ખાસ-ખબર સંવાદદાતા
જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે ચાલી રહ્યો છે. આ વચ્ચે બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે- જ્ઞાનવાપીને મસ્જિદ કહેવાનું બંધ કરો, આ એક શિવ મંદિર છે. તેમણે જ્ઞાનવાપીને શિવ મંદિર ગણાવ્યું અને તેને મસ્જિદ કહેવા પર આપત્તિ વ્યક્ત કરી. આ દરમિયાન તેમણે નૂંહ હિંસા પર પ્રતિક્રિયા આપતા તેણે દેશ માટ દુર્ભાગ્ય ગણાવ્યું. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા જ તે વાત સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેમનું લક્ષ્ય ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે. જ્ઞાનવાપી પર ચાલી રહેલા સર્વેને લઈને જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલ કરવામાં આવ્યા તો તેમનું કહેવું હતું કે- ‘જ્ઞાનવાપી મસ્જિદ નથી. સૌથી પહેલા તો એ કહેવાનું બંધ કરી દો. જ્ઞાનવાપી ભગવાન શંકરનું મંદિર છે.’ ધીરેન્દ્ર શાસ્ત્રીની વાત સાંભળીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વાત યાદ આવી ગઈ. ઈખ યોગીએ હાલમાં જ જ્ઞાનવાપીને મસ્જિદ કહેવા પર આપત્તિ વ્યક્ત કરી હતી.
યોગી આદિત્યનાથે ન્યૂઝ એજન્સી અગઈંની સાથે વાતચીતમાં નિવેદન આપતા કહ્યું હતું કે- જ્ઞાનવાપીને જો આપણે મસ્જિદ કહીશું તો વિવાદ થશે. મને લાગે છે કે ભગવાને જેમણે દ્રષ્ટિ આપી છે તો તે જુએને. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે- ત્રિશૂલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તો નથી રાખ્યું ત્યાં. આ ઉપરાંત યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું હતું કે- જ્યોતિર્લિંગ છે, દેવ પ્રતિમાઓ છે, તમામ દીવાલો કહી રહી છે. મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમાજ તરફથી આવો જોઈએ કે સાહેબ ઐતિહાસિક ભૂલ થઈ છે અને તે ભૂલ માટે અમે ઈચ્છીએ છીએ કે સમાધાન થાય. સ્થાનિક અદાલત, હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી મળ્યા બાદ જ્ઞાનવાપીમાં સર્વે ચાલી રહ્યો છે.
- Advertisement -
નૂંહ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- દેશનું દુર્ભાગ્ય છે
ધીરેન્દ્ર શાસ્ત્રીએ નૂંહ પર હિંસા પર પણ સવાલ કર્યો છે. આ અંગે તેમણે કહ્યું કે- આ દેશનું દુર્ભાગ્ય છે કે સનાતની હિન્દુ આ પ્રકારના કાર્ય જોઈ રહ્યાં છે. સૌ સૂઈ જાઓ. 31 જુલાઈએ હરિયાણાના નૂંહમાં બ્રજમંડળ યાત્રા પર હુમલો થયો હતો, જે બાદ નૂંહમાં હિંસા ભડકી હતી. હિંસામાં 6 લોકોન મોત નિપજ્યા હતા જ્યારે અનેક ઘાયલ થયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તેઓ પહેલા પણ ખુલીને બોલી ચુક્યા છે કે તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે. તેઓ આ દિશામાં કામ પણ કરી રહ્યાં છે.