અતુલ પંડિત, કિરીટ પરમાર, દિનેશ સદાદિયા અને દીપક સાગઠિયાની ચોર ચોકડીનાં પાપનો ઘડો છલકાવાની તૈયારી
જ્યાં-ત્યાં દાદાગીરી-લુખ્ખાગીરી આચરતા દિનેશને સીધોદોર કરવો જરૂરી
- Advertisement -
દિનેશ સદાદિયા અને ચેતન સાકરિયા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ
શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને તેના સાથી શિક્ષક ચેતન સાકરીયા વિરુદ્ધ મહિલા આયોગ કે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા તથા જરૂર પડ્યે કોર્ટમાં કેસ દાખલ કરવા કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટે રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમાર પાસે લેખિતમાં મંજૂરી માંગી છે. જો પાંચ દિવસમાં રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા આ અંગે મંજૂરી નહીં મળે તો તેઓ સહમત છે તેવું સમજીને કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટ દ્વારા દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે એટલું જ નહીં, આ ઘટનાને પાંચ દિવસ પૂર્ણ થઈ ગયા હોય કર્મનિષ્ઠ કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટ ગમેત્યારે દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયા સામે એફઆઈઆર પણ દાખલ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ખાસ-ખબર દ્વારા રાજકોટ શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાના ગેરવહિવટને છેલ્લા કેટલાંક સમયથી સતત ઉજાગર કરવામાં આવી રહ્યા છે. ખાસ-ખબરની આ મુહિમ બાદ રાજકોટ શિક્ષણ સમિતિના દૂષણ અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાના માનસિક-શારીરિક ત્રાસ સામે અવાજ ઉઠાવવાનો શરૂ કર્યો કર્યો છે. શિક્ષણ સમિતિના સભ્યોથી લઈ તેની સાથે જોડાયેલાઓ સૌ કોઈએ હવે અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાની તાનાશાહી સામે બાયો ચઢાવી છે.
બનાવની વિગત મુજબ રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમારે કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટને તા. 28/08/2022ના રોજ શ્રી વિનોબા ભાવે પ્રા. શાળા નં. 93નો શૈક્ષણિક અને સહશૈક્ષણિક કાર્યોનો અહેવાલ આપવા જણાવ્યું હતું અને આ સંદર્ભે કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટ દ્વારા જરૂરી તપાસ અને નિવેદન નોંધી શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયા વિરુદ્ધ શિક્ષણ સમિતિનું નબળું ચિત્ર રજૂ કરવાના પ્રયત્નના ભાગરૂપે વહિવટી આચાર સહિતના તથા મુંબઈ પ્રાથમિક ધારાના નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ અને શિક્ષકોને ઉશ્કેરી ગેરમાર્ગે દોરવા માટે શિસ્તભંગ સહિતના પગલાં ભરી કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટના રિપોર્ટ બાદ રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમારે દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયા વિરુદ્ધ પગલાં ભરવાની જગ્યાએ પૂર્વીબેન ઉચાટને જ કારણદર્શક નોટિસ ફટકારી દીધી હતી. એટલું જ નહીં, પૂર્વીબેન દ્વારા સોંપાયેલા રિપોર્ટની જાણ તેણે પોતાના સાથીદાર દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયાને પણ કરી હતી. પરિણામસ્વરૂપે દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયા દ્વારા પૂર્વીબેન ઉચાટને હેરાન-પરેશાન કરવાના શરૂ કરવામાં આવ્યા હતા. જોકે પૂર્વીબેન ઉચાટ ડર્યા કે હાર્યા કે ઝૂક્યા ન હતા.
- Advertisement -
પૂર્વીબેન ઉચાટે હિંમતપૂર્વક રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમારને કારણદર્શક નોટીસનો ખુલાસો આપ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેળવણી નિરીક્ષક તરીકેની
શાળાના નં. 93ના મહિલા આચાર્ય બાદ મહિલા કેળવણી નિરીક્ષકને દબાવવા-ડરાવવાનો પ્રયાસ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના નંબર 93ના મહિલા આચાર્ય બાદ આ શાળા જેની દેખરેખ હેઠળ આવે છે તેવા મહિલા નિરીક્ષકને દબાવવા અને ડરાવવાના પ્રયત્નો શાસનાધિકારી કિરીટ પરમાર, તેના સાથી શિક્ષક ચેતન સાકરીયા અને શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા કરવામાં આવી રહ્યા છે જોકે આ બંને નીડર મહિલાઓ શિક્ષણ સમિતિના અનિષ્ટ અને દૂષણો સામે લડત ચલાવી રહ્યા છે.
મેં મારી ભૂમિકા પૂર્ણ જવાબદારી, ગંભીરતા અને નીડરતાથી બજાવેલ છે જેને કારણે હાલ મારા જાનને જોખમ ઉભું થયેલ છે જેની આપ સાહેબને ગંભીરતાપૂર્વક નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે.
માન.સાહેબશ્રી કામગીરીમાં અસહકાર આપનાર પર તાત્કાલિક પગલાં લેવાને બદલે મને અતિઆશ્ર્ચર્યસહ દુ:ખ થાય છે કે આપની તથા સરકારશ્રીની સૂચનાઓનું વખતોવખત નિર્ભયતાથી અને નિષ્ઠાપૂર્વક પાલન કરનાર એક મહિલા અધિકારીને આ પ્રકારે કારણ વગર કારણદર્શક નોટિસ આપી તેનું મોરલ તોડી તેના પર માનસિક દબાણ અને જોખમ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ તો એવો ઘાટ ઘડાયો છે કે જેમાં ખોટું કરનારને બદલે તેની તપાસ કરનાર અધિકારીને વિનાકારણે દોષિત ઠરાવી કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જે ઘણી અન્યાયની બાબત છે જેથી હું આપની પાસે ન્યાય મળે તેવી નમ્ર અપીલ કરૂં છું.
માન.સાહેબશ્રી હું આપ સાહેબને ફરી ફરી નમ્ર અપીલ કરૂં છું કે આમ સરાજાહેર વહિવટી આચારસંહિતા તથા મુંબઈ પ્રાથમિક ધારાના શિસ્ત અને સેવાના નિયમોનું ઉલ્લંઘન કરનાર તથા સરકારશ્રીની કામગીરીમાં બિનજરૂરીપણે સત્તા પ્રદર્શન કરવાના હેતુસહ દખલ કરી દાદાગીરી કરનાર સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઈ સદાદિયા તથા તેને મદદ કરનાર આ.શિ. શ્રી ચેતનભાઈ સાકરીયા પર સત્વરે આકરા પગલાં લેવા તથા સરકારશ્રીની કામગીરીમાં અસહકાર આપવા બદલ નિવેદન આપનાર તમામ શિક્ષકોશ્રીઓ પર શિસ્તભંગ પગલાં લેવા અને માન. સરકારશ્રીના નિયમોનું પાલન કરવા બદલની મારી કામગીરીને સહકાર આપવા ફરી નમ્ર અપીલ કરૂં છું.
ઉપરાંતમાં આ બનાવ બાદ જણાવ્યા પ્રમાણે શ્રી દિનેશભાઈ સદાદિયા તથા ચેતનભાઈ સાકરીયા દ્વારા મને સતત તાણમાં રાખી મારી સલામતી જોખમાઈ તેવા પ્રયત્નો સતત ચાલુ હોય માટે મને દિવસ 5 (પાંચમા) તેઓની વિરૂદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા, મહિલા આયોગમાં કે પોલીસ ફરિયાદ દાખલ કરવા તથા જરૂર પડ્યે કોર્ટમાં કેસ દાખલ કરવા લેખિતમાં મંજૂરી આપવા નમ્ર વિનંતી કરૂં છું. લેખિત મંજૂરી સમય મર્યાદામાં નહીં મળે તો આપ આ અંગે સહમત છો તેમ માનીને હું મારા સ્વરક્ષણ અર્થે આગળ કાર્યવાહી કરવા મજબૂર થઈશ, જે આપ સાહેબને જાણમાં રહે. ઉપરાંતમાં મને આપેલ કારણદર્શક નોટિસ આપે માન. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી રાજકોટને આપેલ હોય તો મારો આ જવાબ તેમને કચેરી દ્વારા રજૂ કરવા આવશે કે તે અંગે શું કરવું તેનું લેખિત માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી.
અનિષ્ટ તત્ત્વ જેવા દિનેશ સદાદિયાને પ્રથમથી જ છાવરી રહ્યાં છે શાસનાધિકારી કિરીટ પરમાર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિત, ઞછઈણ દિનેશ સદાદિયા વગેરેનાં કૌભાંડો, યુનિફોર્મ સ્કેન્ડલ તેમજ અન્ય ગેરરીતિઓ જ્યારથી બહાર આવી છે ત્યારથી શાસનાધિકારી કિરીટ પરમાર આ તમામ કૌભાંડોને ભરપૂર છાવરી રહ્યાં છે. તેમની પાસે એટલી સત્તા છે કે, તેઓ ધારે તો સદાદિયા જેવાં દૂષણને ચપટી વગાડતાં જ પરત સ્કૂલ ભેગો કરી શકે. પરંતુ આ તમામ પાપમાં કિરીટ પરમાર સમાન હિસ્સાનાં ભાગીદાર હોય તેવું ચિત્ર તેઓ જાતે જ ઉપસાવી રહ્યાં છે. સમિતિમાં કશું ખોટું થતું હોય ત્યારે તે અટકાવવાની જવાબદારી શાસનાધિકારીની છે. ઈવન, જો ચેરમેન ખોટું કરે તો શાસનાધિકારી તેને પણ ટપારી શકે છે. શાસનાધિકારીનો શું પાવર હોય, કેટલી સત્તા હોય તે દેવદત્ત પંડ્યાએ ભૂતકાળમાં સાબિત કરી જ આપ્યું છે. દેવદત્ત પંડ્યા અને કિરીટ પરમાર, બેઉ સામસામા છેડાનાં ઉદાહરણો છે. પંડ્યાએ સદાદિયાને તેની ઔકાત દેખાડી દીધી હતી, પરમાર પોતાનાં માથે સદાદિયાને ઊંચકીને ફરે છે. દાનત-ફિતરત કોની-કેવી છે એ ખ્યાલ આવી જ જાય.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઈન્ચાર્જ મહિલા ચેરમેન અને મહિલા સભ્યો મૂકદર્શક
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ ઈન્ચાર્જ ચેરમેન મહિલા છે આ ઉપરાંત સભ્યોમાં પણ ઘણા મહિલાઓ છે છતાં રાજકોટ શિક્ષણ સમિત હેઠળ આવેલી એક શાળાના મહિલા આચાર્ય અને તેના કેળવણી નિરીક્ષકને કિરીટ પરમાર, દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયા દ્વારા ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ શિક્ષણ સમિતિના ઈન્ચાર્જ મહિલા ચેરમેન અને મહિલા સભ્યો મૂકદર્શક બની તમાશો જોઈ રહ્યા છે જે નવાઈની વાત છે. આટ-આટલું થવા છતાં પણ શિક્ષણ સમિતિના મહિલા સભ્યો મૌન બની મહિલાઓ પર થતાં અત્યાચારો જોઈ રહ્યા છે.