શુક્રવારે મોડી રાત્રે પોતાના વાળામાં છોડી મૂક્યા બાદ માલધારી પોતાના ઘરે ચાલ્યા ગયા હતા જ્યારે વહેલી સવારે નિત્યક્રમ મુજબ વાળામાં તપાસ કરતા મોટાભાગે ઘેટાં મૃત હાલતમાં નજરે પડતાં માલધારી દ્વારા આજુબાજુ રહેતા ગ્રામજનોને જાણ કરી હતી
- Advertisement -
જેમાં તમામ 60થી વધુ ઘેટાંના શંકાસ્પદ મોત થયા હોવાનું સામે આવતા તાત્કાલિક પશું ચિકિત્સકને જાણ કરી હતી. જોકે આ અગાઉ પણ નરાળી ગામે એકાદ મહિના પૂર્વે 14 ઘેટાં અને બકરાનું શંકાસ્પદ મોત થયાનું સામે આવ્યું હતું જેથી ગ્રામજનો નું મનવું છે કે હાલમાં જ વન વિભાગ દ્વારા વરું સેન્ટર ખોલવા આવ્યું છે જેમાંથી રાત્રીના સમયે વરું બહાર આવી આ પ્રકારે ઘેતનું મારણ કરતા હશે અથવા તો વરુંને જોઈને દર અનુભવેલા ઘેટાં મૃત્યુ પામ્યા હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે ત્યારે ગ્રામજનો દ્વારા આ પ્રકારની આશંકા વ્યક્ત કરતા અન્ય ગામના રહીશોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.