-SII પોર્ટલ પર વિદેશી છાત્રોને ભારતીય શિક્ષણ સંસ્થાઓ, કોર્સ અંતર્ગત સંપૂર્ણ માહિતી મળશે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અનુરૂપ હવે ભારતીય અને વિદેશી યુનિવર્સીટી વચ્ચે એક પછી એક સમજુતી થઈ રહી છે. ભારતમાં ભણવા માટે આવનારા વિદેશી છાત્રો માટે શૈક્ષણીક સફરેન વધુ સરળ બનાવવા માટે કેન્દ્રે સ્ટડી ઈન ઈન્ડિયા (એસઆઈઆઈ) પોર્ટલ લોંચ કરી છે.
- Advertisement -
વિદેશમંત્રી એસ.જયશંકર અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોર્ટલ લોંચ કરી હતી. આ પોર્ટલનાં માધ્યમથી છાત્રોને યુનિવર્સીટીમાં આવેદનથી લઈને વિઝા પ્રક્રિયા સુધીની સુવિધા પણ મળશે. એસઆઈઆઈ પોર્ટલનાં માધ્યમથી સંસ્થાઓનાં બારામાં જાણકારી મળશે.વેબસાઈટ પર યુજી.પી.જી ડોકટરેટ સ્તરના કાર્યક્રમોની સાથે સાથે યોગ આયુર્વેદ, શાસ્ત્રીય કલા જેમ કે ભારતીય જ્ઞાન પ્રણાલીનાં સિલેબસને કવર કરવામાં આવશે.
સ્ટુડન્ટસને વન સ્ટોન સમાધાન અહીં મળશે: નવુ પોર્ટલ રજીસ્ટ્રેશન અને વિઝા આવેદન પ્રક્રિયા માટે વનસ્ટોપ સમાધાન આપશે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીનાં દ્રષ્ટિકોણની સાથે એસઆઈઆઈ પોર્ટલ ભારત દુનિયાભરનાં છાત્રો વચ્ચે ઉચ્ચ શિક્ષણ માટે એક પસંદગીનું લક્ષ્ય બનાવવામાં એક મહત્વનું પગલુ બનવા જઈ રહ્યું છે. વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે ભારત શિક્ષણનું વૈશ્વીક કેન્દ્ર બનશે.