ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ થાનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત લીધી હતી થાનગઢ તાલુકાનાં અમરાપુર, નવાગામ, વરમાધાર, વિજળીયા, મનડાસર, અભેપર, સારસાણા સહિત કુલ સાત ગામની મુલાકાત લઈ પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ લાવવા માટે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક પણ યોજી હતી. થાનગઢ તાલુકાની મુલાકાત દરમિયાન મંત્રીએ દરેક ગામમાં રૂબરૂ જઈ લોકોનાં પીવાના પાણી અંગેના પ્રશ્નો, સમસ્યાઓ સાંભળી તમામ પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે હૈયાધારણા આપી હતી. આ તકે મંત્રી કુંવરજીભાઇ દ્વારા ગ્રામજનો પાસેથી પીવાનાં પાણીની સમસ્યાઓ સાંભળી સંબધિત અધિકારીઓને સત્વરે યોગ્ય નિકાલ માટે સૂચના આપી હતી.
- Advertisement -