વિદેશ ભાગી જવાની આશંકા: બેંક ફ્રોડ કેસમાં ઊઉ-ઈઇઈંને પણ જઈની ફટકાર, કહ્યું- તપાસમાં મોડું કેમ કર્યું, આવી ઢીલાશ સાંખી નહીં લેવાય
અનિલ બોલ્યા- વ્યવસાયિક નુકસાન, લોન ચૂકવવામાં નિષ્ફળતા પર ફોજદારી કેસ ન બને
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (અઉઅૠ) સાથે સંકળાયેલા ₹40 હજાર કરોડના બેંક ફ્રોડ કેસમાં તપાસ એજન્સીઓ પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું- ઈઇઈં અને ઊઉ તપાસમાં વિલંબનું કારણ જણાવી શક્યા નથી. બંને એજન્સીઓ પહેલેથી જ ઘણો સમય લઈ ચૂકી છે. આગળ આવી ઢીલાશ સહન કરવામાં આવશે નહીં.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે ઈઇઈં અને ઊઉ ને ચાર અઠવાડિયામાં હાલનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટે નોંધ્યું કે અનિલ અંબાણી તેની પૂર્વ મંજુરી વિના દેશ છોડી શકશે નહીં. ખરેખરમાં, અરજદાર અને પૂર્વ ઈંઅજ અધિકારી ઈ.એ.એસ. શર્માએ અનિલના દેશ છોડવાની આશંકા વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન અનિલ અંબાણીએ તેમના વકીલ મુકુલ રોહતગી મારફતે કોર્ટને ખાતરી આપી કે તેઓ કોર્ટની મંજુરી વિના દેશ છોડશે નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે અનિલ અંબાણી વિરુદ્ધ પહેલાથી જ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યા છે. મહેતાએ કોર્ટને જણાવ્યું- અનિલ ગ્રુપની કંપનીઓ દ્વારા લગભગ ₹40 હજાર કરોડ સાયફન કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. આના પર કોર્ટે મૌખિક ટિપ્પણી કરી- આટલી મોટી રકમ સાયફન થવાનો આ મામલો છે. કોર્ટે ઊઉના સોગંદનામાને રેકોર્ડ પર લીધું કે ગુનાથી કમાયેલી આવક ₹20 હજાર કરોડથી વધુ આંકવામાં આવી છે. એજન્સી ₹8,078 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી ચૂકી છે.
અનિલ અંબાણી વતી હાજર રહેલા વકીલ શ્યામ દીવાને જાહેર ભંડોળની ઉચાપત કરવાના આરોપોને નકારી કાઢ્યા. તેમણે કહ્યું- રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે લગભગ ₹20 હજાર કરોડ ચૂકવી દીધા છે. વ્યવસાયિક નુકસાન અને લોન ડિફોલ્ટને ફોજદારી કેસ ન બનાવવા જોઈએ.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ પહેલા 23 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ઈઇઈં અને ઊઉને સીલબંધ કવરમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું અને અનિલ અંબાણી તથા અઉઅૠને નોટિસ જારી કરી હતી.



